Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
*
જોઈએ. ) —એમ ભગવાને કહ્યું છે.
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ॥
વિવેચન :
આ ઉદ્દેશકની ૧૪ ગાથાઓમાં એક જ વિષયનું વર્ણન છે કે ભગવાને સાધના કાળમાં વિશેષ કર્મક્ષય કરવા માટે લાડ દેશમાં વિચરણ કર્યું હતું અને ત્યાં અનાર્ય લોકોના વિવિધ પ્રકારના કષ્ટ, ઉપસર્ગો સહન કર્યા હતા. તે બધી ઘટનાઓનું ચિત્ર આ ઉદ્દેશકમાં ચિત્રિત કર્યું છે. આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે ભગવાન એવું ચિંતન કરતા હતા કે હજુ મારે ઘણાં કર્મોની નિર્જરા કરવાની છે. લાઢ દેશમાં જવું મારા માટે ઉચિત છે કારણ કે ત્યાંના લોકો અનાર્ય છે, કર્મ નિર્જરાનાં કારણો ત્યાં વધારે ઉપલબ્ધ થશે. આવો વિચાર કરીને ભગવાને લાત દેશ તરફ વિહાર કર્યો.
લાઢ દેશ ક્યાં અને દુર્ગમ—દુચર શા માટે ? ઐતિહાસિક સંશોધનથી જાણવા મળે છે કે વર્તમાનના વીરભૂમ, સિંહભૂમ તેમજ માનભૂમ (ધનબાદાદિ) જિલ્લો તથા પશ્ચિમ બંગાળનું તમણૂક, મિદનાપુર, હુગલી તથા બર્દવાન જિલ્લાનો ભાગ લાઢ દેશરૂપે પ્રખ્યાત હશે તેમ માનવામાં આવે છે.
લાઢદેશ પર્વતો, ઝાડીઓ અને સઘન જંગલોના કારણે ઘણો જ દુર્ગમ હતો. તે દેશમાં ઘાસ ઘણું થતું હતું. ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલ હોવાના કારણે ત્યાં ઠંડી અને ગરમી વધારે હતી. તે સિવાય ચોમાસામાં પાણી વધારે હોવાથી ત્યાં કીચડ થઈ જતો. જેથી ડાંસ, મચ્છર, ઈતડી આદિ અનેક જીવજંતુઓનો ઉપદ્રવ રહેતો હતો. લાઢ દેશની વભૂમિ અને શુદ્ધભૂમિ નામના જનપદોમાં નગર ઘણા ઓછાં હતાં. ગામમાં વસ્તી પણ ઘણી ઓછી હતી.
Jain Education International
ત્યાંના લોકો અનાર્ય, ક્રૂર અને અસભ્ય હતા. સાધુઓ અને તેમાં પણ નગ્ન સાધુઓથી અપરિચિત હોવાના કારણે તેઓ સાધુને જોતા જ તેના ઉપર તૂટી પડતા હતા. કોઈ કુતૂહલવશ અને કોઈ જિજ્ઞાસાના કારણે એક સાથે કેટલાય પ્રશ્નો પૂછતા હતા પરંતુ ભગવાન તરફથી એક પણ જવાબ ન મળતાં, તેઓ ઉશ્કેરાઈ, શંકાશીલ બની તેમને મારવા લાગતા હતા. ભગવાનને નગ્ન જોઈને કેટલીક વાર ગામના લોકો ગામમાં પ્રવેશ કરવા ન દેતા. ભગવાનને વિશેષ તો શૂન્યઘરોમાં, ખંડેરોમાં, ખુલ્લા છાપરા નીચે કે વૃક્ષ નીચે, વન અથવા સ્મશાનમાં જ રહેવાનું મળતું હતું. ત્યાંની જગ્યા પણ ઊંચી–નીચી, ખાડા–ટેકરા– વાળી, ધૂળ, માટી તેમજ છાણવાળી હતી.
લાઢ દેશમાં તલ થતા ન હતા, ગાયો પણ ઘણી ઓછી હતી તેથી ઘી, તેલ મળવા મુશ્કેલ હતા. ત્યાંના લોકો લૂખું-સૂકું ખાતા હતા તેથી તેઓ સ્વભાવથી રૂા વૃત્તિવાળા હતા. વાતવાતમાં ઉશ્કેરાઈ જવું, ગાળો દેવી કે ઝઘડા કરવા તે તેઓનો સ્વભાવ હતો. ભગવાનને આહાર પણ ઘણું કરીને લૂખો–સૂકો મળતો હતો.
ત્યાં સિંહાદિ વન્ય હિંસક પ્રાણીઓ કે સર્પાદિ ઝેરીલા જીવોનો ઉપદ્રવ હતો કે નહિ આ વિષયમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org