Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
શબ્દાર્થ :- પર્દૂ સમર્થ હોય છે, નાસ્ત = વાયુકાયના, દુjછMાઈ = આરંભથી નિવૃત્ત થવામાં, આવેલી = કર્મોનાં ફળને જાણનાર, વાયુકાયના આરંભથી થતા દુઃખોને જોનાર તેમજ જાણનાર, દિવે ત્તિ = આરંભને અહિતકારી, = જાણીને તેઓ ત્યાગ કરી દે છે, ને અ ત્યં = જે પોતાના સુખ દુ:ખને, ગારૂ = જાણે છે, તે = 0, વરિયા = બહારના અર્થાત્ બીજા જીવોના સુખ દુઃખને પણ, ગાબડું = જાણે છે, અર્થ = આ પ્રમાણે, મuf= બીજા જીવોને પણ, તુર્ત = પોતાના સમાન જ જોવા જોઈએ, રૂદ = આ શાસનમાં, સતિયા = શાંતિને પ્રાપ્ત, વિયા = દ્રવિક અર્થાત સંયમી મુનિ, વિવું = જીવનની (અસંયમી જીવનની), નાવલિ = ઈચ્છા કરે નહિ. ભાવાર્થ :- જે શારીરિક માનસિક પીડાઓને, કર્મ પરિણામને સારી રીતે પણ જાણે છે અને આરંભને અહિતકર સમજે છે તે વાયુકાયની હિંસાથી નિવૃત્ત થવામાં સમર્થ છે.
જે પોતાનાં સુખ દુઃખાદિને જાણે છે તે બીજાનાં સુખ દુઃખાદિને પણ જાણે છે. જે બીજાના સુખ દુઃખાદિને જાણે છે તે જ પોતાનાં સુખ દુઃખાદિને જાણે છે તેથી પોતાને અને બીજાને પરસ્પર સમાન જાણવા જોઇએ.
આ રીતે સમજીને જિનશાસનમાં જે શાંતિને પામ્યા છે જેના કષાય ઉપશાંત થઇ ગયા છે) અને દયાથી જેનું હૃદય પ્લાવિત છે, તે મુનિ છે. તે જીવહિંસા કરીને જીવવાની ઇચ્છા રાખતા નથી.
વિવેચન :
આ સૂત્રમાં વાયુકાયના જીવોની હિંસાથી નિવૃત્ત થવાનું વર્ણન કર્યું છે. નો અર્થ થાય છે. વાયુકાયની હિંસાથી નિવૃત્ત થવા કુછ– અહીં જુગુપ્સા શબ્દનો પ્રયોગ નવીન અર્થમાં છે. ઘણું કરીને આગમમાં ડુાંછા શબ્દ ગહ, ગ્લાનિ, લોકનિંદા, પ્રવચન હીલના તેમજ સાધ્વાચારની નિંદાના અર્થમાં આવે છે પરંતુ અહીં 'નિવૃત્તિ-ત્યાગ' અર્થનો બોધ કરાવે છે. હિંસા નિવૃત્તિના મુખ્ય ત્રણ કારણો કહ્યાં છે– (૧) આયંજલી (આતંવર) - હિંસાથી થતાં કષ્ટ, ભય તેમજ પરલોક સંબંધી દુઃખ આદિને આગમવાણી તથા આત્મ અનુભવથી જોવા. કર્મજનિત દુઃખોને સારી રીતે સમજેલા, અનુભવેલા જ્ઞાનીને આતંકદર્શી કહે છે. (૨) દિવ્યં તિ - હિંસાથી આત્માનું અહિત થાય છે તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિની પ્રાપ્તિ દુર્લભ થાય છે, તેમ જાણવું અને સમજવું. (૩) પડ્યું તુનમણિ - પોતાનાં સુખ દુઃખ અને લાગણીની સાથે બીજા જીવોની તુલના કરવી, જેમકે મને સુખપ્રિય છે, દુઃખ અપ્રિય છે, તેવી જ રીતે બીજા જીવોને પણ સુખપ્રિય અને દુઃખ અપ્રિય છે. સર્વનું ચૈતન્ય સમાન છે. કર્મોની અસર પણ ઓછાવત્તા પ્રમાણમાં સર્વ જીવોને સરખી રીતે થતી હોય છે. આવું વિચારનાર કદી બીજાના ભોગે પોતાના સુખને ઇચ્છતા નથી.
અહિંસાનું પાલન, આંધળું અનુકરણ કે માત્ર પારંપરિક ન હોવું જોઇએ, પરંતુ જ્ઞાન અને કરુણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org