Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોક વિજય અધ્ય-૨, ૩ : ૬
[ ૯૧ ]
થતું નથી પરંતુ પદાર્થની સાથે જ્યારે મમત્વ બુદ્ધિ જોડાઈ જાય છે ત્યારે તે પદાર્થ પરિગ્રહરૂપ બને છે અને તેનાથી કર્મ બંધાય છે. માટે સૂત્રમાં કહ્યું છે કે-જે મમત્વબુદ્ધિનો ત્યાગ કરે છે તે સંપૂર્ણ મમત્વ અથવા પરિગ્રહનો ત્યાગ કરી શકે છે. પરિગ્રહના ત્યાગી જ વાસ્તવમાં સત્ય માર્ગના જોનારા છે. તેઓ કેવળ માર્ગને જાણનારા જ હોય તેમ નહિ પરંતુ તે માર્ગ ઉપર ચાલનારા પણ હોય છે. આ તથ્યનો અહીં સંકેત કર્યો છે.
લોકને જાણવાનો આશય એ છે કે સંસારમાં પરિગ્રહ તથા હિંસાના કારણે જ સર્વ દુઃખ તેમજ પીડાઓ થાય છે તથા સંસારનું પરિભ્રમણ વધે છે.
નો સઇ - લોક સંજ્ઞાના ત્રણ અર્થ છે–(૧) આહાર, ભયાદિદશ પ્રકારની લોકસંજ્ઞા. (૨) યશકામના, અહંકાર, પ્રદર્શનની ભાવના, મોહ, વિષયાભિલાષા, વિચાર–મૂઢતા, ગતાનુગતિક વૃત્તિ આદિ. (૩) મનકલ્પિત લૌકિક રિવાજ, જેમ કે કૂતરો યક્ષરૂપ છે, બ્રાહ્મણ દેવરૂપ છે, અપુત્રની ગતિ નથી.
આ ત્રણે ય પ્રકારની સંજ્ઞાઓ- વૃત્તિઓનો ત્યાગ કરવાનું ધ્યેય અહીં અપેક્ષિત છે. 'લોક સંજ્ઞાષ્ટકમાં આ વિષય ઉપર વિસ્તારથી વિવેચન કરતા આચાર્યોએ કહ્યું છે કે
लोकसंज्ञोज्झितः साधुः परब्रह्म समाधिमान् । સુહર્ત તોર, મમતા મત્સવ: TI૮ાા (અભિ. રાજે. કોશ ભા. ૬, પૃ. ૭૪૧'લોગસષ્ણા.')
અર્થ- શુદ્ધ આત્મ સ્વરૂપ સમાધિમાં સ્થિત, દ્રોહ, મમતા, (વૈષ તેમજ રાગ) ઈર્ષારૂપ તાવથી રહિત અને લોક સંજ્ઞાથી મુક્ત સાધુ સંસારમાં સુખપૂર્વક રહે છે.
અરતિ-રતિ-વિવેક :| ३ णारइं सहइ वीरे, वीरे णो सहइ रई ।
जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रज्जइ ॥१॥ सद्दे फासे अहियासमाणे, णिविंद णदि इह जीवियस्स । मुणी मोणं समादाय, धुणे कम्मसरीरगं ॥२॥ पंत लूहं सेवंति, वीरा समत्तदसिणो।
एस ओहंतरे मुणी, तिण्णे मुत्ते विरए वियाहिए ॥३॥ त्ति बेमि । શબ્દાર્થ :- અરડું = સંયમમાં અરતિને, જી રદ = સહન કરતા નથી અર્થાત્ સંયમમાં અરતિ કરતા નથી, ડું = અસંયમમાં રતિને, નો સહ = સહન કરે નહિ, ગલ્ફા = જેનાથી, કારણકે, વિમળ = મન દૂષિત ન થાય, સ્વસ્થ મનવાળા રહે, તન્હા = તેથી, ન = શબ્દાદિ વિષયોમાં આસક્ત થતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org