Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 481
________________ પરિશિષ્ટ શિથિલ, પરાવલંબી તેમજ આશ્રમજીવી બનવાનો પણ ભય રહે છે. એટલે ઉપાશ્રયમાં ભોજન લાવી આપવું એ ગૃહસ્થનું નહિ પણ મુનિ સાધકોનું કર્તવ્ય છે, ૪૧૯ (ઉદ્દેશક ૫, સૂત્ર ૪) બને ત્યાં સુધી અન્યની સેવા ન લેવી એ મુનિ સાધકને ઈષ્ટ હોય છે એવો સૂત્રમાં ભાવ છે, કારણ કે સેવા અને સ્વાવલંબીત્વ એ શ્રમણનું જીવનવ્રત છે. અહીં પણ પ્રતિજ્ઞા ખાતર પ્રાણાર્પણની વાત છે અને તે વધુ સ્પષ્ટ છે. ક્રિયામાં ભૂલ થવી શક્ય છે અને તે ક્ષમ્ય છે પણ પ્રતિજ્ઞાની ભૂલ કોઈ રીતે ક્ષમ્ય નથી. પ્રતિજ્ઞાભંગ કરતાં પ્રાણમંગ વધુ સારો અને તેવા મરણને આપઘાત નહિ પણ સમાધિમરણ ગણાય. એની પાછળ એક જ ભાવ છે કે પ્રતિજ્ઞાભંગથી સંસ્કૃતિ અને વિકાસના માર્ગનો જ ભંગ થાય છે. સાધનાની દઢતામાં જરા પણ શિથિલતા આવી તો તે શિથિલતાના સંસ્કારો પ્રત્યેક જીવનમાં પીડવાના, કારણ કે તે ઉપાદાનરૂપ બને છે. એટલે નિમિત્ત કરતાં ઉપાદાનની પરવા વધુ કરવી એ ઉચિત છે. ઉપાદાનની શુદ્ધિ થતાં નિમિત્તશુદ્ધિ સુલભ છે પણ કેવળ નિમિત્તની શુદ્ધિથી ઉપાદાનની શુદ્ધિ સુલભ નથી. આ વાત સાધકે પ્રત્યેક પળે વિચારવી ઘટે. આ સૂત્ર પરથી એક તો સાધકમાત્રને પ્રતિજ્ઞા હોવી ઘટે એ સિદ્ધાંત નીકળે છે અને બીજો સિદ્ધાંત એ છે કે, સાધકમાત્રને પોતે સ્વાવલંબી થવું ઘટે. સામાન્ય રીતે સાધકોની સ્થિતિ બહુ જ પરાધીન બની ગઈ હોય છે. તેઓ શ્રમને શત્રુ સમજતા હોય છે તેથી એમનું શરીર સ્વાસ્થ્ય બરાબર ન હોવાને કારણે બીજા સાધકોને એમનું જીવન બોજારૂપ બની રહે છે. આ સ્થિતિ સાધકદશા માટે યોગ્ય નથી. એણે પ્રથમ તો પોતે બીમારીને આવવાનાં કારણોથી દૂર રહેવું ઘટે, છતાં કર્મવશાત્ કે બીજી ભૂલને લઈને કદાચ આવે તોય એ સમયે બીજા સાધકોને બોજારૂપ ન થવું ઘટે. સાધક સિદ્ધ ન બને ત્યાં સુધી પ્રત્યેક સાધનામાં પ્રતિજ્ઞા એ સાધકનું જીવનવ્રત હોવું ઘટે. ખાવામાં, પીવામાં કે બીજાની સેવા લેવામાં મર્યાદિત રહેવાની પ્રતિજ્ઞા, મહાવ્રતોને સંપૂર્ણ રીતે પાળવાની પ્રતિજ્ઞા તથા અન્ય સાધકોની સેવાશુશ્રુષા કરવાની ટેક ઈત્યાદિ પ્રતિજ્ઞાઓ સ્વીકારવી જોઈએ અને પ્રાણાન્તપર્યંત પાળવી જોઈએ. પ્રતિજ્ઞા ગઈ, એટલે મૃત્યુ જ થયું સમજવું. પ્રતિજ્ઞાના ભંગ માટે અપવાદને લેશ પણ સ્થાન નથી. એક નાની સરખી પ્રતિજ્ઞા ખાતર જીવન ઓવારી નાખવું જોઈએ. સંક્લ્પબળની સિદ્ધિ પ્રતિજ્ઞાની દઢતા પર અવલંબે છે. પ્રતિજ્ઞા એ સાધકની સગી જનેતા છે, પ્રતિજ્ઞા પડતાને બચાવે છે, પડેલાને ઉગારે છે; પ્રતિજ્ઞાથી ઉપાધિઓ ઓસરે છે ને જીવન હળવું ફૂલ બને છે. પ્રતિજ્ઞામાં મેરુને કંપાવે, ધરાને ધ્રુજાવે અને હિમાલયને હઠાવે એવી દિવ્ય અને ભવ્ય ચેતનાશક્તિ છે. પ્રતિજ્ઞાની અપૂર્વ શક્તિ પૂર્વાધ્યાસોમાં ખેંચાતી સાધકની વૃત્તિને સ્થિર રાખે છે. પ્રતિજ્ઞાવાન જ સાચું સ્વાવલંબીત્વ સાંગોપાંગ ટકાવી શકે છે. એક પ્રતિજ્ઞાસિદ્ધ સાધક નિખિલ વિશ્વને નચાવી શકે છે, નમાવી શકે છે. Jain Education International (ઉદ્દેશક ૬, સૂત્ર ૧) સૂત્રકારે અહીં લઘુભાવ લાવવાનો ઊંડો છતાં સ્પષ્ટ નિર્દેશ કર્યો છે અને તે પ્રાસંગિક છે કારણ કે વિકાસના માર્ગમાં અભિમાનનો કાર્ટો સાધકના પગને સ્તંભી રાખે છે. જેમ જેમ જીવાત્મા કર્મના અચળ કાનુનની અશ્રદ્ધાથી આત્માના અફાટ અને અનંત સ્વરૂપને દેહ અને એવા બાહ્યુ અમુક પદાર્થોમાં મમત્વ આરોપીને પૂરી દે છે, તેમ તેમ એ કાંટો ઊંડો જતો જાય છે અને અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિઓ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512