Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
લોક વિજય અધ્ય-૨, : ૩
.
[ ૬૧]
कुसले णोवलिंपेज्जासि त्ति बेमि ।
I વિડ્યો દ્ી મત્તા II શબ્દાર્થ :-હિં - આ પૂર્વોક્ત, નેfé = કાર્યો માટે, મેવ સર્વ સમારંભેળ = પોતે જીવોની હિંસા કરે નહિ, આઇ = બીજા પાસે, પણ મને = આ માર્ગ, માર્દિક આર્યપુરુષોએ, પપ = પ્રરૂપ્યો છે, પહેલ્થ = જેમાં, આ જીવહિંસારૂપ વ્યાપારમાં, સલે = કુશળ પુરુષ, નવલિક્ઝાલિ = લેપાય નહિ. ભાવાર્થ :- આ જાણીને પ્રબુદ્ધ પુરુષ ઉપરોક્ત કાર્યો માટે પોતે હિંસા કરે નહિ, બીજા પાસે હિંસા કરાવે નહિ અને હિંસા કરનારની અનુમોદના પણ કરે નહિ. આ લોક વિજયનો–સંસાર તરવાનો માર્ગ આર્ય પુરુષોએ તીર્થકરોએ કહ્યો છે. તેને સારી રીતે જાણીને, સમજીને કુશળ પુરુષ કર્મબંધનોથી લેપાય નહિ, સંસારમાં લેપાય નહીં. – એમ ભગવાને કહ્યું છે.
I બીજો ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :
ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં સૂત્રકારે પ્રજ્ઞાવાન સાધકોને સંદેશ આપ્યો છે કે પૂર્વ સૂત્રમાં દર્શાવેલ પાપ કરવાના બધા પ્રયોજનોને જાણીને, તેનો ત્યાગ કરવો જોઈએ. પાપ કાર્યો આત્માને દંડિત કરનારા છે માટે તેને દંડ' શબ્દથી દર્શાવેલ છે અને આ ઉપદેશને દઢ કરવા કહ્યું છે કે આ આદેશ તીર્થકર પ્રભુનો છે તો કુશળ ચતુર પુરુષોએ સંસારમાં કે પાપકાર્યોમાં જોડાવું ન જોઈએ. સાર:- સંયમી જીવનમાં અવસરના જ્ઞાતા સાધકને ક્યાંય પણ અસ્થિરતા આવી જાય તેમજ પરીષહાદિથી પરાજિત થવાનો યોગ આવે તો આયુષ્યની, યૌવનની ક્ષણભંગુરતા જાણી તીર્થકરો દ્વારા પ્રરૂપિત, હિંસાદિથી રહિત આત્મ સુખાનુભૂતિના માર્ગ પર સાધક આત્મ સ્વરૂપમાં રમણતા કરે, બાહ્ય પદાર્થોમાં કે સંસારમાં રમણતાનો ત્યાગ કરે.
II અધ્યયન-રર સંપૂર્ણ II છo બીજું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક કચ્છ ગોત્રમૂલક માન અપમાનનો ત્યાગ :| १ से असई उच्चागोए, असई णीयागोए । णो हीणे, णो अइरित्ते । णो पीहए । इति संखाए को गोयावाई ? को माणावाई ? कंसि वा एगे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org