Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોક વિજય અધ્ય-૨, ૩:૧.
[ ૫૩] जेहिं वा सद्धिं संवसइ ते वा णं एगया णियगा तं पुव्वि पोसेंति, सो वा ते णियगे पच्छा पोसेज्जा । णालं ते तव ताणाए वा, सरणाए वा, तुम पि तेसिं णालं ताणाए वा सरणाए वा । શબ્દાર્થ :- ફત્તેવ = આ જાણીને, સમુદૃ = ઉધત થાય છે, અહોવિહાર = સંયમમાં, રૂi = આ, મનુષ્યભવરૂપ, અંતર = સુઅવસરને, રેહા = જોઈને, વિચારીને, ધીર ધીર પુરુષ, મુહુરૂવ = ક્ષણ માત્ર પણ, ગોપનાથ = પ્રમાદ કરે નહિ, વ = આયુ, આવે = જલ્દી પસાર થઈ રહ્યું છે, નોધ્વ = યૌવન પણ પસાર થઈ રહ્યું છે.
રવિ = જીવનમાં, ૪ = આ, ને = જે અજ્ઞાની, પત્તા = પ્રમાદયુક્ત છે, તે = તે અજ્ઞાની, હંત = જીવોની હિંસા કરે છે, છેત્તા = અંગોનું છેદન કરે છે, મેરા = આંખ આદિનું ભેદન કરે છે,
પિત્તા = લોકોને લૂંટે છે, વિ,પિત્તા = સર્વસ્વ લુંટે છે, ઈન્દ્રિયોનું છેદન ભેદન કરે છે, વિત્તા = વિષ અને શસ્ત્રાદિના પ્રયોગથી પ્રાણીઓના પ્રાણોને હરે છે, સત્તા = જીવોને અનેક પ્રકારે ભય અને ત્રાસ આપે છે, એવું રિસાન = આજ સુધી કોઈએ નહિ કરેલા કાર્યને હું કરીશ,ત્તિ = આ પ્રમાણે, મામાને = માનતાં, સં = તેનું, પતિં = પોષણ કરે છે, તેઝા = પાલન પોષણ કરે છે. ભાવાર્થ :- આ રીતે પૂર્વોક્ત ચિંતન કરતા માનવી વિરક્ત બનીને સંયમ સાધના માટે પ્રયત્નશીલ બને અર્થાત્ સમ્યક પ્રકારે સંયમમાં ઉપસ્થિત થઈ જાય તેમજ આ મનુષ્ય જીવન સંયમ આરાધનાનો અમૂલ્ય અવસર છે એમ સમજીને ધીર પુરુષ મુહૂર્ત માત્ર પણ પ્રમાદ કરે નહિ–એક ક્ષણ પણ વ્યર્થ જવા દે નહિ. બાલ્યાદિ અવસ્થાઓ પસાર થઈ રહી છે, ઉંમર ઘટતી જાય છે, યૌવન પણ જઈ રહ્યું છે.
આવા આ માનવ જીવનમાં વિષય કષાયાદિના સેવનમાં જે પ્રમત્ત–આસક્ત છે, તે પ્રાણીઓને હણવા, છેદવા, ભેદવામાં કે ચોરી, લૂંટફાટમાં અથવા ઉપદ્રવ-જીવોનો વધ કરવામાં અને અતિ ત્રાસદાયક પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે. આજ સુધી કોઈએ જે નથી કર્યું તે હું કરીશ, આ પ્રમાણે તેઓ મનોરથ કરતા રહે છે અને આવા અહંભાવના સંકલ્પોમાં સૂત્રોક્ત વિવિધ સાવધ પ્રવૃત્તિઓ કરે છે. જે સ્વજનાદિની સાથે પુણ્યના યોગે રહે છે. તે સ્વજનો પહેલાં તેનું પોષણ કરે છે, પછી તે પણ તે સ્વજનોનું બની શકે તેટલું પોષણ કરે છે. આટલો સ્નેહ સંબંધ હોવા છતાં શાસ્ત્રકાર કહે છે કે હે પુરુષ ! તેઓ મૃત્યુ કે રોગ આવે ત્યારે તમારા રક્ષણ અથવા શરણ માટે સમર્થ હોતા નથી. તમો પણ તેનું રક્ષણ કરવા કે તેને શરણ દેવામાં સમર્થ થતા નથી.
વિવેચન :
આ સૂત્રમાં સંયમના અર્થમાં વિહાર શબ્દનો પ્રયોગ થયો છે. માનવી સામાન્ય રીતે વિષય તેમજ પરિગ્રહના પ્રત્યે અનુરાગી હોય છે. તે વિચારે છે કે આના વિના જીવન વ્યતીત થઈ શકે નહીં પરતું સંયમી, અપરિગ્રહી અણગારનું જીવન જોતાં તેને આશ્ચર્ય થાય છે કે અણગાર વિષયોનો ત્યાગ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org