Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 474
________________ [ ૪૧૨ ] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ નથી, પણ જીવનનો પૂર્વ રંગ છે. જ્યારે શરીર રૂપી સાધન જીવન લંબાવવાને યોગ્ય ન રહે, ત્યારે જ નિસર્ગ શક્તિ (જૈન દર્શનમાં જેને કાર્મણયોગ કહેવામાં આવે છે તે) શરીર સમેટી લઈતે જીવને બીજી નવી ભેટ આપે છે, એવી એને પ્રતીતિ થઈ ગઈ હોય છે. પણ જેણે શરીરને સાધ્ય માની લીધું છે, તેવા જીવો શરીરમાં મૂંઝાઈ ગયેલા હોઈ એમને આ પ્રસંગ અકારો થઈ પડે છે. તોયે કર્મનો કાયદો તો અનિવાર્ય રહ્યો. એટલે આવા જીવો સહજ રીતે શરીર મોહથી છૂટી શકતા ન હોવાથી એમનું શરીર ઝૂંટવવા માટે નિસર્ગને કોઈ મહાન રોગો કે તેવાં મહાન કારણો યોજી દેવા પડે છે અને તો યે તેવા જીવો અતિ કલ્પાંત કરતાં કરતાં આખરે શરીર છોડી શકે છે. સાધકને જેટલો શરીર મોહ ઓછો તેટલું જ કુદરતનું કાર્ય ઓછા પ્રયત્ન થાય. પણ શરીર મોહ ત્યારે જ ઘટે કે જ્યારે એનું સાચું સ્વરૂપ સમજાય. આ સ્વરૂપ સમજનાર સાધકને જીર્ણ વસ્ત્ર થઈ ગયા પછી નવું મળવાનું જ છે એવો વિશ્વાસ હોય અને એથી જ એ આનંદિત રહે. અહીં લાકડાના પાટિયાનું દષ્ટાંત આપી મૃત્યુના વિજેતાની અડગતા કેવી હોય તે બતાવ્યું છે. જેમ લાકડાના પાટિયાને કોઈ છોલે છે તેમ જ રાખે તો યે કશું થતું નથી, બલકે છોલવાથી ઊલટી દુઃખની અસર થવાને બદલે ચમક બહાર આવે છે, તેમ જ સાધકને જેમ જેમ કષ્ટ આવે તેમ તેમ તે વધુ ચમકે, અર્થાત્ કર્મના નિયમો પ્રત્યે તે સહજ બની જાય. આવો વીર અને નિર્ભય સાધક જ મૃત્યુ આવ્યા પહેલાં એનો જે સંદેશો આવે છે તે સાંભળી કે સમજી શકે છે, અને મૃત્યુની અંતિમ મહામૂલી પળોને સફળ પણ કરી શકે છે. જો કે આવો સંદેશ તો મૃત્યુ પહેલા પ્રત્યેક જીવને મળે છે. પણ જેઓ મોહની આંધીથી ઘેરાયેલા અને બધિર થઈ ગયા હોય છે, તેઓ આ ગૂઢ સંદેશાને જોઈ, સાંભળી કે ઉકેલી શકતા નથી. આત્મલક્ષી પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ.નિવૃત્ત સાધકો અનુભવમાં જેમ જેમ પીઢ થતા જાય તેમ તેમ જિજ્ઞાસુને પોતાના અનુભવનું અમૃત યોગ્યતા અનુસાર આપતા જાય. સારાંશ કે સદુપદેશ એ આવા સાધકનો સહજધર્મ બની રહે. તેઓ પ્રત્યેક ક્રિયામાં આ રીતે સહજ હોય તથા ક્રિયાના ફળમાં પણ સમભાવી અને સમાધિવંત હોય. આવા અડગ સાધકોને કોઈ પણ નિમિત્ત ન કંપાવી શકે, કે કોઈ પણ કર્મ એમની સાગર શી ગંભીરતાને નક્ષુબ્ધ કરી શકે. એવા સાધકો ગમે તે સંયોગોમાં કેવળ સાધનાની લહેર ઝીલતા રહે. આઠમું અધ્યયન (ઉદ્દેશકલ, સૂત્ર ૩) સૂત્રમાં સૂત્રકારનો આશય અતિ સ્પષ્ટ છે કે સંગદોષ અપાકટ સાધકને અસર ઉપજાવી શકે છે, માટે તેમને સારુએ ત્યાજ્ય છે. આ વાતમાં સંશયને સ્થાન નથી અને તેનું પરિણામ શું આવે છે તે પણ એમાં વર્ણવ્યું છે. એટલે તે બીના માનસશાસ્ત્રને વધુ સુસંગત છે એમ પણ સહેજે જણાઈ રહે છે. સાધનામાર્ગમાં હિંસા, પરિગ્રહ અને કુતર્ક એ ત્રણે મહાન દૂષણો છે. તે દૂષણો આવા સંગથી અપાકટ સાધકમાં પેસી જાય છે, તેથી તે સંગ ક્ષમ્ય નથી. આ સૂત્રના ઉત્તરાર્ધમાં આ ત્રણે દૂષણો શાથી જન્મે છે તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512