Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૩s
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
નવમું અધ્યયન પરિચય @ 999 2022 2022999 2028 229 2
આ અધ્યયનનું નામ 'ઉપધાનત' છે.
ઉપધાનનો સામાન્ય અર્થ થાય છે–શય્યા આદિ પર સુખે સૂવા માટે મસ્તક નીચે કે બાજુમાં આધાર માટે રખાતો તકિયો, પરંતુ આ દ્રવ્ય ઉપધાન છે.
ભાવ-ઉપધાન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે. ચારિત્ર પરિણત ભાવને સુરક્ષિત રાખવા માટે જે આધારભૂત છે અને તેનાથી સાધકને અત્યંત સુખ-શાંતિ તેમજ આનંદની અનુભૂતિ થાય છે. તેથી રત્નત્રય એ જ સાધકના શાશ્વત સુખદાયક ઉપધાન છે.
ઉપધાનનો અર્થ ઉપધૂનન પણ કરાય છે. જેમ મેલા વસ્ત્રો પાણી આદિ દ્રવ્યોથી ધોઈને શુદ્ધ કરાય છે, ત્યાં પાણી આદિ દ્રવ્ય ઉપધાન છે, તેમ આત્મા પર લાગેલો કર્મ મેલ બાહ્ય અને આત્યંતર તપથી દૂર થઈ જાય છે, નાશ પામે છે, આત્મા શુદ્ધ બની જાય છે. તેથી કર્મમલિનતાને દૂર કરવા માટે અહીં ઉપધાનનો અર્થ 'તપ' છે.
ઉપધાનની સાથે શ્રુત શબ્દ જોડાયેલો છે, તેનો અર્થ છેસાંભળેલું. તેથી *ઉપધાન શ્રુત' એટલે દીર્ધ તપસ્વી ભગવાન મહાવીરના તપોનિષ્ઠ જ્ઞાન, દર્શન, ચારિત્ર સાધના રૂપ જીવનનું તેઓના શ્રીમુખેથી સાંભળેલું વર્ણન.
આ અધ્યયનમાં ભગવાન મહાવીરની દીક્ષાથી લઈને કેવળજ્ઞાન પ્રાપ્તિ પહેલાના જીવનની મુખ્ય ઘટનાઓનો ઉલ્લેખ છે.
આ અધ્યયનના ચારે ય ઉદ્દેશકોમાં પ્રભુ મહાવીરના તપોનિષ્ઠ જીવનની સુંદર ઝલક છે. તે આ પ્રમાણે છે
પ્રથમ ઉદ્દેશકમાં સંયમ ગ્રહણ પૂર્વેનું આચરણ, સંયમ ગ્રહણ કર્યા પછીની સાધના અને ધર્મ સંબંધી સિદ્ધાંત, સમિતિ-ગુપ્તિના પાલનની વિધિ અને દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ અને તેનું વ્યુત્સર્જન અર્થાત્ છોડવાનું વર્ણન છે.
બીજા ઉદ્દેશકમાં સંયમના વિચરણ કાળમાં નિવાસ કરવાના મકાનો, શય્યાઓનું તથા તેમાં થનારા કષ્ટો અને ઉપસર્ગોનું તેમજ ભગવાનની સહનશીલતાનું વર્ણન છે.
ત્રીજા ઉદ્દેશકમાં ભગવાનના અનાર્યક્ષેત્રમાં વિચરણનું, અનાર્ય લોકો દ્વારા અપાયેલા ઘોર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org