Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોકસાર અધ્ય-૫, : ૨
| ૧૭૯ |
ભાવાર્થ :- આ જગતમાં જેટલાં પ્રાણી પરિગ્રહવાન છે, તેઓ તે પરિગ્રહ થોડો હોય કે ઘણો, સૂક્ષ્મ કે સ્થૂલ હોય, સચિત્ત હોય કે અચિત્ત તેને મમત્વ પૂર્વક ગ્રહણ કરે છે. તેઓ તે વસ્તુમાં મમતા રાખે છે તેથી પરિગ્રહવાન છે. આ પરિગ્રહ જ કેટલાક પરિગ્રહીઓના માટે મહાભયનું કારણ બને છે અને કોઈને મહા દુઃખદાયી પણ બની જાય છે. સાધકો ! અસંયમી-પરિગ્રહી લોકોના વિત્ત-ધનને અથવા લોકસંજ્ઞાને જુઓ. આ સર્વ પરિગ્રહ વૃત્તિરૂપ લોકસંજ્ઞા કર્મબંધનું કારણ છે, તેમ તે લોકો સમજી શકતા નથી.
પરિગ્રહ મહાભયનું કારણ છે એ સર્વજ્ઞોએ સારી રીતે કહેલ છે, પ્રતિષ્ઠિત કરેલ છે અને સારી રીતે પુષ્ટ કરેલ છે. એ જાણીને તે પુરુષ ! પરમચક્ષુવાન મોક્ષદષ્ટા થઈને સંયમમાં પરાક્રમ કરો. આ રીતે વીતરાગ માર્ગમાં સમ્યક પુરુષાર્થ કરનારા જ વાસ્તવિક બ્રહ્મચર્યવાન અર્થાતુ સંયમી બને છે. વિવેચન :ત્તેિનું વેર વિરાણાવંતt:- આ સૂત્રનો ભાવાર્થ આ રીતે પણ થાય છે પરિગ્રહ થોડો હોય કે ઘણો; સૂક્ષ્મ હોય કે સ્થૂલ હોય; શિષ્ય, ભક્તાદિ રૂપ હોય કે પુસ્તક, પાત્ર, વસ્ત્રાદિ રૂપ હોય; અલ્પ મૂલ્યવાન હોય કે કિંમતી હોય; હળવો હોય કે ભારે હોય. આવા કોઈપણ પ્રકારના પદાર્થો પર મહાવ્રતધારી મુનિરાજની થોડી પણ આસક્તિ હોય તથા આહાર, શરીરાદિના પ્રત્યે જરા પણ મમતા હોય તો તે સાધકની ગણતરી પરિગ્રહીમાં થાય છે, તેથી તેણે અપ્રમત્તપણે સાવધાન રહેવું જોઈએ.
સિ મહંમદં ભવ:- આ વાક્યના બે પ્રકારે અર્થ થાય છે– (૧) પરિગ્રહ ધારણ કરનાર કેટલાક જીવોને પરિગ્રહ મહાન ભયકારી, પીડાકારી થઈ જાય છે. (૨) કેટલાક સંયમી સાધકોને પણ તે પરિગ્રહ દુઃખદાયી થઈ જાય છે કારણ કે તેઓએ અપરિગ્રહવ્રત ધારણ કર્યું હોવા છતાં પણ પોતાનાં ઉપકરણો કે શિષ્યાદિ પર મમતા રાખે છે. જેમ ગૃહસ્થના મનમાં પરિગ્રહના રક્ષણનો ભય રહે છે તેવી રીતે(સજીવ કે નિર્જીવ) પદાર્થો પ્રત્યે મમતા રાખનાર સાધકના મનમાં પણ સુરક્ષાનો ભય રહે છે. માટે પરિગ્રહને મહાભયરૂપ કહેલ છે. આ રીતે ગૃહસ્થ કે સંયમી સાધક તે બન્નેને માટે પરિગ્રહ દુઃખકારી, ભયકારી, પીડાકારી થાય છે તેથી સાધકો પરિગ્રહથી હંમેશાં દૂર રહે. તોલિનં :- આ શબ્દના બે અર્થ થાય છે– (૧) લોકવૃત્તિ- લોકોનું વ્યાવહારિક કષ્ટમય જીવન (૨) લોકસંજ્ઞા- લોકોની પરિગ્રહ વૃત્તિની સંજ્ઞા અથવા આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ લોકસંજ્ઞાને ભયરૂપ જાણીને તેની ઉપેક્ષા કરે, ત્યાગ કરે. પશુ વેવ નંબરં – બંભચેર શબ્દ સંયમના અર્થમાં પ્રયુક્ત છે તેથી આ વાક્યનો અર્થ છે કે સમ્યક પુરુષાર્થ કરનાર સાધકોમાં જ સંયમ હોય છે. બીજી રીતે આ સૂત્રનો અર્થ એમ સમજી શકાય કે પ્રાચીનકાળમાં સ્ત્રીને પણ પરિગ્રહ માનવામાં આવતી હતી તેથીજ પાર્શ્વનાથ ભગવાને ચાર યામરૂપ ધર્મની પ્રરૂપણા કરી હતી. તેઓએ બ્રહ્મચર્યવ્રતનો અપરિગ્રહવ્રતમાં સમાવેશ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org