Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ધૂત અધ્ય-૬, ઉ : ૩
_.
૨૪૭ |
ભાવાર્થ :- અથવા અચલત્વ સાધનામાં પરાક્રમ કરતા નિર્વસ્ત્ર મુનિને વારંવાર ઘાસના તણખલાનો સ્પર્શ થાય, ઠંડી અને ગરમીનો અનુભવ થાય તથા ડાંસ અને મચ્છરના ડંખની વેદના થાય છે. બીજા પણ આવા એક કે અનેક કષ્ટો આવે ત્યારે મુનિ તેને સમભાવથી સહન કરે છે. તે અચેલમુનિને દ્રવ્ય અને ભાવથી લઘુતા-હળવાપણાની પ્રાપ્તિ સાથે ઉપકરણ ઊણોદરી તેમજ કાયક્લેશ તપની ઉપલબ્ધિ થાય છે.
ભગવાને જે રૂપે સંયમધર્મનું પ્રતિપાદન કર્યું છે તેને તે રૂપે જાણીને, સમજીને સર્વ પ્રકારે, સર્વાત્મના પૂર્ણતયા સમ્યક્ રીતે સેવન કરે. | ३ एवं तेसिं महावीराणं चिरराइं पुव्वाइं वासाईरीयमाणाणं दवियाणं पास અદિયાસિયા
आगयपण्णाणाणं किसा बाहा भवंति, पयणुए य मंससोणिए । विस्सेणिं कटु परिण्णाय, एस तिण्णे मुत्ते विरए वियाहिए । त्ति बेमि । શબ્દાર્થ :- પર્વ = આ પ્રમાણે, તેસિંગ તે, મહાવીરા - મહાવીર પુરુષોને, નિરરાડું-પુવ્વાણું વાસા = ઘણા વર્ષો સુધી, પૂર્વ વર્ષો સુધી, રીયન = સંયમ સહિત વિચારનાર, રવિયાગ = સંયમી સાધકોની, રિયાલિય = સમભાવપૂર્વક પરીષહની સહનશીલતાને, આ પણTણાઈ = પ્રજ્ઞાસંપન્ન મુનિઓની, જેને પદાર્થોનું જ્ઞાન થઈ ગયું છે તે મહાપુરુષોની, જિસ વાd = ભુજાઓ કૃશ, મવતિ = થાય છે, પયપુર = પાતળા થાય છે, તોપણ = માંસ અને લોહીથી, વિસ્તfખ વહુ = કર્મોની શ્રેણિને છિન્ન ભિન્ન કરીને, રાગદ્વેષની સંતતિને નષ્ટ કરીને, પરિચિ = જાણીને, ઉસ = આ, તિ = સંસારથી તરેલા, મુત્તે મુક્ત, વિરપે= પાપોના ત્યાગી, વિદ્યાદિપ = કહ્યા છે. ભાવાર્થ :- આ રીતે જીવનના પૂર્વભાગમાં પ્રવ્રજિત થઈને લાંબાકાળ સુધી-જીવન પર્યત, પૂર્વ વર્ષો સુધી, સંયમમાં વિચરણ કરનાર, ચારિત્ર સંપન્ન તથા સંયમમાં પ્રગતિ કરનારા તે મહાન વીર સાધુઓએ જે પરીષહાદિને સહન કર્યા છે, તેને તું જો.
તપશ્ચરણના આચરણથી પ્રજ્ઞાવાન મુનિઓની ભુજાઓ દુર્બળ થઈ જાય. તેઓના શરીરમાં લોહી–માંસ ઘણા ઓછા થઈ જાય છે.
રાગદ્વેષ અને કષાયરૂપ સંસાર વૃદ્ધિની પરંપરાને અથવા કર્મ પરંપરાને, પ્રજ્ઞાથી જાણીને ક્ષમા, સહિષ્ણુતાદિથી તેનું છેદન-ભેદન કરીને સંસાર સમુદ્રને પાર કરી ગયેલા મુનિ, મુક્ત તેમજ વિરત કહેવાય
વિવેચન :
આ ત્રણ સૂત્રોમાં મુનિની અચેલ સાધનાનું વર્ણન કરતાં તેની ઉપકરણ લાઘવતા અને સંકલ્પ વિકલ્પોની લાઘવતા દર્શાવી છે. સાધકને સહિષ્ણુતાની સાધના માટે જ્ઞાનપૂર્વક દેહ દમન, ઈન્દ્રિય નિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org