Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૯૪
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
વિવેચન :
પૂર્વ સૂત્રમાં અપરિપક્વ શ્રમણની આપત્તિયુક્ત એકલવિહાર ચર્ચાનું કથન છે. તેથી આ સૂત્રમાં શ્રમણને પરિપક્વ થવા માટે આચાર્ય—ગુરુ સાંનિધ્યમાં રહી બહુમુખી અભ્યાસ કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુરુ સાનિધ્યમાં સમર્પણતાપૂર્વક રહેવાની પાંચ શિક્ષા ફરમાવી છે તે આ પ્રમાણે છે—
(૧) તદ્દિકિ :– શિષ્ય પોતાનો આગ્રહ છોડીને આચાર્યની જે દષ્ટિ, જે વિચાર છે તે દૃષ્ટિથી જ ચિંતન કરે. (૨) તમ્મુત્તીર્ :- ગુરુની આજ્ઞામાં જ તન્મય થઈ જાય. હાર્દિક ભક્તિ બહુમાનપૂર્વક ગુરુ પ્રત્યે લાગણી રાખે. (૩) તપ્યુલારે : ગુરુના આદેશને હંમેશાં પોતાની સામે રાખે અથવા શિરોધાર્ય કરે. દરેક નિર્ણયમાં ગુરુની પ્રમુખતા રાખે, પોતે નિર્ણાયક ન બને. (૪) તાળી :– ગુરુએ બતાવેલા વિચારોનાં સ્મરણમાં એકરસ થઈ જાય. ગુરુની ઈચ્છામાં પોતાની ઈચ્છાને સમાવી દે. (૫) તળિવેસને :– ગુરુના ચિંતનમાં પોતાના મનને પરોવી દે, દત્તચિત્ત થઈ જાય. ગુરુ સાંનિધ્યમાં રહી શિક્ષણ ગ્રહણ કરે.
પરિપકવ થવા માટે સાધક ગુરુના સૌદ્ધાન્તિક દર્શનમાં, તેમના પ્રતિ તન્મય ભાવમાં, તેમની આજ્ઞાના પુરસ્કારમાં, તેમની સ્વાભાવિક પ્રવૃત્તિઓમાં અને તેમના ચિંતનમાં તન્મય બની જાય. તો અર્થ છે તન્મય, તદનુરૂપ, તદાકાર બનવું અર્થાત્ તે સાધક ગુરુના જીવનમાં એકાકાર બની જાય.
ગુરુ સાંનિધ્યમાં સંયમ અભ્યાસ :
३ जयं विहारी चित्तणिवाई पंथणिज्झाई पलिबाहिरे पासिय पाणे गच्छेज्जा । से अभिक्कममाणे पडिक्कममाणे संकुचेमाणे पसारेमाणे विणियट्टमाणे संपलिमज्जमाणे ।
શબ્દાર્થ:- નવિહારી - યત્નાપૂર્વક વિચરણ, વિત્તખિવા - ગુરુના ચિત્તને—અભિપ્રાયને અનુસરનાર, ઈર્યામાં ચિત્ત એકાગ્ર રાખનાર, પંગિાર્ફ = માર્ગનું અવલોકન કરનાર, પત્તિવાહિરે - મર્યાદાની બહાર નહીં જોતા, ધૂંસર પ્રમાણ જોતાં, અભિમમાળે = જતાં, પહિમાળે = આવતાં, સંજુ ચેમાળે - અંગોને સંકોચતાં, પસારેમાળે = ફેલાવતાં, વિળિયટ્ટમાળે = વળાંક લેતાં, સંપલિમબ્ઝમાળે
=
= પ્રમાર્જન કરતાં.
ભાવાર્થ :- મુનિ પ્રત્યેક ચર્ચામાં જયણા રાખીને, વિચરણ કરે; ચિત્તને એકાગ્ર કરી માર્ગનું અવલોકન કરતા ચાલે. મર્યાદિત ભૂમિમાં દષ્ટિ રાખી મર્યાદા બહારની ભૂમિમાં દષ્ટિ જવા ન દેતાં જીવજંતુને જોઈને ગમન કરે. તે ભિક્ષુ કાર્યવશ બહાર જતાં, આવતા, અવયવોને સંકોચતાં, ફેલાવતાં, પરિભ્રમણ કરતાં વળાંક લેતાં, પ્રમાર્જન કરતાં, આ સર્વ ક્રિયાઓ જોઈને, પ્રમાર્જન કરીને કરે.
Jain Education International
વિવેચન :
સે અખિમમાળે :– આ સૂત્રમાં ગમનામગન વગેરે છ પ્રક્રિયાઓનું કથન કરી તે પ્રવૃતિઓમાં ઈર્યા
For Private Personal Use Only
www.jainelibrary.org