Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તે નિષ્કર્ષદર્શી સાધક મરણથી મુક્ત થઇ જાય છે. તે જ સાધક વાસ્તવમાં પથદર્શી છે અર્થાત્ તેઓએ મોક્ષમાર્ગને સારી રીતે જોયો છે, સમજ્યો છે. તે આત્મદર્શી મુનિ લોકમાં પરમદર્શી સંયમના જ્ઞાતા છે. તે રાગદ્વેષ રહિત શુદ્ધ જીવન જીવે છે, તે કપાયોથી ઉપરાંત, પાંચમિતિથી સમિત, જ્ઞાનાદિથી સહિત હોય છે. હંમેશાં યત્નાશીલ થઇને તે પંડિત મરણની આકાંક્ષા કરતાં જીવનની અંતિમ ક્ષણ સુધી સંયમમાં વિચરણ કરે છે.
૧૧૪
આ જીવે ભૂતકાળમાં અનેક પ્રકારનાં બહુ પાપકર્મોનો બંધ કર્યો છે. કર્મોનો નાશ થવામાં કયારેક વિલંબ પણ થઇ શકે છે, તેથી હૈ સાધક ! સંયમ તપના પાલનમાં ધૈર્ય રાખ. તપ, સંયમમાં ધૈર્યની સાથે લીન રહેનાર સાધક સમસ્ત પાપકર્મોનો ક્ષય કરી શકે છે.
વિવેચન :
આ સર્વ સૂત્રોમાં બંધ અને મોક્ષ તથા તેના કારણોથી સંબંધિત શ્રેષ્ઠ બોધ આપ્યો છે. પ્રારંભમાં જન્મ અને તેની વૃદ્ધિને જોવાની પ્રેરણા આપી છે. તેનો સાર એ છે કે જિનવાણીના આધારે તે પોતાના પૂર્વજન્મોના વિષયમાં વિચાર કરે કે હું એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોમાં તથા નારક, તિર્યંચ, દેવાદિ યોનિઓમાં અનેકવાર જન્મ લઇને પુનઃ મનુષ્ય લોકમાં આવ્યો છું. તે જન્મોમાં મેં કેવા કેવા દુઃખો સહ્યાં હશે ? સાથે તે એ પણ જાણે કે મારી પાસે પ્રચુર પુણ્યનો જથ્થો અને ઘણી નિર્જરા થઇ કે જેથી એકેન્દ્રિય થી વિકાસ કરતો આજે માનવભવમાં આવ્યો છું. તેમાં પણ પ્રબળ પુણ્યોદયે આર્થક્ષેત્ર, ઉત્તમકુળ, પંચેન્દ્રિયની પૂર્ણતા, ઉત્તમસંયોગ, દીર્ઘાયુ, શ્રેષ્ઠ સંયમી જીવન આદિ પામીને હું ઉન્નતિ કરી શક્યો છું.
આ સૂત્રનો બીજો આશય એ પણ છે કે સંસારમાં છવોના જન્મ અને તેની સાથે જોડાયેલાં તેના દુઃખો તેમજ બાળક, કુમાર, યુવાન અને વૃદ્ધાવસ્થારૂપ વિવિધ અવસ્થા, તેમાં આવતાં શારીરિક, માનસિક દુઃખોને જુઓ અર્થાત્ પોતાના ભૂતકાળના અનેક જન્મોની તથા વિકાસની શ્રૃંખલાને જોઈને તેના ઊંડાણમાં ઉતરી સંપ્રેક્ષણ કરવાનું છે. જન્મોના કારણ અને તેમાં પ્રાપ્ત દુઃખ તેમજ આજ સુધીનો જીવનનો વિકાસક્રમ આ સર્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મૂઢતા દૂર થઇ જાય છે અને ક્યારેક પોતાના પૂર્વજન્મોનું સ્મરણ (જાતિ સ્મરણ) જ્ઞાન પણ થઇ જાય છે. કોઈ વ્યક્તિ આ જીવનના ૫૦-૬૦ વર્ષ પૂર્વે બનેલી ઘટનાને સ્મૃતિપટ પર લાવે છે. તેમ જ તેમાં વિશેષ પ્રયત્ન કરે અને બુદ્ધિ સંમોહિત ન હોય તો પૂર્વજન્મનું સ્મરણ પણ સ્મૃતિપટ પર આવી જાય છે. પૂર્વજન્મની સ્મૃતિ નહિ થવાનું કારણ આ પ્રકારે કહ્યું છે–
Jain Education International
जायमाणस्स जं दुक्खं, मरमाणस्स जंतुणो । ते दुक्खेण संमूढो, ण सरइ जाइमप्पणो ॥
જન્મ અને મૃત્યુના સમયે જીવને જે દુઃખ થાય છે, તે દુઃખથી મૂઢ બનેલ વ્યક્તિ પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી શકતી નથી.
પૂર્ણ: બાળ પકિલેદ સાયં :- સંસારના સર્વપ્રાણીઓ ચૌદ ભાગોમાં વિભાજિત છે તેમ જાણ. ને
For Private & Personal Use Only
www.jainelibrary.org