Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
આવો સ્વપ્નદર્શી મનુષ્ય કામ અને ભૂખની વૃત્તિઓને સંતુષ્ટ કરવા માટે અનેકવિધ દુષ્પ્રવૃત્તિઓનું આચરણ કરે છે, વેર વધારે છે. જીવનમાં તે એવો આસક્ત બની જાય છે કે બીજાને મરતાં જોઈને પણ પોતાને અમર માનવા લાગે છે.
८५
શ્રી શીલાંકાચાર્યે તેનું ઉદાહરણ આપતા વ્યાખ્યા કરી છે કે–'અર્થલોભી વ્યકિત સૂવાના સમયે સૂઈ શકતો નથી, સ્નાનના સમયે સ્નાન કરી શકતો નથી. તે બિચારો ભોજનના સમયે ભોજન પણ કરી શકતો નથી. તે રાત દિવસ ધનનું ચિંતન કરે છે. આ સ્થિતિમાં તે પોતે પોતાને વિસરી જાય છે. મૃત્યુ જેવી અવશ્ય થનારી ક્રિયાને પણ તે ભૂલી જાય છે. મૃત્યુ આવવાનું છે તે વાતને તે ક્યારે ય યાદ
કરતો નથી.
એક વાર રાજગૃહીમાં ધન નામનો સાર્થવાહ આવ્યો. તે દિવસ–રાત ધનને ઉપાર્જન કરવામાં જ લીન રહેતો. તેની વિશાળ સમૃદ્ધિની ચર્ચા સાંભળીને મગધસેના નામની ગણિકા તેના આવાસે ગઈ. સાર્થવાહ ધનના આવક–જાવકના હિસાબમાં અને સોનામહોરને ગણવામાં એટલો લીન હતો કે તેના દરવાજે ઊભેલી સુંદરી તરફ તેનું ધ્યાન ન ગયું, તેને જોઈ નહિ. મગધસેનાનો અહંકાર જાગી ઊઠ્યો. દાંત કચકચાવતી ઉદાસીન ભાવે સમ્રાટ જરાસંધના દરબારમાં ગઈ. જરાસંધે પૂછ્યું–સુંદરી તમે ઉદાસ કેમ છો ? કોણે તમારું અપમાન કર્યું ? મગધસેનાએ વ્યંગ સાથે કહ્યું કે તે અમરે. જરાસંઘે આશ્ચર્યપૂર્વક પૂછ્યું કે કોણ અમર ? ગણિકા એ કહ્યું કે ધન સાર્થવાહ. તે ધનની ચિંતામાં, સોનામહોરો ગણવામાં એવો મસ્ત હતો કે હું તેના દ્વારે પહોંચી ગઈ તો પણ તે મને જોઈ ન શક્યો. તો પછી તેના મૃત્યુને તે કેવી રીતે જોશે ? તે તેની જાતને અમર માને છે. આ રીતે અર્થલોલુપ વ્યક્તિની માનસિક દુર્બળતાને પ્રકાશિત કરતાં શાસ્ત્રકાર
કહે છે કે—ભોગ અને ધનમાં આસક્ત વ્યક્તિ પોતાને અમર માનવા લાગે છે.
अपरिण्णाय कंदइ – અતિ આસક્તિનું પરિણામ છે– આર્તતા, પીડા, અશાંતિ અને રડવું. ભોગને મેળવવાની આકાંક્ષામાં પ્રાણી પહેલાં પણ રડે છે અને પછી ભોગ ચાલ્યા જવાના કારણે પણ રડે છે. આ રીતે ભોગાસક્તિનું સમસ્ત પરિણામ રડવાનું જ છે.
વહુના↑ :– આ શબ્દથી ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારે ય કષાયનો બોધ થાય છે. અવ્યવસ્થિત ચિત્તવાળી વ્યક્તિ ક્યારેક માયા, ક્યારેક ક્રોધ, ક્યારેક અહંકાર અને ક્યારેક લોભ કરે છે. વિક્ષિપ્ત ચિત્તવાળી વ્યક્તિ પાગલ જેવું આચરણ કરે છે.
સદોષચિકિત્સા નિષેધ :
९ से तं जाणह जमहं बेमि । तेइच्छं पंडिए पवयमाणे से हंता छेत्ता भेत्ता लुंपित्ता विलुंपित्ता उद्दवइत्ता 'अकडं करिस्सामि' त्ति मण्णमाणे जस्स वि य णं करेइ, अलं बालस्स संगेणं, जे वा से कारेइ बाले । ण एवं अणगारस्स जायइ । त्ति बेमि ।
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org