Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સમ્યકત્વ અધ્ય-૪, ઉઃ ૪
.
[ ૧૬૧ |
ઉલ્લંઘન કરી શકતા નથી, તતિ = મોહાંધકારમાં, ડૂબી જાય છે, વનાળો = અજાણ થઈને, આગાપ = તેઓને આજ્ઞાનો, સંબો ઇસ્થિ = લાભ થતો નથી, આરાધના થતી નથી, નટ્સ = જેને, પુરા = પહેલાં, પ્રારંભમાં, પૂર્વભવમાં, Oિ = બોધિનો લાભ થયો નથી, આરાધના નથી, પછી = પછી, અંતમાં, આગામી ભવમાં, તક્ષક તેને, મત્તે = વચ્ચે, વર્તમાન ભવમાં, જૂઓ સિયા = ક્યાંથી થઈ શકે?
ભાવાર્થ :- નેત્રાદિ ઈન્દ્રિયો પર નિયંત્રણ–સંયમનો અભ્યાસ કરતાં પણ મોહાદિ ઉદયવશ બાલજીવ ઈન્દ્રિય વિષયોમાં અને હિંસાદિ પાપોમાં આસક્ત થઇ જાય છે, તે કર્મ બંધનોને તોડી શકતા નથી. (શરીર તથા પરિવારાદિના) સંયોગોને છોડી શકતા નથી. તે આત્મહિતને નહીં સમજતાં મોહાંધકારમાં ડૂબી જાય છે. તે સાધકને તીર્થકરોની આજ્ઞા પાલનનો લાભ પ્રાપ્ત થતો નથી અર્થાત્ તે સાધક જિનાજ્ઞાના આરાધક થઈ શકતા નથી.
પૂર્વોક્ત જિનાજ્ઞાની આરાધના જેના સંયમી જીવનના પ્રારંભમાં પણ નથી અને અંતિમ જીવનમાં પણ નથી, તો પછી વચ્ચેના સમયમાં હોવી સંભવિત નથી.
વિવેચન :
આવાયપિ :- 'આદાન' શબ્દથી અહીં હિંસાદિ સમસ્ત પાપોનું ગ્રહણ કર્યું છે અને શ્રોત શબ્દથી પાંચે ય ઇન્દ્રિયના વિષયોને ગ્રહણ કર્યા છે. આ પ્રકારે સમસ્ત આસવદ્વારોને આદાનશ્રોત શબ્દથી કહ્યા છે. એવા આશ્રવ સ્થાનોમાં લીન રહેનારા લોકો સબુદ્ધિ કે સસંયોગના અભાવે ક્યારે ય સંસારના સંયોગોનો ત્યાગ કરી શકતા નથી, બંધનોથી મુક્ત થઈ શકતા નથી અથવા જે સાધક આ આશ્રવનું સેવન કરતા થઈ જાય તે પણ પૌગલિક સંયોગોની આસક્તિને પાર પામી શકતા નથી અને કર્મબંધનથી છૂટી શકતા નથી. સંયમી હોવા છતાં આવા સાધકોને ભગવદ્ આજ્ઞાની આરાધનાનો લાભ મળી શકતો નથી.
નિસ 0િ પુરા પછી, તલ વાઓ સિવ - આ સૂત્રની વ્યાખ્યા સુખ, વિષયાસક્તિ, સમકિત આદિ વિષયોને લક્ષ્ય કરીને અનેક રીતે કરવામાં આવી છે, તેમાં મુખ્ય આ પ્રમાણે છે
(૧) જેના જીવનમાં પ્રારંભમાં કે અંતમાં પ્રભુ આજ્ઞાની, સંયમની આરાધના નથી તો મધ્યમાં આજ્ઞાની આરાધના કરી ન કરી સમાન છે. જો સાધક સંયમનું પાલન કર્યા પછી વિષયોમાં ફસાઈ જાય તો તે સંયમ પાલન નિરર્થક છે. એટલે કે જેનું પ્રારંભિક જીવન અને અંતિમ જીવન સફળ આરાધના યુક્ત નથી તો મધ્યમાં સાર્થક આરાધના થતી નથી તેથી સાધકે પ્રારંભથી જ જિતેન્દ્રિય થઈ પાપ ત્યાગમાં સાવધાન રહેવું જોઈએ અને અંત સુધી પણ તે જ સાવધાનીથી સંયમ તપની આરાધના કરવી જોઈએ.
પ્રારંભ બગડે તો વિકાસની આશા નથી અને અંત બગડે તો કરેલા કાર્યની સફળતાના લાભથી વંચિત રહેવું પડે છે તેથી આદિ અને અંતને સુધારવાનું લક્ષ્ય રાખવું જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org