Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોક વિજય અધ્ય-૨, ૩ : ૩
૭ |
से परस्सऽट्ठाए कूराई कम्माई बाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्परियासमुवेइ । શબ્દાર્થ – સં = અસંયમ જીવનનો સ્વીકાર કરીને, દુર્વ વડMયં = દ્વિપદ, ચતુષ્પદને,
બગુનિયા = કામમાં લગાડીને, લિરિયાઈ = ધનની વૃદ્ધિ કરે, વિદેખા = મન, વચન અને કાયા ત્રણ યોગથી, ગા વિ = જે કંઈ પણ, તે = તે (ધનની), મત્તા મવક માત્રા હોય છે, અMા વા વહુ વા = થોડી કે ઘણી, વિકૃ= રહે છે, બોયT = ભોગવવા માટે.
તો = ત્યાર પછી, તે ય = તે કોઈવાર, વિપરિસિદૃ = ભોગવતા બચેલી સંપત્તિ, સંપૂયં ભવ= ભેગી થાય છે, મોવર = પુષ્કળ સંગ્રહ થાય, તં પિ= તે સંપત્તિને પણ, હવાલા = પૈતૃક સંપત્તિના ભાગીદાર, વિમતિ = વહેંચી લે છે, અત્તર = ચોર, સવા૨૬ = ચોરી લે છે, રાવાળો = રાજા, વિલુપતિ = છીનવી લે છે, ખસ = નાશ પામે છે, વિસ્લ = વિશેષરૂપે નાશ પામે છે, સાલાપ = ઘરમાં આગ લાગવાથી, કુફા = બળી જાય છે, રૂતિ = આ પ્રમાણે, તે = તે, પરસ્પ અઠ્ઠા = બીજા માટે, ફૂડું સ્મારૃ = દૂર કર્મ, પશુવ્વમા = કરતો, તે યુજવે તે પાપથી ઉત્પન્ન થયેલ દુઃખથી, વિપૂરિયાતમુવેરૃ = કર્તવ્યાકર્તવ્યના વિવેકથી હીન થઈ જાય છે. ભાવાર્થ :- પરિગ્રહમાં આસક્ત બનેલ માનવી નોકર ચાકરાદિ બપગા અને પશુ આદિ ચોપગાનું પરિગ્રહણ કરીને, તેઓનો ઉપયોગ કરે છે. તેઓને કાર્યમાં જોડી પછી ધનનો સંગ્રહ કરે છે. ત્રણે ય યોગના પ્રયત્નથી તેની પાસે થોડું કે ઘણું ધન એકત્રિત થઈ જાય છે. તે ધનના ભોગોપભોગમાં તે આસક્ત થાય છે. ત્યાર પછી ક્યારેક ભોગવતાં બચેલી તે સંપત્તિ સંગ્રહિત થતાં તે ઋદ્ધિ સંપન્ન બની જાય છે.
ક્યારેક સંગ્રહિત ધનનો સ્વજન સંબંધી ભાગ પાડી લે છે, ચોર ચોરી જાય છે, રાજા લઈ લે છે, તે ધનરાશિમાં નુકશાન થઈ જાય છે, સર્વથા વિનષ્ટ થઈ જાય છે તો ક્યારેક ઘરમાં આગ લાગવાથી તે બળીને રાખ થઈ જાય છે. આ રીતે તે અજ્ઞાની જીવ બીજાને માટે દૂર કર્મો કરીને પોતે દુઃખ ઉત્પન્ન કરે છે. જેથી મૂઢ બનીને કર્તવ્યાકર્તવ્યના વિવેકથી હીન થઈ જાય છે. વિવેચન :
ધનના નાશની અનેક રીત છે, જેમ કે (૧) પાપથી સંચિત અથવા પુણ્યની પ્રબળતાથી ઉપલબ્ધ થયેલી સંપત્તિ ભાઈબંધુ, ભાગીદારો વહેંચી લે (૨) ચોર લૂંટારા તેને લૂંટી લે (૩) રાજા–અધિકારીગણ લઈ લે (૪) ઘરના સભ્યો સંપત્તિને ખર્ચી નાખે, (૫)ધાડ પડવાથી સંપત્તિ ચાલી જાય (૬) પાણી, ધરતીકંપથી સંપૂર્ણ સંપત્તિનો નાશ થઈ જાય (૭) અગ્નિથી સંપૂર્ણ ઘર જ બળી જાય ઈત્યાદિ પ્રકારે ભેગી કરેલી સંપત્તિ નષ્ટ થઈ શકે છે અને છેલ્લે મરણ પછી તો સંપૂર્ણ સંપત્તિ અહીં જ રહી જાય છે પરંતુ તેને મેળવવા માટે કરેલાં પાપથી સંચિત કર્મ સાથે જ જાય છે. સંચિત કર્મને કોઈ લઈ શકતું નથી. તે સંચિત કર્મ અનેક અવસ્થાઓ, કષ્ટોનો અનુભવ કરાવે છે.
માટે ધન સંગ્રહ કરનારાઓએ બિનજરૂરી ધન સંગ્રહમાં વિવેક અને અંકુશ રાખવો અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org