Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૪
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
નિશ્ચિત કરે તેવું સૂચન કરવામાં આવ્યું છે.
સાહિસ્સામો પાળ (સાધિષ્યામઃ)- તે જ્ઞાનની સાધના કરીશ, જીવનમાં તેને કાર્યાન્વિત કરીશ. संघडदंसणं :– આ શબ્દનું વૈકલ્પિક રૂપ 'સંથકવલી' મળે છે તેનો અર્થ છે— શ્રેયાર્થી, મોક્ષાર્થી, કલ્યાણાર્થી. પ્રસ્તુતમાં સંષડવર્શી = નિરંતર સાવધાન રહેનાર.
ચોથો ઉદ્દેશક સંપૂર્ણ
ઉપસંહાર ઃ– જગતના પ્રાણીમાત્ર પ્રત્યે સમતાનો ભાવ તે જ સાચી અહિંસા છે. ત્રણે ય યોગ સાથે જોડાયેલી, વણાયેલી એવી અહિંસાના ઉપદેશક તીર્થંકર પરમાત્મા છે. તેઓએ પ્રાણીમાત્રમાં આત્મ સમદષ્ટિનો ઉપદેશ આપ્યો છે. ધર્મનો પાયો અહિંસા છે. જ્યાં હિંસા છે ત્યાં ધર્મ ટકતો નથી. બીજાના ભોગે કદી ધર્મ ન હોય. અહિંસક ભાવના જ સર્વ જીવો સાથે મૈત્રીનો સંબંધ જોડાવે છે. હિંસા ત્યાં કર્માશ્રવ છે. આશ્રવ તે જ સંસાર છે. તેનાથી મુક્ત થવા માટે મોક્ષના ઉપાય સ્વરૂપે જ્ઞાનીઓએ સંવર અને નિર્જરા કહ્યા છે. કર્મબંધ અને કર્મ મુક્તિનો આધાર કેવળ બાહ્ય ક્ષેત્ર, સ્થાન કે ક્રિયા ઉપર નથી, પરંતુ પોતાની આંતરિક વૃત્તિ ઉપર આધાર રાખે છે. નિષ્કામી, નિર્ભયી એવા જ્ઞાનીને જેટલા કર્મબંધનનાં સ્થાન છે તેટલા કર્મ નિર્જરાનાં કારણ બને છે. નિર્ભય વ્યક્તિ જ બીજાને નિર્ભય બનાવી શકે છે. નિર્ભયી બનવા એકત્વભાવને કેળવી શરીર, ઈન્દ્રિય, વૃત્તિઓ ૫૨ વિજય મેળવી કર્મોને કૃશ કરી શકાય છે. વૃત્તિ પર વિજય પ્રાપ્ત કરવાની તપ સાધના વિવેકપૂર્વકની હોવી જોઈએ.
Jain Education International
એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયનો જ્ઞાતા લોકનો વિજેતા બનવા તૈયાર થાય છે, તે અનુકૂળ, પ્રતિકૂળ વાતાવરણમાં સમજણથી, વિવેકથી અહિંસાનું પાલન કરી શકે છે.
॥ અધ્યયન-૪/૪ સંપૂર્ણ ॥
For Private Personal Use Only
www.jainelibrary.org