Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ 2 ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આવશ્યક છે. ધન આદિ મેળવવાની ઈચ્છારૂપ લોભ અને પ્રાપ્તિના સંગ્રહરૂપ પરિગ્રહસંજ્ઞાને સીમિત કરવી જોઈએ. શિખ :- (૧) મન, વચન, કાયા આ ત્રણે ય યોગોથી (૨) પોતાના, બીજાના અને બંનેના સહયોગથી (૩) પૂર્વ મૂડી, શ્રમ અને વિવેકબુદ્ધિ આ ત્રણે ય. આ રીતે વિદેખ ના વિભિન્ન અર્થ કરાય છે. આગમમાં જ્યાંતિવિર્દ વિષે પ્રયોગ મળે છે ત્યાં નિવિદેખ શબ્દ ત્રણ યોગના અર્થમાં પ્રયુક્ત થયો છે, તેથી અહીં મુખ્યત્વે ત્રણ યોગનો અર્થ સ્વીકાર કર્યો છે. બસ-વિખરૂ - (૧) કંઈક નુકશાન અને વધારે નુકશાન (૨) વ્યાપારમાં હાનિ અને જળમાં ડૂબી જાય. સંસાર પ્રવાહના અપારગામી :|६ मुणिणा हु एवं पवेइयं । अणोहंतरा एते, णो य ओहं तरित्तए । अतीरंगमा एते, णो य तीरं गमित्तए । अपारंगमा एते, णो य पारं गमित्तए । आयाणिज्ज च आदाय तम्मि ठाणे ण चिट्ठइ । वितह पप्प अखेयण्णे तम्मि ठाणम्मि चिट्ठइ । શબ્દાર્થ :- મુળT = તીર્થંકર પ્રભુએ, મુનિએ, યં પવે = આ પ્રરૂપેલ છે, મનોરંતર = સંસાર સાગરને પાર કર્યો નથી, તે = 0, ઓ તરિત્તા નો = સંસાર સાગરને પાર કરવામાં સમર્થ નથી, કતારંપાન- સંસાર સાગરના કાંઠે ગયા નથી, તરં નમિત્તા નો= કિનારે જવામાં સમર્થ નથી, અપારામ = સંસાર સાગરને પાર પામ્યા નથી, પરં મિત્તા નો = પાર થવામાં સમર્થ નથી.
આપણાં આલાય= સંયમને કે સંયમના અવસરને પ્રાપ્ત કરીને પણ, તમિ કા = તેમાં તે સર્વજ્ઞોક્ત માર્ગમાં, ન વિકૃ = સ્થિર થતા નથી, ઉપસ્થિત થતા નથી, સંયમ સ્વીકાર કરતા નથી, વિતરું = અસંયમ માર્ગનો, અસત્ય માર્ગનો, પુખ = આશ્રય લઈને, સંયોગ મળતા, સરવેયાએ = અકુશળ પુરુષ, તગ્નિ ટાઈમ = તે સ્થાનમાં, વિકૃ= રહી જાય છે, સ્થિર થઈ જાય છે. ભાવાર્થ :- ભગવાને કહ્યું છે કે- તે સાધક સંસારના પ્રવાહને તર્યા નથી અને તરવામાં સમર્થ પણ નથી. તે સંસારના કિનારે પહોંચ્યા નથી અને કિનારે પહોંચવામાં સમર્થ પણ નથી. તે સંસારને પાર પામ્યા નથી અને પાર પામવા સમર્થ પણ નથી કે જે સાધક આદાનીય-સંયમમાર્ગ પ્રાપ્ત કરીને પણ તે સ્થાનમાં સ્થિર રહેતા નથી પરંતુ સંયમ વિપરીત સંયોગો મળતા પોતાની મૂઢતાના કારણે તેમાં ઢળી જાય છે, તેમાં સ્થિર થઈ જાય છે. વિવેચન :
આ સૂત્રના બે પ્રકારે અર્થ થાય છે– ભોગાસક્ત જીવોની અપેક્ષાએ અને સંયમમાં અસ્થિર બનેલ સાધકની અપેક્ષાએ. (૧) પૂર્વોક્ત ભોગાસક્ત પ્રાણી સંસાર પ્રવાહને તર્યા નથી અને એવી વૃત્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org