Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોકસાર અધ્ય-૫, ઉ : ૨
[ ૧૭૫ ]
विप्पणोल्लए । एस समियापरियाए वियाहिए । શબ્દાર્થ :- અારંભનવી = અનારંભ જીવી, આરંભત્યાગી, પશુ વેવ = ગૃહસ્થના ઘરેથી નિર્દોષ આહાર લાવીને, અગારંભળવી = નિરારંભી જીવન જીવે છે, ત્યાગી, પલ્યોવર = સાવદ્ય આરંભથી નિવૃત્ત, i = કર્મોને, ફોસના = ક્ષય કરતા, મયંક આ, સંથી તિ = અવસર છે, અજહૂ = દેખે, જોયેલ છે, ને ડુમસ = જે પુરુષ આ, વિદÍ = શરીરનો, અય = આ, હુને ત્તિ = ક્ષણ, અવસર છે એમ, કોલી = અન્વેષણ કરે, સદુપયોગ કરે, પણ મ= આ માર્ગ, આરિપટ્ટિપર્વરૂપ = આર્ય પુરુષોએ કહ્યો છે, તીર્થકરોએ બતાવ્યો છે, કૃ = ઊઠો, ઉદ્યત થાઓ, નો પાયા = પ્રમાદ ન કરો, પુડો = ભિન્ન-ભિન્ન, છલા = અભિપ્રાયો, મતો, ૬ = આ જગતમાં, માવા = મનુષ્યોના, પડ્યું = કહેલ છે, તે = તે, વિદરમાણે = હિંસા ન કરનાર, ગણવયના = ખોટું ન બોલનાર, પુદ્દો = સ્પર્શ થતા, તે = પરિષહોને, દુઃખોને, વિષ્પગોપ(વિપyવણE) = નાના પ્રકારની ભાવનાઓ દ્વારા, સમભાવપૂર્વક સહન કરે, પણ = આ, સીમિયા પરિવાર = સમ્યફ પર્યાય યુક્ત, વિવાદિપ= કહેવાયેલા છે. ભાવાર્થ :- આ જગતમાં જે નિરારંભજીવી છે, તે હિંસાદિ આરંભ પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થોની વચ્ચે રહેવા છતાં અનારંભથી જીવે છે. આ સાવધ પ્રવૃત્તિથી નિવૃત્તિમાં સ્થિત અથવા અહંતુ શાસનમાં સ્થિત અપ્રમત્ત મુનિ 'આ મનુષ્ય જન્મ સંધિ—ઉત્તમ અવસર છે' એમ જાણીને કર્મક્ષયમાં લાગી જાય. આ ઔદારિક શરીરની વર્તમાન ક્ષણ અમૂલ્ય અવસર છે, આ રીતે જાણીને ક્ષણાન્વેષી બને. એક–એક ક્ષણનું અન્વેષણ કરે, પ્રત્યેક ક્ષણનું મહત્ત્વ સમજે, તેનો સદુપયોગ કરે. આ અપ્રમાદનો માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે.
મોક્ષની સાધના માટે સાધકોએ સદા ઉધત રહેવું જોઈએ પરંતુ ક્યારે ય પ્રમાદ કરવો જોઈએ નહિ. દરેકના દુઃખ અને સુખ પોત-પોતાના હોય છે, આ જાણીને પ્રમાદ કરે નહિ. આ જગતમાં મનુષ્યોના અભિપ્રાય ભિન્ન-ભિન્ન હોય છે તેથી તેનાં દુઃખ પણ ભિન્ન-ભિન્ન હોય છે, એમ તીર્થકરોએ કહ્યું છે, તેથી અનારંભજીવી સાધક કોઈ પણ જીવની હિંસા નહિ કરતાં, અસત્ય નહિ બોલતાં, તેમજ સમસ્ત મહાવ્રતોનું પાલન કરતાં પરીષહ ઉપસર્ગજન્ય દુઃખ આવે તો તેને સમભાવપૂર્વક સહન કરે. આવા અહિંસક સહિષ્ણુ અને ઉત્તમ ચારિત્ર સંપન્ન સાધકની સંયમ પર્યાય સમ્યક કહેવાય છે.
વિવેચન :
સાધુજીવનમાં આરંભ અને અનારંભ :- સાધુ ગૃહસ્થાશ્રમના બાહ્ય આરંભથી બિલકુલ દૂર રહે છે. પરંતુ સાધના જીવનમાં દૈનિકચર્યા દરમ્યાન કેટલા ય આરંભ પ્રમાદવશ થઈ જાય છે. તે પ્રમાદને અહીં આરંભ કહેલ છે
आदाणे निक्खेवे, भासुस्सग्गे य ठाण-गमणाई । सव्वो पमत्तजोगो, समणस्सऽवि होइ आरंभो ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org