Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ss |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
કર્તવ્યનો વિવેકથી નિર્ણય કરવો જોઈએ અને શક્તિ અનુસાર ધર્માનુષ્ઠાનમાં જોડાવું જોઈએ. મરણ નિશ્ચિત - જીવન પ્રિય :
४ णत्थि कालस्स णागमो । सव्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीविउकामा । सव्वेसिं जीवियं पिय । શબ્દાર્થ :- નિરસ નો = કાળ ક્યારે ય ન આવે એવું નથી, fપયાથી = આયુષ્ય પ્રિય છે, સુહાથ = સુખ અનુકૂળ હોય છે, કુણપડિQR = દુઃખ પ્રતિકૂળ હોય છે, બચવા = બધાને વધ અપ્રિય છે, વિવિો = જીવન વહાલું છે, શનિવામ = જીવવાના કામી છે, જીવવાની ઈચ્છાવાળા છે, સવ્વહિં વિર્ય ઉપયં = સર્વને જીવન પ્રિય છે. ભાવાર્થ :- કાળ ન આવે એવું કયારે ય હોતું નથી, મૃત્યુ નિશ્ચિત સમયે આવવાનું જ છે. સર્વ જીવોને આયુષ્ય પ્રિય છે. સર્વને સુખ અનુકૂળ અને દુઃખ પ્રતિકૂળ લાગે છે, સર્વને મૃત્યુ અપ્રિય છે, જીવન પ્રિય છે. સર્વ જીવવાની ઈચ્છા રાખે છે. સર્વને જીવન પ્રિય લાગે છે. વિવેચન :
દરેક પ્રાણીને સુખ અને જીવન પ્રિય હોય છે. આ સિદ્ધાંત આ સૂત્રમાં વિવિધ શબ્દોના માધ્યમે દર્શાવેલ છે. તેમાં શાસ્ત્રકારનો આશય એ છે કે પ્રત્યેક પ્રાણીને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી. જીવવું ગમે છે, મરવું ગમતું નથી. જીવવા માટે કે મરણથી બચવા માટે જીવો અનેક પ્રકારના પ્રયત્નો કરતા રહે છે, તેથી આત્મહિતેચ્છકોએ કોઈ પણ જીવને દુઃખી કરવો જોઈએ નહીં, કોઈની હિંસા કરવી નહીં. પોતાના જીવન કે સુખ માટે પણ બીજાની હિંસા કરવી નહીં કારણ કે એક દિવસ મરવું સહુને નિશ્ચિત જ છે. સ્થિ ofસ્ત ગામો | મૃત્યુ કોઈને ન આવે એવું તો બને નહીં. ઝહિત વ શપુ મૃત્યુના ધર્મના વત્ ! મરણને યાદ રાખીને અહિંસા અને ધર્મનું આચરણ કરી જીવન સફળ બનાવવું જ જોઈએ. ધનની વૃદ્ધિ અને તેની ગતિ :| ५ तं परिगिज्झ दुपयं चउप्पयं अभिजुजियाणं संसिंचियाणं तिविहेण जा वि य से तत्थ मत्ता भवइ अप्पा वा बहुगा वा । से तत्थ गढिए चिट्ठइ મોય.
तओ से एगया विप्परिसिटुं संभूयं महोवगरणं भवइ । तं पि से ए गदा दायादा वा विभयंति, अदत्तहारो वा से अवहरइ, रायाणो वा से विलुपंति, णस्सइ वा से, विणस्सइ वा से अगारदाहेण वा से डज्झइ । इति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org