Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ પ
]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
નિર્વાણને પામી શકે છે.
:- 'ક્ષણ' શબ્દ સામાન્યરૂપે નિમેષમાત્ર કાળ એટલે આંખનો પલકારો થાય તેટલા કાળનો સૂચક છે પરંતુ અધ્યાત્મશાસ્ત્રમાં 'ક્ષણ' એ જીવનમાં એક મહત્વપૂર્ણ અવસર માટે પ્રયુક્ત છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં પણ 'ક્ષણ' નો આ અર્થમાં પ્રયોગ થયો છે. જેમ કે ફળનેવ ઉપ વિલાયા આ ક્ષણને સર્વથી મહત્વપૂર્ણ સમજો. – (સૂત્ર. શ્રુ.૧, અ.ર., ઉ.૩, ગા.૧૯)
ટીકાકારે 'ક્ષણ'ની અનેક દષ્ટિએ વ્યાખ્યા કરી છે, જેમ કે કાળરૂપ ક્ષણ-સમય. ભાવરૂપ ક્ષણઅવસર. અન્ય રીતે પણ ક્ષણના ચાર અર્થ કર્યા છે, જેમ કે (૧) દ્રવ્યaણ– મનુષ્ય જન્મ. (૨) ક્ષેત્રક્ષણઆર્યક્ષેત્ર (૩) કાળક્ષણ- ધર્માચરણનો સમય. (૪) ભાવક્ષણ- ઉપશમ, ક્ષયોપશમાદિ ઉત્તમ ભાવોની પ્રાપ્તિ. આ ઉત્તમ અવસરનો લાભ લેવા માટે સાધકે તત્પર રહેવું જોઈએ. ઉપસંહાર :- પારિવારિક તેમજ સંપતિ પ્રત્યેનો મોહ સંયમ સાધનામાં અવરોધક છે. આ સર્વની આસક્તિના કારણે સાધક પ્રગતિ કરી શકતો નથી. આત્માની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આ સર્વના વ્યામોહથી છૂટવા અને વિવેકપૂર્વક ગતિ કરવાનું આ ઉદ્દેશકમાં કહ્યું છે.
II અધ્યયન-ર/૧ સંપૂર્ણ |
odo બીજું અધ્યયન : બીજો ઉદ્દેશક છdog અરતિ ત્યાગનું પરિણામ :
१ अरइं आउट्टे से मेहावी खणंसि मुक्के । શબ્દાર્થ :- અરડું = અરતિ, સંયમ પ્રત્યે અઐચનો, મીડટ્ટ = દૂર કરે, ત્યાગ કરે, નવલિ = ક્ષણવારમાં જ, મુજે = મુક્ત થઈ જાય છે. ભાવાર્થ :- જે અરતિથી નિવૃત્ત થઈ જાય છે, તે અરતિ ભાવોને દૂર કરનાર બુદ્ધિમાન સાધક માનસિક વ્યથાથી ક્ષણવારમાં જ મુક્ત થઈ જાય છે.
વિવેચન :
સંયમમાં પ્રયત્નશીલ સાધકનું ચિત્ત જ્યાં સુધી સ્થિર રહે છે ત્યાં સુધી તેને આનંદનો અનુભવ થાય છે. સંયમમાં રમણતા કરવી, આનંદનો અનુભવ કરવો તે રતિ છે. તેનાથી વિપરીત ચિત્તની વ્યાકુળતા કે ઉદ્વિગ્નતા, તે અરતિ છે. જ્ઞાન અને ચિંતનમાં લીન રહેવાથી સાધકના અરતિજન્ય દુઃખો દૂર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org