Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ર૯૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
સૂત્રમાં પાત્ર શબ્દ જાતિવાચક હોવાથી તેમજ બહુવચનમાં હોવાથી કેવળ એક પાત્ર હોવાનો અર્થ કરવો યોગ્ય નથી પરંતુ અનેક પાત્ર અને તદ્વિષયક સર્વ સામગ્રી તેમાં આવી જાય છે. તરૂ i fમgષ્ણ નો પર્વ ભવ- વલ્થ વત્થ નાફસ્સામ - આ સૂત્રમાં વસ્ત્ર, પાત્રાદિ રૂ૫ બાહા ઉપધિ અને રાગદ્વેષ, મોહ તેમજ આસક્તિ આદિ આવ્યંતર ઉપધિથી વિમોક્ષની સાધના દષ્ટિએ વિશિષ્ટ વસ્ત્રાભિગ્રહધારી શ્રમણના વિષયમાં પ્રતિપાદન કર્યું છે કે તે ભિક્ષુ ત્રણ વસ્ત્ર અને પાત્ર સિવાયની અન્ય ઔપગ્રાહિક દંડ પુસ્તક વગેરે ઉપધિ રાખતા નથી પરંતુ ઔધિક ઉપધિ, મુખ વસ્ત્રિકા, રજોહરણ, ગોશ્કગ વગેરે સર્વ સાધારણ ઉપકરણો જ રાખે છે. જે મુનિએ આ કલ્પત્રયની પ્રતિજ્ઞા કરી છે, તે મુનિ ઠંડી આદિના પરીષહ આવવા પર પણ ચોથા વસ્ત્રને લેવાની ઈચ્છા કરતા નથી. જો તેની પાસે પ્રતિજ્ઞાથી વસ્ત્ર ઓછા થઈ જાય તો પણ તે મર્યાદિત સમય સુધી બીજા વસ્ત્ર લઈ શક્તા નથી. સહાપરિદિયા, મહેસાણાડું :- આ વસ્ત્ર પ્રતિજ્ઞા સાથે શાસ્ત્રકાર અનાગ્રહ વૃત્તિનું પણ સૂચન કરે છે. એષણીય-કલ્પનીય વસ્ત્ર જ્યાં જેવું મળે ત્યાંથી તે લઈને ધારણ કરે, વસ્ત્ર અંગે કોઈ વિશેષ પ્રકારનો આગ્રહ કે સંકલ્પ રાખે નહીં. મળેલા તે વસ્ત્રને ફાડીને નાનું ન કરે કે ટૂકડા જોડીને મોટું ન કરે, તેને ધોવે નહિ અને રંગે નહિ. આ કથન એટલા માટે છે કે તે અભિગ્રહધારી શ્રમણને વસ્ત્ર સંબંધી કોઈ પ્રક્રિયા કરવાની હોતી નથી. સ્થવિરકલ્પી સામાન્ય મુનિ માટે કારણ વિશેષને લઈને વસ્ત્ર ધોવાનું વિધાન છે પરંતુ વિભૂષા તેમજ સૌન્દર્યની દષ્ટિએ, શૃંગાર, શોભા શણગારની ભાવનાથી તેઓને પણ વસ્ત્રને ગ્રહણ કરવાની, પહેરવાની, ધોવાની મનાઈ છે. વસ્ત્ર સંબંધી વિશિષ્ટ અભિગ્રહધારી ગચ્છવાસી સાધુ, ભિક્ષપડિમાધારી સાધુ અને જિનકલ્પી સાધુ આ સર્વ વિશિષ્ટ સાધકોને તો વિભૂષા સિવાય પણ વસ્ત્ર ધોવા, આદિની કોઈ પ્રકારની ક્રિયા કરવાની કલ્પતી નથી.તે સાધકો જીર્ણ થાય ત્યાં સુધી તે વસ્ત્રાદિ ઉપકરણોને ધારણ કરે છે અને જ્યારે ઉપયોગી ન રહે ત્યારે પરઠી દે છે. જે ધોળા નો રફળ :- વિશેષરૂપે કર્મ નિર્જરાની સાધના માટે જ ભિક્ષુ ઊણોદરી તપરૂપમાં વસ્ત્રાભિગ્રહને ધારણ કરે છે. આ પ્રકારના દરેક અભિગ્રહધારી, પડિમાધારી સાધકોને શરીર લક્ષી કે ઉપકરણલક્ષી કોઈ પણ પ્રક્રિયા હોતી નથી. અહીં ધોવાની સાથે રંગવાનું કથન સહજ રૂપથી છે જે ધોવાની પ્રક્રિયામાં જ સમાવિષ્ટ છે. ધોયા પછી તેની સફેદાઈ માટે ગળી વગેરે પદાર્થોનો ઉપયોગ થાય છે. તેનું જ અહીં રંગવું શબ્દથી કથન કર્યું છે. અપતિસંવમાં મતનુ :- આ શબ્દનો અર્થ છે તે વસ્ત્રાદિ ઉપકરણોને ન છૂપાવતાં. તાત્પર્ય એ છે કે ત્રણ વસ્ત્ર(પછેડી)ના અભિગ્રહધારી મુનિ તે વસ્ત્રો પ્રતિ મમત્વ મૂચ્છ ભાવ ન રાખે. તે વસ્ત્રોને કોઈ લઈ ન જાય, ચોરી ન જાય એવો ભય પણ ન રાખે તથા મારે સમયમર્યાદા સુધી બીજા વસ્ત્રની યાચના કરવાની નથી માટે એ વસ્ત્રોને બહુ સંભાળીને રાખવાના છે, એવો મમત્વ ભાવ ન રાખતાં નિફિકર થઈને રહે. કોઈ પ્રકારના સંકલ્પોથી તે વસ્ત્રોને છુપાવી છુપાવીને ન રાખે. વિહારના પ્રસંગે
ક્યારેક સ્મશાન આદિ સ્થાનોમાં રહેવાનું થાય કે શુન્ય જંગલમાંથી પસાર થવાનું હોય તોપણ તે વસ્ત્રો પ્રતિ મુચ્છ ભાવ ન રાખે કારણ કે અભિગ્રહ ધારણ કરનાર તે સાધક તો અચેલ થઈ જાય ત્યાં સુધીની હિંમત સાથે જ પ્રતિજ્ઞા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org