Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 467
________________ પરિશિષ્ટ-૧, ૪૦૫ | બને છે. આ સ્મૃતિ કાયમ રખાય તો પૂર્વઅધ્યાસો (કામભોગથી સુખ મળે છે તેવા પૂર્વે પોષેલા સંસ્કારો) જોર ન કરી શકે અને સાધનાશ્રુત થવાનું બીજું કારણ પૂર્વઅધ્યાસોનું ખેંચાણ થાય ત્યારે તેમને શમાવવાના પુરુષાર્થની ખામી છે. આ બે કારણોથી પ્રતિજ્ઞાની જરૂરિયાત અનિવાર્યરૂપે સિદ્ધ થાય છે. તોયે અહીં પ્રતિજ્ઞા એટલે પ્રાણના ભોગે પણ નિયમોમાં અવિચલ ટકી રહેવાનો દઢ સંકલ્પ એટલો જ અર્થ લેવો; કારણ કે જે સાધકો પ્રતિજ્ઞાને જ ત્યાગ સમજી બેસે છે તે સાધકો પ્રતિજ્ઞા લીધા પછી અસાવધ બની જાય છે અને શુદ્ધ હેતુથી ટ્યુત થાય છે. (ઉદ્દેશક ૨, સૂત્ર ૩) આ ઉદ્દેશકમાં જ્ઞાનમાર્ગ અને સત્કર્મનો માર્ગ બતાવીને પછી સ્વાર્પણનો સરળ માર્ગ બતાવ્યો છે. આજ્ઞાથી મારો ધર્મ પાળવો એમ કહેવાની પાછળ ખૂબ રહસ્ય છે. વિકલ્પો અને શંકાથી જેનું અંતઃકરણ ઘેરાયેલું છે એવો સાધક સંસારની પ્રત્યેક વ્યક્તિની ભિન્નભિન્ન માન્યતા, ભિન્ન ભિન્ન મતો અને ભિન્ન ભિન્ન ધર્મોને જોઈવધુને વધુ ગુંચવણમાં રખે પડી જાય! એ ખાતર અહીં આજ્ઞાપાલનમાં જ ધર્મ બતાવ્યો છે. ભક્તિમાર્ગની જે અર્પણતાની ભાવના છે તે સ્વાર્પણનું અહીં પ્રતિપાદન છે. આ માર્ગે જનાર સાધકને બુદ્ધિના વિકલ્પો કે તર્ક વિતર્કો સતાવી શકતા નથી. લાગણીપ્રધાન સાધકોમાં અર્પણતાનું તત્ત્વ વિકસેલું હોઈ એમને માટે આ માર્ગ અતિ સરળ અને સાધક નિવડે છે. પણ તે જ્યાં ત્યાં અર્પણ ન થઈ જાય તે ખાતર અહીં સર્વજ્ઞ દેવની આજ્ઞામાં અર્પણ થવાનું સૂચવ્યું છે અને તે યોગ્ય છે. જે જ્ઞાની પુરુષે સાધકના માર્ગની પૂર્ણ ચિકિત્સા કરી છે એ જ જ્ઞાન આપવાના અધિકારી છે, તે વાત તો આગળ સ્પષ્ટ જ કરી છે. એટલે આ રીતે પુરુષની આજ્ઞા એ સાધકનું પરમ અવલંબન બની શકે, તેમાં સંદેહ રાખવાનું કારણ રહેતું નથી અને આજ્ઞાની અધીનતા આવી એટલે સાધક હળવો ફૂલ જેવો થઈ રહે એ સ્વાભાવિક પરંતુ હું કંઈક છું' એ જાતનો કાંટો આ સંસારના સામાન્ય કોટીના માણસોમાં પણ રહ્યો હોય છે. તે જાય ત્યારે જ આજ્ઞાની અધીનતા આવે. જો કે આ સ્થિતિમાં પ્રથમ તો સાધકને પોતાનું વ્યક્તિત્વ જતું રહેતું હોય એવો ભય લાગે છે. પરંતુ ખરી રીતે તો વ્યક્તિત્વનો તેમાં વિકાસ છે. જેને પોતાના વ્યક્તિત્વનું સાચું ભાન થયું છે, તેનામાં તો વિશ્વ જેવડા મહાસાગરનું પોતે એક અવિભક્ત બિંદુ છે એવું જ્ઞાન સહેજે પ્રગટે અને આટલું સમજ્યા પછી ભય શાનો? ઊલટું મહાસાગરમાં અર્પણ થવામાં તેને મોજ લાગે. પણ જેને વ્યક્તિત્વનું જ્ઞાન નથી, તેને માટે તો હું કંઈક છું એ ભાન કેવળ શરીરની આસપાસની યંત્ર સામગ્રી અને સંકીર્ણતાને લઈને જ જખ્યું હોય છે અને એને માટે તો એ શલ્યનું જ કામ કરે છે. એટલે એ શલ્ય કાઢયે જ છૂટકો. વિશ્વબંધુત્વની ભાવના પણ આ શલ્ય દૂર થયા પછી જ જાગે છે. (ઉદ્દેશક ૩, સૂત્ર ૩) જ્ઞાની હોય એ દેહદમનની મર્યાદા જાણી યથાર્થ તપશ્ચરણ અવશ્ય કરે એવી ભાવના મૂકી, જે જ્ઞાનનું ફળ જીવનમાં પરિણમે એ જ જ્ઞાન એમ બતાવ્યું છે. પણ આથી જેનાં હાડમાંસ સુકાયેલાં હોય એ જ જ્ઞાની કે મુક્તિના અધિકારી છે, એવું કોઈ રખે માની લે ! આ કથનથી એટલું જ સમજવાનું છે કે, મોક્ષાર્થી સાધકને શરીર શુક્રૂષાનો મોહ ન હોય, અને દીર્ઘ તપશ્ચર્યા એને સહજ હોય. સૂત્રકાર જણાવે છે કે, બધું વિવેકપૂર્વક હોય, એટલે કે તેમની બધી ક્રિયા હેતુપૂર્વક અને સહજ હોય. તે તપસ્વીનું શરીર, કષાયો ઘટયા હોય અને ક્ષમાદિ ગુણો વધ્યા હોય. આવા સાધકો સંસારમાં હોવા છતાં સંસારસમુદ્રથી પાર જાણવા. એમ કહીને સૂત્રકાર સમજાવે છે કે સંસાર પોતે બંધનકર્તા નથી પણ રાગાદિ આંતરિક શત્રુઓને અંગે જે સંસાર નિર્માય છે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512