Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ધૂત અધ્ય-૬, ઉ : ૪
| ૨૫૩ ]
ભાવાર્થ :- કેટલાક સાધક પરીષહોથી આક્રાન્ત થતાં સુખપૂર્વક જીવન જીવવા માટે સંયમ અને સંયમી વેશથી નિવૃત્ત થઈ જાય છે–સંયમ છોડી દે છે. તેમનું ગ્રહવાસથી નિષ્ક્રમણ પણ દુર્નિક્રમણ થઈ જાય છે. સાધારણ અજ્ઞાનીજનો દ્વારા પણ તેઓ નિંદનીય બની જાય છે તથા ફરી ફરી જન્મધારણ કરે છે.
તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રથી નીચે ઊતરી ગયા હોવા છતાં પોતાની જાતને વિદ્વાન માનીને હું જ સર્વાધિક વિદ્વાન છું, આ રીતે પોતાની શ્રેષ્ઠતા બતાવે છે અને જે સાધક સંસારથી ઉદાસીન રહીને નિર્મળ સાધના કરે છે તેઓના પૂર્વજીવનના દોષોને લઈને કે તેની અંગ વિકલતાને લઈને નિંદા કરે છે, તેઓને કઠોર વચન સંભળાવે છે અથવા અસત્ય આરોપણ કરી તેઓને બદનામ કરે છે. બુદ્ધિમાન મુનિ આ સર્વને બાલજીવોની ચેણ સમજીને પોતાના શ્રુત ચારિત્રરૂપ મુનિધર્મને સારી રીતે જાણે, ઓળખે અને પાલન કરે.
વિવેચન :
આ સૂત્રમાં સંયમ પતિત શિથિલાચારી સાધકની પીઠ પ્રવૃત્તિનું કથન કર્યું છે. પુ ને શિયતિ :- કોઈ એક સાધક શ્રદ્ધાભ્રષ્ટ થવાથી સંયમ જીવનને નષ્ટ કરી દે છે અને કોઈ પરીષહ ઉપસર્ગ આવતાં જ કાયર બનીને સુખ સુવિધાપૂર્ણ અસંયમી જીવન માટે સંયમ આચારને છોડી
અ સંવંતા વિદાયHIT :- સાધક સંયમ સ્થાનોથી નીચે ઊતરતા જાય છે. પોતે અલ્પજ્ઞાની હોવા છતાં 'અમે વિદ્વાન છીએ' તેવી ખોટી પ્રશંસા કરતા રહે છે. હું બહુશ્રુત છું. આચાર્યને જેટલું શાસ્ત્રજ્ઞાન છે તેટલું તો મેં થોડા સમયમાં જ ભણી લીધું હતું. તેની અભિમાનપૂર્વકની વાત સાંભળીને જો કોઈ સાધક મૌન રહે અથવા તો તેની હા માં હા કરે નહિ અથવા (૨) બહુશ્રુત હોવાના કારણે રાગદ્વેષ અને અશાંતિથી દૂર રહે તો તેઓને પણ કઠોર શબ્દો કહે છે. કોઈ તેની ભૂલને બતાવે કે ઈશારો કરે ત્યાં તો વિશેષ ક્રોધિત થાય છે અને કહે છે કે પહેલાં તમારા કર્તવ્ય, અકર્તવ્યને જાણો પછી બીજાને ઉપદેશ આપો. પત્તિયું પત્ય અકુવા પત્થ મતહિં - સંયમ પતિત વક્રાચારી સાધક કઈ રીતે હીલના કરે છે, તે આ સૂત્રાશમાં બતાવવામાં આવ્યું છે. જે સંયમવાન મુનિ વિષયોથી, સુખોથી, ઉદાસીન છે તેનો અપકર્ષ અને હીલના કરે છે અને પોતાની મોટાઈ બતાવે છે. સંયમીની હીલના તે આ પ્રમાણે કરે છે– (૧) તે સાધુના પૂર્વાશ્રમનું કોઈ કર્મ કે દુષ્ટ આચરણને યાદ કરાવીને કહે કે- તું તો તે જ ઝગડાખોર છે ને? તું તે જ ચોર છે ને? (૨) તેના કોઈ એક અંગની વિકલતાને લઈને મોટું મરડવું આદિ ચેષ્ટાઓ કરતાં અવજ્ઞા કરે (૩) અસત્ય મનોકલ્પિત આક્ષેપો દ્વારા અવજ્ઞા કરે. હિતશિક્ષા પ્રતિ અવિનીતતા :| ४ अहम्मट्ठी तुमं सि णाम बाले आरंभट्ठी अणुवयमाणे, हणमाणे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org