Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ: ૨.
[ ૧૧૭ ]
ધીર સાધકે પાપકર્મોના અગ્ર અને મૂળ બંને કારણ ઉપર ઊંડાણથી ચિંતન-મનન કરવું જોઇએ. કોઇપણ દુષ્કર્મથી પ્રાપ્ત સંકટાપન્ન સમસ્યાના કેવળ અગ્ર-પરિણામ પર વિચાર કરવાથી તેનો ઉકેલ આવતો નથી પરંતુ તેના મૂળ ઉપર ધ્યાન આપવાથી જ સમાધાન થઈ શકે છે અર્થાત્ મૂળ અસંયમ છે તેના ઉપર ધ્યાન આપી તેનો જ ત્યાગ કરવાથી દુઃખ અને કર્મની સમાપ્તિ રૂ૫ સમાધાન થઈ જાય છે. પિિછડિયા ઉ મ્મર :- તપ અને સંયમ દ્વારા રાગદ્વેષાદિ બંધનોનો અથવા તેનાં કાર્યરૂપ કર્મોનો સર્વથા નાશ કરીને આત્મા નિષ્કર્મદર્શી-કર્મરહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. અહીં નિષ્ફર્મદર્શીનું તાત્પર્ય છે કે સાધક, આત્માની નિષ્કર્મ દશાને જુએ અથવા કર્મરહિત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ શબ્દના બીજા અર્થો પણ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) કર્મ રહિત શુદ્ધ આત્મદર્શી (૨) રાગદ્વેષનો સર્વથા છેદ થવાથી સર્વદર્શી (૩) વૈભાવિક ક્રિયાઓનો સર્વથા અભાવ થવાથી અક્રિયદર્શી અને (૪)
જ્યાં કર્મોનો સર્વથા અભાવ છે એવા મોક્ષ સ્થાનને જોનારા, પરમદર્શી. વિદુભ-વિદુપદે – આ બંને પાઠ મળે છે. (૧) ભય–દુઃખ આપનારા જે કર્મ છે તેને સારી રીતે સમજનારા 'દષ્ટભય' કહેવાય છે. (૨) મોક્ષમાર્ગરૂપ સંયમના સ્વરૂપને સારી રીતે સમજનારા 'દષ્ટપથ' પથદર્શી કહેવાય છે. વાતવલ્લી :- સંલેખનાના પાંચ અતિચારોમાંથી એક અતિચાર છે માણસMોકો મૃત્યુની આશંસા કરવી નહિ. તો પછી અહીં કાળકાંક્ષી કહેવાની પાછળ શું રહસ્ય છે? વૃત્તિકાર આ પ્રશ્નનું સમાધાન કરે છે કે કાળનો અર્થ છે મૃત્યકાળ. તેનો આકાંક્ષી મુનિ મૃત્યુનો સમય આવે ત્યારે પંડિતમરણ'ની આકાંક્ષા (મનોરથ) કરતા વિચરણ કરે છે. પંડિતમરણ' એ જીવનની સાર્થકતા છે. પંડિતમરણની ઇચ્છા કરવી તે મૃત્યુને જીતવાની એક દિશા છે.
હું હજુ પાવં — પાઉં - ભૂતકાળની અવસ્થાઓને આત્મશુદ્ધિ અથવા દોષ પરિમાર્જનની દષ્ટિથી યાદ કરવી, સાધકને માટે આવશ્યક છે. અહીં શાસ્ત્રકારે યાદી આપી છે કે સાધક પોતાની પ્રત્યેક દુઃખની ઘડીમાં આ પ્રમાણે વિચાર કરે કે મારા આત્માએ ઘણા પાપકર્મ બાંધેલા છે, તજન્ય આ દુઃખોની સ્થિતિ આવી છે અને લાંબા સમય સુધી ટકી રહી છે. તેમ વિચારીને ધૈર્યની સાથે સંયમમાં સ્થિર રહે, દુઃખથી પ્લાન થાય નહીં. ખરેખર કર્મોનું ઊંડાણપૂર્વક ચિંતન કરવાથી આત્માને સમાધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. સર્વાન્મિ :- આ સૂત્રમાં સાધકને સત્યમાં સ્થિર રહેવાનું અપ્રતિમ મહત્ત્વ સમજાવ્યું છે. વૃત્તિકારે વિભિન્ન દષ્ટિઓથી સત્યના અનેક અર્થ કર્યા છે
(૧) પ્રાણીઓના માટે જે હિતકર છે, તે સત્ય છે, તે સંયમ છે. (૨) જિનેશ્વરદેવે કહેલ આગમ પણ સત્ય છે, કારણ કે તે યથાર્થ વસુસ્વરૂપને પ્રકાશિત કરે છે. (૩) વીતરાગે પ્રરૂપિત વિભિન્ન પ્રવચન રૂપ આદેશ પણ સત્ય છે.
આ સત્રમાં શાસ્ત્રકારનો એવો સ્વર ગુંજે છે કે જ્ઞાતા દષ્ટ બનો. પોતાના મનના ઊંડાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org