Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 461
________________ પરિશિષ્ટ-૧ ૩૯૯ | હેતુપુરઃસર યોજાયા હોય છે. માત્ર હેતુને યથાર્થ સમજીને તે નિયમોનું પાલન કરવું ઘટે, તે એની મર્યાદા છે. વિષયોનું ધ્યાન સાધકને જે નુકસાન કરે છે, તે વર્ષાઋતુનો વિહાર નથી કરતો. વર્ષાઋતુના વિહારમાં જે દોષો છે તેના કરતાં વિષયોના ધ્યાનમાં વધુ છે તે દષ્ટિએ વિહાર ક્ષમ્ય છે અને અહીં તો ત્યાં સુધી સૂચવ્યું છે કે આહારનો સર્વથા ત્યાગ કરી જીવન ટુંકાવવું એ યોગ્ય છે પણ અબ્રહ્મચર્યનું સેવન કરવું યોગ્ય નથી. અબ્રહ્મચર્યમાં આત્મઘાત છે. શરીરઘાત કરતાં આત્મઘાત વધુ ભયંકર છે. આથી સાધકને બીજાં બધાં વ્રતોમાં અશક્ય-પરિહારને સ્થાન આપી મર્યાદાપૂરતા અપવાદનું સ્થાન રખાયું છે પણ બ્રહ્મચર્યવ્રતમાં તેમ નથી કર્યું. મન, વાણી અને કાયાનો અવ્યભિચાર એ બ્રહ્મચર્યની સર્વાગસાધના. (ઉદ્દેશક ૫, સૂત્ર ૧) સાચી સમજનું ફળ–પરિણામ વૈરાગ્ય, ત્યાગ અને નિરાસક્તિમાં પરિણમે છે. એ સિદ્ધાંત જેટલો નક્કર છે, એટલો જ સાચી સમજ શ્રદ્ધા પછી જ આવે છે, એ સિદ્ધાંત પણ નિશ્ચિત છે. અહીં જળાશયનું દષ્ટાંત આપ્યું છે, તેની પાછળ ઘણા હેતુઓ છે. તેને વપરાયેલું એકે એક વિશેષણ પણ તેટલું જ સહેતુક છે. દા. ત. જળાશયમાં પવિત્રતા છે. પણ તેની પવિત્રતા બીજાથી અભડાઈ જાય એવી કૃત્રિમ નથી. સાચી પવિત્રતા પોતે પવિત્ર રહે છે અને બીજા મળને પણ પવિત્ર બનાવી શકે છે. આ વાત મનનીય છે. જળાશયમાં જે મીઠાશ છે તે માત્ર દેખવા પૂરતી નથી, હજારો તૃષાતુરની તૃષા છુપાવે તેવી તેનામાં દિવ્ય શક્તિ છે."સમભૂમિમાં રહેલું જળાશય" એવું જળાશયનું જેવિશેષણ વપરાયું છે એમાં એ ભાવ છે કે, જળાશય પોતે બીજી બધી સ્થળ ભૂમિ એટલે કે પોતાથી વિજાતીય ભૂમિની વચ્ચે હોવા છતાં પોતાની ચારે કાંઠાની મર્યાદા જાળવીને ગેલ કરી રહ્યો છે, એટલું જ નહિ બલકે પોતે પોતાના સ્વરૂપમાં–નિર્મળતામાં મસ્ત રહીને મોજ માણી રહ્યો છે, એમ સૂચવે છે. આટલું જાળવવા છતાંયે બહારનું આક્રમણ આવે તો તેને જીતવાની તેનામાં ગંભીર છતાં અમોઘ શક્તિ છે. બહારની વિજાતીય ભૂમિની રજ આવે તો તેના પર પોતે વિજય મેળવી તેને નીચે દબાવી નિર્મળતામાં ઊલટી વૃદ્ધિ કરે છે. જુઓ– જળાશયની આસપાસ બીજી બધી સ્થળભૂમી હોવા છતાં તેના પ્રત્યે દ્વેષ કે ઘણા નહિ બલકે કેટલું અને કેવું ઔદાર્ય રાખે છે? અનેક દશ્યો પાસે હોવા છતાં પણ એ કેટલો નિરાસક્ત અને સ્વરૂપમગ્ન છે? આટલી યોગ્યતા છતાંયે એ કેટલો જાગૃત છે? પણ આ બધું તેના આત્મવિશ્વાસ પછી જ તેનામાં આવ્યું છે એ વાત ભૂલી જવી ન જોઈએ. બીજાની સાથે વસવા છતાં કે બીજાને અવકાશ આપવા છતાં, "જે કંઈ મારું છે તે કોઈ છીનવી લેવાનું નથી અને છીનવી લેવા જેવું હશે તો મારું નથી. તો પછી ચિંતા શી?" એટલી પ્રતીતિ થયા પછી જ આ યોગ્યતા પ્રગટે છે. જળાશયની જેમ વિવેકી, જાગ્રત અને આરંભ ક્રિયાથી પર થયેલા મહર્ષિ પુરુષો પણ એવી જ સહજ ઉદારતા, સહજ નિરાસક્તિ અને સ્વરૂપમગ્નતા રાખી શકે છે. હજારો પાતકીઓ તેની જ્ઞાનગંગામાં પવિત્ર થઈ શકે છે. તે લોકો જગતની દષ્ટિએ અધમ, નીચ, નાસ્તિક, પાપી કે મિથ્યાત્વી દેખાતા હોય તે પણ તેમના દષ્ટિબિંદુમાં એવા નથી દેખાતા. એમને મન તો કાંચન અને લોષ્ઠ બન્ને સમાન હોય છે, એમની દષ્ટિ એમાનાં એક પર લોભાતી કે ખેંચાતી નથી. એકાંત એમને અતિપ્રિય હોય, તોયે જનતાનો ખળભળાટ તેમને ખળભળાવતો નથી. હજારો જનો એમના જ્ઞાનની મીઠાશ ચાખી શકે એટલા તે જ્ઞાનના ભંડાર હોય છે. છતાંયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512