Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ધૂત અધ્ય-૬, ઉ : ૫
૨૬૩
અપ્રમત્તભાવે રહેનાર (૭) ઉત્તમ અને મનોહર ધર્મના વિચારક, સંથારાના સંકલ્પી (૮) દષ્ટિમાનએકમાત્ર આત્મદષ્ટિ, આત્મકલ્યાણનું લક્ષ્ય. આ આઠ ગુણોથી યુક્ત સાધક પવુિડે = પરમનિવૃત્ત થાય છે અર્થાત્ કષાયોથી અને કર્મ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાય છે. પરિનિવૃત્તનો અર્થ એ છે કે તે સાધક ગુણ સંપન્ન અથવા મોક્ષગામી બને.
કષાયથી મુક્તની મુક્તિ :
५ तम्हा संगं ति पासह । गंथेहिं गढिया णरा विसण्णा कामक्कता । तम्हा लूहाओ णो परिवित्तसेज्जा । जस्सिमे आरंभा सव्वओ सव्वत्ताए सुपरिण्णाया भवंति, जस्सिमे लूसिणो णो परिवित्तसंति, से वंता कोहं च माणं च मायं च लोभ च । एस तुट्टे वियाहिए । त्ति बेमि । શબ્દાર્થ – તન્હા = તેથી-(કારણ કે મિથ્યાદષ્ટિ પુષ), સા તિ = આસક્તિ અને કર્મબંધને, હિં = પરિવાર પરિગ્રહ, બાહ્ય, આત્યંતર ગ્રંથિથી, દિયા = જકડાયેલા તથા, વિસUT = તેમાં ખૂંચેલા, ડૂબેલા, આસક્ત, વામનતા = કામભોગોથી આક્રાંત, નૂહો - રૂક્ષ, સંયમના અનુષ્ઠાનથી, સંયમનાં દુઃખથી, નો પવિત્તા = ત્રાસ ન પામવું જોઈએ, ડરવું જોઈએ નહિ, ધૈર્યપૂર્વક સંયમનું પાલન કરવું જોઈએ, નસિબે = જે મુનિનો આ, સુપરપાવી = સુપરિજ્ઞાત, તૂલિપો વિષય કષાય, આત્મધન લૂંટનાર, નો પવિત્તતિ = ત્રાસ આપતા નથી, ડરતા નથી, વંતા = ત્યાગકર, = ક્રોધ, મi = માન, માય = માયા, તો = લોભનો, પd = આ, તુ(તિ) = મોહનીયાદિ કર્મોના બંધનથી છૂટેલા,વિયાદિ = કહેલ છે.
ભાવાર્થ :- હે શિષ્ય! તું કર્મથી નિવૃત્ત થવા માટે સંગ-આસક્તિ કે કર્મબંધના કારણોને જો. પરિવાર તથા પરિગ્રહમાં વૃદ્ધ મનુષ્ય મોહરૂપ કીચડમાં ખૂંચતા જાય છે અને પછી વિષય વાસનાથી આક્રાંત થઈ જાય છે, તેઓને પણ તું જો કે તે પ્રાણી દુઃખ અને સંતાપમાં નિમગ્ન, ડૂબેલા રહે છે. આ જાણીને મુનિ સંયમ અને સંયમના કષ્ટોથી ક્યારે ય પણ ઉદ્વિગ્ન–ખેદખિન્ન થાય નહિ.
જે જ્ઞાની મુનિ સર્વ આરંભોને સર્વ પ્રકારે, સર્વાત્મના ત્યાગ કરે છે; જેઓને કામવાસનાઓ જરા માત્ર પણ પીડિત કરતી નથી; વાસ્તવમાં તે મુનિ ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરનારા હોય છે. આવા મુનિ જ સંસાર સાંકળને તોડનારા કહેવાય છે. વિવેચન :
આ સૂત્રમાં સંસારાસક્ત અને કામાસક્ત પુરુષોને તથા તેની દુઃખપૂર્ણ અવસ્થાઓને જોઈને સંયમમાં સ્થિર રહેવાની પ્રેરણા કરી છે. ત્યાર પછી આરંભ અને વિષયોથી મુક્ત થનારને કષાયમુક્ત કહ્યા છે અને તે કષાયમુક્ત સાધક કર્મમુક્ત કહેવાય છે. આ પ્રકારે આ સૂત્રમાં આરંભ, વિષય અને કર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org