Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૨
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
સાધકના પોતાના જ હાથમાં છે. તેને ચાલવું હોય તો બહાર એવી કોઈ શક્તિ નથી કે તેને અટકાવી શકે માર્ગદર્શકનું આથી વધુ મહત્ત્વ જીવનવિકાસમાં સમજવું એ ભૂલ છે. (ઉદ્દેશક ૩, સૂત્ર ૧) પરિગ્રહ હોવા છતાં, રાખવા છતાં, તે ભોગવવા છતાં હું તો નિરાસક્ત રહી શકું છું, કે નિરાસક્ત રહી શકીશ એમ જ બોલે છે કે માને છે, તે પાખંડ, દંભ કે આત્મવંચના સેવે છે, એવો કંઈક ભાવાર્થ સુત્રમાં છે. અનુભવ પણ એમ જ કહે છે કે પરિગ્રહનો સંપર્ક રાખીને નિષ્પરિગ્રહી વૃત્તિ કેળવાઈ શકતી નથી. એટલે નિષ્પરિગ્રહી વૃત્તિ કેળવવા માટે બાહ્ય પદાર્થોનો પરિગ્રહ, તે પર થતો મોહ અને આકર્ષણ સૌથી પ્રથમ તકે છોડવા જરૂરી છે. જેમ કોઈ અગ્નિને હાથમાં રાખી ઠંડક મેળવવાની ઈચ્છા રાખે કે ઠંડીના જાપ જપે તોપણ ઠંડક ન થવી અને અગ્નિની ઉષ્ણતા સહવી તેને માટે અનિવાર્ય છે, તેમજ જે સાધક પરિગ્રહના અગ્નિને સાથે રાખીને નિરાસક્તિની ઠંડક શોધે છે તે નિષ્ફળતા અનુભવે છે.
ઘણીવાર એવું બને છે કે એ પરિગ્રહ પાછળ તેનો આશય નીચ, શુદ્ર કે સ્વાર્થી નહિ પણ ઉચ્ચ, ઉદાર અને પરમાર્થી દેખાતો હોય. માત્ર પરોપકાર અને પરમાર્થ ખાતર તે પદાર્થોનો સંગ્રહ કરતો હોય તોયે તેની પાછળ છપાયેલી પરિગ્રહવૃત્તિ ફૂલીફાલી આખરે ઉન્નતિ અને યશના શિખરે ચડેલા એ સાધકને પાડવામાં મદદરૂપ બનવાનો સંભવ રહે છે. એટલે જ નિષ્પરિગ્રહવૃત્તિ કેળવવા માટે બાહ્ય ત્યાગની આવશ્યક્તા છે. પછી ભલે તે ગૃહસ્થ સાધક હોય કે ભિક્ષુ સાધક હોય.દરેકને પોતાની યોગ્યતા અને શક્તિ મુજબ પદાર્થત્યાગ કરવો ઉપયોગી નીવડે છે. જોકે એ આવશ્યક્તા સૌને અનિવાર્ય છે એમ જાણ્યા પછી પણ બાહ્ય ત્યાગની ભાવના પ્રગટવી એ કંઈ સહજ વસ્તુ નથી; કારણ કે પોતે જે કંઈ ઈચ્છે છે તે બાહ્ય પદાર્થોમાં છુપાયું છે એવો ઘણા કાળનો જીવનો અધ્યા છે. એટલે એ કેમ છૂટે? તેના ઉપાયમાં સૂત્રકારવિચાર અને વિવેક બતાવે છે. સત્યાસત્યને પારખવાની વિવેકબુદ્ધિ જાગે, એટલે અનંતકાલનો અસત્યને સત્ય માનવાનો અભ્યાસ હોય તોયે છૂટી જાય છે પરંતુ જ્યાં સુધી એ જાગે નહિ, ત્યાં સુધી તો મનુષ્ય કશું હિતાહિત પણ સમજી શકે નહિ, તો છોડવાની તો વાત જ શી? આવી વિવેકબુદ્ધિ સર્વિચાર પછી જ આવે છે, એમ સૂત્રમાં સૂત્રકાર વદે છે.
પણ એ "વિચાર" શબ્દ એટલો તો રૂઢ થઈ ગયો છે કે હાલતાં ને ચાલતાં સૌ કોઈ એનો ઉપયોગ કરી નાખે છે. પણ વિચારનું સ્વરૂપ આપણે માનીએ છીએ એટલું સરલ કે સુસાધ્ય નથી. જેને ઘણીવાર વિચાર તરીકે
ઓળખીએ છીએ તે વિચાર નથી હોતો પણ કેવળ વિકલ્પ હોય છે. જીવનમાં અભુતતા, નવીનતા અને દિવ્યદષ્ટિ પ્રેરે એ વિચાર. બાકી તો ઉપરના મન ઉપર આવતા વિચારો એ તો વિકલ્પો માત્ર છે. છતાં એ વિકલ્પો પર વિચારોનો આરોપ મુકાય છે. એ તો સમુદ્રના ઉપરના ફીણને તરંગ માનવા જેવી ભૂલ છે. તરંગ જેમ જલનું ઊર્ધ્વગમન છે, તેમ વિચાર એ અંતઃકરણનું ઊર્ધ્વકરણ છે. તરંગ જેમ સમુદ્રને આલાદિત કરે છે, ઉદાર બનાવે છે, તીરને ભેટવાની તાલાવેલી જગાડે છે અને વેગ આપે છે, તેમજ વિચારમાં શક્તિ છે. સવિચારનું એક કિરણ જીવનમાં જ્યોત જગાવી દે છે. અનેક કાળના અજ્ઞાન અને મોહના તિમિરને તે વિખેરી નાખે છે. જીવનના ગૂંચવાયેલા કોકડાને તે ઉકેલી દે છે અને પ્રત્યેક કાર્યના પરિણામ સુધી પહોંચવાની દિવ્ય શક્તિ સમર્પો છે. જે પરથી ક્રિયાના મૂળકારણ અને પરિણામ સુધી દષ્ટિ પહોંચે તે વિચાર કહેવાય.
પણ આવો ઊંડો વિચાર અનુભવી જનોના પ્રગટદ્યોતન વિના પ્રાપ્ય નથી. આથી જ આપ્તપુરુષોનાં વચનો કે સત્સંગ તેમાં કારણભૂત બતાવ્યાં છે. આપ્તપુરુષ એટલે નિખાલસતા, નિઃસ્પૃહતા અને સત્યની સાક્ષાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org