Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૩૭૪ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પૂર્વકની વાતો કહી સાધકને સાવધાન કર્યા છે. સાધકનું જીવન, જાગૃતિનું જીવન છે. તેણે પરિચિત સ્થાનોથી દૂર થઈ લોક સંજ્ઞામાં ખેંચાઈ ન જવાય માટે પ્રતિક્ષણ સતર્ક રહેવું આવશ્યક છે.
ધ્યેયને સામે રાખીને જે ક્રિયા થાય છે તેની અસર જીવન પર જરૂર પડે છે. ગૃહસ્થાશ્રમ અને ગૃહત્યાગાશ્રમ આ બંને અવસ્થામાં પ્રભુએ પોતાના ધ્યેયને છોડ્યું નથી. વિહારચર્યાના ક્ષેત્ર કે સ્થાનો ગમે તેવા દુર્ગમ, દુરાશ્રયી હોય, સમય, કાળ ગમે તેવો કઠિન હોય, બાહ્ય સંજોગો અનેક પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાયેલા હોય તેમજ આહાર–પાણીની રૂક્ષતા હોય તોપણ પ્રભુના જીવનમાં સમતા અને સહજતા હતી. બે દિવસથી લઈને છ માસ સુધીની તપશ્ચર્યામાં પણ તેઓ આળસ, પ્રમાદથી દૂર રહી સ્વાધ્યાય, ધ્યાનમાં જ લીન બની સમય પસાર કરતા હતા. અલ્પનિદ્રા, તપશ્ચર્યા, કષ્ટ સહિષ્ણુતાના અમોઘ શસ્ત્રો દ્વારા તેઓએ માનવની સહજવૃત્તિ ઉપર વિજય મેળવી સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. આવા શસ્ત્રોના માધ્યમે જ પૂર્વાધ્યાસને અને પૂર્વ સંસ્કારોને જડમૂળથી નષ્ટ કરી ચિદાનંદની અનુભૂતિ કરી, તેમજ આત્માની સહજતા, શુદ્ધતા પ્રાપ્ત કરી. તે સાથે સહુને આ રીતે સાધના કરવાનો માર્ગ પ્રશસ્ત કરી ગયા. મોક્ષાર્થી સાધકોએ આ ઉપધાન શ્રુત અધ્યયનરૂપ પ્રભુના સાધના જીવનની ઝાંખીનું ચિંતન મનન અને પ્રેક્ષણ કરીને અનંત ભવોના અનંત પરિભ્રમણનો અંત કરવા, વિવેકનો દીપક લઈ લોકના સારભૂત અપ્રમત્ત સંયત અવસ્થાને પ્રાપ્ત કરી, તેની સાથે સાંયોગિક સંબંધ રહેતાં કર્મોનો નાશ કરી, આત્માને તેનાથી વિમુક્ત કરી, પ્રભુ મહાવીરની જેમ પોતાના સ્વભાવની ઉપધાનતાને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો જોઈએ. એ જ આ અધ્યયનનો આદ્ય અને અંતિમ ઘોષ છે.
I અધ્યયન-૯/૪ સંપૂર્ણ II
આચારાંગ સૂગ પ્રથમ ગ્રુતસ્કંધ - સમાપ્ત
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org