Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સમ્યકત્વ અધ્ય-૪, : ૨
| ૧૪૫ |
વાત ભૂતકાલીન, ભવિષ્યકાલીન અને વર્તમાનકાલીન સર્વ તીર્થકરોએ પ્રરૂપી છે. અહિંસાધર્મ સાર્વભૌમિક છે, સર્વજન ગ્રાહ્ય છે, વ્યવહાર્ય છે. સર્વજ્ઞોએ કેવળજ્ઞાનના પ્રકાશમાં તેને જોયો છે, અનુભવ્યો છે, હળુકર્મી ભવ્યજીવોએ તેને સાંભળ્યો છે, ઇષ્ટ માન્યો છે. જીવનમાં આચરેલો છે, તેના શુભ પરિણામને જાણ્યાં છે, દેખ્યાં છે. આ રીતે અહિંસા ધર્મની મહત્તા તેમજ ઉપયોગિતા બતાવવા માટે જ 'ટ્ટિપકું'થી લઇને 'મનોરા વા' સુધીનાં શબ્દોથી સર્વ અવસ્થાના જીવો માટે તેની ઉપાદેયતા બતાવી છે. આ પ્રકારના ઉલ્લેખથી સાધકની દષ્ટિ, મતિ, ગતિ, નિષ્ઠા અને શ્રદ્ધા સહજ અહિંસા ધર્મમાં સ્થિર થઇ જાય
II અધ્યયન-૪/૧ સંપૂર્ણ II CDCPer ચોથું અધ્યયન : બીજે ઉદ્દેશક 1900 વિવેક અવિવેકથી મોક્ષ-બંધ :| १ जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा । जे अणासवा ते अपरिस्सवा, जे अपरिस्सवा ते अणासवा ।
एते य पए संबुज्झमाणे लोगं च आणाए अभिसमेच्चा पुढो पवेइयं । શબ્દાર્થ :- 9 માસવા = આશ્રયસ્થાન છે, તે પરિસ્સવ = તે નિર્જરાનાં કારણભૂત થઈ જાય, ને રિસંવા= નિર્જરાનાં સ્થાન છે, તે આરંવા = તે આશ્રવ સ્થાન થઈ જાય, ને અગાસંવા = આશ્રવનાં સ્થાન નથી, સંવરનાં સ્થાન છે, તે અપરિવા = તે નિર્જરાનાં સ્થાન થતા નથી, ને અપરિવા = નિર્જરાના સ્થાન નથી, તે મારવા = તે આશ્રવનાં સ્થાન પણ થતા નથી, સંવરનાં પણ સ્થાન થાય છે તે ય પ = આ પદોને, સગુફામા = સમજીને, તો = લોકને, બાપા = ભગવાનની આજ્ઞાથી, મિમિક્વા = વિચારીને, પુલો = અલગ અલગ, પવેચું = કહેલ છે, પ્રરૂપેલ છે. ભાવાર્થ :- (૧) જે આશ્રવોનું સ્થાન છે, તે જ ક્યારેક પરિસવ-કર્મનિર્જરાઓનું સ્થાન બની જાય છે. (૨) જે પરિસવનું સ્થાન છે તે ક્યારેક આસવ બની જાય છે. (૩) જે અનાસવ-વ્રત વિશેષ છે, તે પણ ક્યારેક પ્રમાદના કારણે અપરિસવ-કર્મ નિર્જરાઓનું કારણ ન બને. (૪) જે અપરિસવ-કર્મનિર્જરાઓનું સ્થાન નથી તે પણ ક્યારેક પરિણામોની વિચિત્રતાથી અનાસવ-કર્મબંધનાં કારણે થતા નથી.
આ અલગ અલગ કહેલ વિકલ્પોને સમ્યક પ્રકારે સમજીને લોકના સ્વરૂપને જિનાજ્ઞાનુસાર જાણીને, વિચારીને આસવોનું સેવન કરે નહિ. વિવેચન :
આ સૂત્રમાં કર્મબંધ અને કર્મ નિર્જરાના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે. બંધ અને નિર્જરાનો મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org