Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
विरूवरूवेहिं सत्थेहिं अगणिकम्मसमारंभेणं अगणिसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसा |
૨૬
तत्थ खलु भगवया परिण्णा पवेइया - इमस्स चेव जीवियस्स, પરિવંલગ માળખ પૂયળા, ગાર્ડ-મરણ-મોયળાપ, ટુવશ્વપડિયાયહેવું, से सयमेव अगणिसत्थं समारंभइ, अण्णेहिं वा अगणिसत्थं समारंभावेइ, अण्णे वा अगणिसत्थं समारंभमाणे समणुजाणइ । तं से अहियाए, तं से अबोहीए । से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए ।
सोच्चा खलु भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिं णायं भवइएस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए । इच्चत्थं गढिए लोए, जमिणं विरूवरूवेहिं सत्थेहिं अगणिकम्मसमारंभेणं अगणिसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
ભાવાર્થ :- સંયમી વ્યક્તિ હિંસામાં લજ્જાનો અનુભવ કરે છે. કેટલાક "અમે અણગાર સાધુ છીએ" એવું કહેવા છતાં જે અનેક પ્રકારનાં શસ્ત્રોથી અગ્નિકાયની હિંસા કરે છે, તેઓને તું સાધુત્વથી ભિન્ન જાણ. અગ્નિકાયના જીવોની હિંસા કરતાં બીજા અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે. (તે) તું જો.
આ વિષયમાં ભગવાને વિવેકનું કથન કર્યું છે. કોઈ મનુષ્ય આ જીવન માટે, પ્રશંસા–સન્માન કે પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા માટે તેમજ દુઃખોને દૂર કરવા માટે પોતે અગ્નિનો આરંભ કરે છે, બીજા પાસે અગ્નિનો આરંભ કરાવે છે, અગ્નિનો આરંભ કરતા હોય તેની અનુમોદના કરે છે. આ હિંસા તેને માટે અહિતનું તેમજ અબોધિનું કારણ બને છે. સાધક હિંસાના પરિણામને સારી રીતે સમજીને સંયમ–સાધનામાં લીન બને છે.
તીર્થંકરાદિ પ્રત્યક્ષ જ્ઞાની કે શ્રુતજ્ઞાની મુનિઓ પાસેથી સાંભળીને કોઈને જ્ઞાન થાય છે કે આ જીવહિંસા ગ્રંથિ છે, મોહ છે, મૃત્યુ છે, નરક છે, તોપણ કેટલાંક પ્રાણી વર્તમાન પ્રાપ્ત સાધનોમાં જ આસક્ત બની વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી અગ્નિનો આરંભ કરે છે. અગ્નિનો આરંભ કરવાની સાથે તેઓ બીજા અનેક જીવોની પણ હિંસા કરે છે.
વિવેચન :
અગ્નિકાયનાં શસ્ત્રોનો ઉલ્લેખ નિર્યુક્તિમાં આ પ્રમાણે છે– (૧) માટી અથવા ધૂળ. (૨) પાણી (૩) લીલી વનસ્પતિ (૪) ત્રસ પ્રાણી (૫) સ્વકાય શસ્ત્ર–એક અગ્નિ બીજી અગ્નિનું શસ્ત્ર છે. (૬) પરકાયશસ્ત્ર-પાણી આદિ. (૭) તદુભયશસ્ત્ર અર્થાત્ સ્વ–પરકાય મિશ્રિતશસ્ત્ર. જેમ કે તુષ નિશ્રિત અગ્નિ બીજી અગ્નિનું શસ્ત્ર છે. (૮) ભાવશસ્ત્ર-અસંયમ.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org