Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૭૨ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
રહે છે, પ્રવૃત્ત થાય છે, મરઅશરણભૂત તે પાપકર્મોને, સરળ તિઃ શરણરૂપ છે એમ, મUળના - માનીને. ભાવાર્થ :- આ લોકમાં જે કોઈ હિંસા કરનારા છે તે આ લોકમાં રહેલા જીવોની જ હિંસા કરીને આજીવિકા કરે છે. તે અજ્ઞાની આરંભમાં જ તલ્લીન રહીને અશરણભૂત પાપકાર્યોને શરણભૂત માનીને તેમાં જ રમણ કરે છે, પ્રવૃત્ત થાય છે. વિવેચન :
આ સૂત્રમાં આરંભ સમારંભમાં રચ્યાપચ્યા રહેનારા અને તેને જ શરણભૂત માનનારા સંસારી જીવોની દશા દર્શાવી છે. સૂત્રમાં આવેલા પતંજુ વેવ અને પત્થ વિસર્વનામ શબ્દોના કારણે વ્યાખ્યા ગ્રંથોમાં બીજી રીતે પણ અર્થ કર્યો છે, તે આ પ્રમાણે છે- આ લોકમાં જે કોઈ સંસારી જીવો આરંભ સમારંભથી આજીવિકા ચલાવે છે, તેઓ દુઃખ ભોગવે છે અને જે અન્યતીર્થિક સાધુ કે શિથિલાચારી શ્રમણ પણ સાવધ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે તે પણ દુઃખ ભોગવે છે. અજ્ઞાનદશામાં રહેલા તે વિષયાભિલાષાથી પીડિત થઈને પાપકર્મોમાં રમણ કરે છે, તેમાં તલ્લીન થાય છે અને અશરણભૂત પાપાચરણોને શરણભૂત માનવાની અજ્ઞાનતા કરે છે. તાત્પર્ય એ છે કે સંસારી જીવો તો હિંસા કરે જ છે પરંતુ ગૃહત્યાગી સંન્યાસી કે શ્રમણ થઈને પણ કેટલાક અજ્ઞાન દશામાં આવા આરંભ સમારંભ કરતા થઈ જાય છે, તે પણ આત્મકલ્યાણના બદલે દુઃખ જ પ્રાપ્ત કરે છે. દૂષિત એકલવિહાર ચર્ચા - | ६ इहमेगेसिं एगचरिया भवइ । से बहुकोहे बहुमाणे बहुमाए बहुलोभे बहुरए बहुणडे बहुसढे बहुसंकप्पे आसवसक्की पलिओछण्णे उट्ठियवायं पवयमाणे, मा मे केइ अदक्खु, अण्णाण पमायदोसेणं । सययं मूढे धम्म णाभिजाणइ । શબ્દાર્થ :- દ = આ જગતમાં, લિ = કેટલાક સાધકોની, કોઈની, વરિયા જવ૬ = એકલવિહારચર્યા હોય છે, તે વહુવો તે બહુક્રોધી, વહુનો બહુમાની, વહુના = બહુ માયાવી, બહુ કપટી, વદુતોએ = બહુલોભી, વદુર = પાપકર્મમાં બહુરત અથવા બહુકર્મ રજ યુક્ત, હદુગડે = બહુરૂપી, અનેક વેશધારી નટ, વહે= અત્યંત શઠ, વહુસંખે= ઘણા સંકલ્પ યુક્ત, માસવસી = આસવોમાં આસક્ત, પત્નિઓછvo = દોષોને છુપાવનાર,કર્મોથી ઢંકાયેલા, યેવાય = પોતાને પ્રવ્રજ્યાધારી, ઉત્કૃષ્ટાચારી, પવયના = કહેનારા, ને = મને, ૬ = કોઈ, મન અવq= જોઈ ન જાય, આપણા પાચકોલેષ = અજ્ઞાન પ્રસાદ દોષથી, સવયં મૂકે = અત્યંત મૂઢ, થમ્ન = ધર્મને, ધર્મના મર્મને, મifમગાપ = સમજતા નથી, જાણતા નથી. ભાવાર્થ :- આ સંસારમાં કોઈ સાધક એકલા વિચરે છે. તે સાધક બહુ ક્રોધી, બહુમાની, બહુમાયાવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org