Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ધૂત અધ્ય-૬, ૩ : ૨
[ ૨૩૫ |
તમારું શબ્દનો અર્થ છે. ત = તે સંયમને, મારું = નહીં છોડતાં અને લીલા = સંયમમાં શિથિલ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે તે કુશીલાચારી બની જાય છે. વલ્થ ડિ૬ - વૃત્તિકાર તેનો આશય સ્પષ્ટ કરતાં કહે છે કે દુષ્કર એવો માનવ ભવ પામી, સંસાર સાગરને પાર કરવામાં સમર્થ બોધિરૂપ નાવને મેળવીને, મોક્ષ વૃક્ષના બીજરૂપ સર્વવિરતિ ચારિત્રને અંગીકાર કરવા છતાં કોઈ વ્યક્તિ કામની દુર્નિવારતા, મનની ચંચળતા, ઈન્દ્રિય વિષયોની લોલુપતા અને અનેક જન્મોના કુસંસ્કારોને વશ બની તેના પરિણામનો અને કાર્ય અકાર્યનો વિચાર કર્યા વિના સાધ્વાચારથી પડિવાઈ (પતિત) બની, મુનિ ધર્મને છોડી વસ્ત્ર, પાત્રાદિ ધર્મોપકરણોને છોડી દે છે, સાધુવેશનો ત્યાગ કરી ગુહસ્થ થઈ જાય છે. ગુહસ્થ થઈને કોઈ દેશવિરતિધર્મનો સ્વીકાર કરી લે છે, તો કોઈ કેવળ શ્રદ્ધામાં ટકે છે અને કોઈ તો મિથ્યાત્વી પણ બની જાય છે.
મુનિ ધર્મને છોડવાના અનેક કારણો થઈ શકે છે પરંતુ આ સૂત્રમાં બે કારણ ધ્વનિત થાય છે(૧) અસહિષ્ણુતા- સંયમના નિયમ- ઉપનિયમ, પરીષહ ઉપસર્ગરૂપ આવતા કષ્ટોને સહન કરવાની શારીરિક કે માનસિક ક્ષમતાનો અભાવ થવાથી સંયમનો ત્યાગ કરે. (૨) કામ આસક્તિ- વિવિધ કામભોગોની પ્રબળ લાલસાના કારણે સંયમનો ત્યાગ કરે છે.
સૂત્રના અંતે તેના પરિણામો પણ બતાવ્યા છે કે કોઈ દીક્ષાત્યાગી દીક્ષા છોડતાં તરત જ મૃત્યુ પામે છે, કોઈ થોડા સમય પછી મૃત્યુ પામે છે અને કોઈ લાંબા સમય સુધી જીવીને પછી મૃત્યુ પામે છે, તો પણ તે કામભોગોથી અતૃપ્તપણે જ મરે છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ આશાથી તે સંયમનો ત્યાગ કરે પરંતુ આયુષ્ય તો ક્ષણિક છે, અંતે મરવું દરેકને નિશ્ચિત છે, માટે વૈર્યપૂર્વક સંયમનું પાલન કરવું જોઈએ. મુનિની એકત્વભાવના :| २ अहेगे धम्ममायाय आयाणप्पभिइसुपणिहिए चरे अप्पलीयमाणे दढे। सव्वं गिद्धिं परिण्णाय । एस पणए महामुणी।
अइयच्च सव्वओ संगंण महं अत्थि त्ति, इति एगो अहमसि, जयमाणे, एत्थ विरए अणगारे सव्वओ मुंडे रीयंते जे अचेले परिवुसिए संचिक्खइ
ओमोयरियाए । શબ્દાર્થ :- અદને = કોઈ પુરુષ, ધર્ન = કૃતધર્મ અને ચારિત્ર ધર્મને, આયાય = સ્વીકારીને, સાવા ખૂબસુ = ધર્મોપકરણો સાથે સંયમાચરણ કરતાં, પરિપ = પરીષહ ઉપસર્ગોમાં સહનશીલ થઈ વરે = સર્વજ્ઞોપદિષ્ટ ધર્મનું આચરણ કરે, અખનીયનTM = માતાપિતા આદિમાં તથા લોકમાં આસક્ત ન થતાં, = ધર્મમાં દઢ, ઉદ્ધિક ગૃદ્ધિ, ભોગાકાંક્ષાને, પરિણય = ત્યાગ કરીને સંયમનું પાલન કરે છે, પણ = કર્મક્ષયમાં તત્પર પુરુષ જ, અ શ્વ = છોડીને, = સર્વ પ્રકારના, તો = સંગને, મરું = મારું જ સ્થિ = કોઈ નથી, ત્તિ = આ પ્રમાણે, રૂતિ = તેમજ, ફળો = એકલો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org