Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
લોકસાર અધ્ય–૫, ૯ : ૩
નહેલ્થ મય્ સંધી શોક્ષિપ્ :– વૃત્તિકારે આ વાક્યના બે અર્થ કર્યા છે—– (૧) જેમ મેં મોક્ષના વિષયમાં
જ્ઞાનાદિ ત્રણેયની સમન્વિત સાધના કરી છે...
(૨) જેમ મેં મુમુક્ષુ બનીને જ્ઞાન, દર્શન, ચારિત્રાત્મક મોક્ષની પ્રાપ્તિ માટે સ્વયં દીર્ધ તપશ્ચર્યા કરીને આઠ પ્રકારનાં કર્મોની પરંપરાને ક્ષીણ કરી છે.
૧૮૩
તે યુગમાં કેટલાક દાર્શનિકો એકલા જ્ઞાનથી જ મોક્ષ માનતા હતા. કોઈ કર્મ(ક્રિયા)થી જ મુક્તિ કહેતા હતા અને કોઈ ભક્તિવાદી ફક્ત ભક્તિથી જ મોક્ષ પ્રાપ્તિ માનતા હતા પરંતુ તીર્થંકર મહાવીરે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણેની સમ્યગ્ સાધનાને મોક્ષ માર્ગ કહ્યો છે કારણ કે ભગવાને પોતે આ ત્રણેયની સાધના કરી હતી અને અતિ ગાઢ કર્મોને ખપાવવા આ ત્રણેયની સાથે દીર્ધ તપશ્ચર્યાઓ કરી હતી, તેથી જ સ્વાનુભવે કહ્યું છે કે જ્ઞાનાદિ રત્નત્રય જ મોક્ષમાર્ગ છે.
તન્હા નેમિ નો બિહવેન્દ્ર વીર્ય :- ભગવાન મહાવીરે દીર્ઘ તપશ્ચર્યા કરીને તથા પરીષહાદિને સમભાવપૂર્વક સહન કરીને પોતાના પૂર્વકૃત-કર્મોનો ક્ષય કર્યો અને જ્ઞાનાદિ રત્નત્રય પૂર્વક તપનો ઉપદેશ પોતાના શિષ્યોને આપ્યો છે કે હે સાધકો ! તમે પણ જ્ઞાનાદિ રત્નત્રયની સાધના કરવામાં પોતાની શક્તિને જરાય ગોપવો નહિ અને જ્ઞાનાદિની સાથે યથાશક્તિ તપની આરાધના કરો.
સાધકની ચડતી પડતી અવસ્થા ઃ
२ जे पुव्वुट्ठाई णो पच्छाणिवाई । जे पुव्वुट्ठाई पच्छाणिवाई | जे णो पुव्वुट्ठाई णो पच्छाणिवाई । से वि तारिसए सिया जे परिण्णाय लोगमण्णेयंति । एयं णियाय मुणिणा पवेइयं ।
=
શબ્દાર્થ :- ને - જે, પુવ્વકાર્ફ = પહેલાં સંયમ અંગીકાર કરે છે, ખો પ∞ાખિવાડું = પછી પતિત થતાં નથી, પાળિવાર્ફ = પછી પડિવાઈ થઈ જાય છે, ખો પુવ્વુડ્ડારૂં = પહેલાં ઉત્થાન કરતા નથી, નો પ∞ાળિવાર્ફ = પછી પતિત થતા નથી, સેવિ - તે પણ, તાક્ષિણ્ = તેવા જ, સિયા = છે, પરિગ્ગય = જાણીને, ત્યાગીને, લોન્જં = લોકને, અબ્દેસયંતિ = અન્વેષણ કરે છે, Ë = આ વિષયને, ખિયાય = કેવળ– જ્ઞાનથી જાણીને, મુળિળા = મુનિ દ્વારા, વેડ્યું = કહેલ છે.
ભાવાર્થ :- આ મુનિધર્મમાં પ્રવ્રુજિત થનાર મોક્ષમાર્ગના સાધક ત્રણ પ્રકારના હોય છે. (૧) જે પહેલાં ત્યાગમાર્ગને અંગીકાર કરે છે અને તે જ રીતે જીવનપર્યંત પાલન કરતા રહે છે, કયારે ય તેનું પતન થતું નથી.(૨) જે પહેલાં સાધના માટે તૈયાર થાય છે પરંતુ પછી પતિત થઈ જાય છે. (૩) જે પહેલાં ત્યાગમાર્ગમાં ઉત્થાન કરતા નથી અને પછી પણ તેમાં પરિવર્તન કરતા નથી.
જે સાધક સંસારને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે છે પરંતુ પછી તે ફરી તેની ઈચ્છા કરે છે તે પણ ગૃહસ્થની સમાન જ છે. આ ઉત્થાન–પતનના વિકલ્પોને કેવળજ્ઞાન દ્વારા જાણીને
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org