Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શસ્ત્ર પદિશા અધ્ય-૧, ૯:૫
૨૯ ]
અણગાર કહેવાય છે.
વિવેચન :
અહિંસાને આત્મસાત્ કરવાનાં બે સાધન આ સૂત્રમાં કહ્યાં છે. (૧) મત્તા (મનન)= બુદ્ધિમાન સાધક જીવોના સ્વરૂપ આદિના વિષયમાં ગંભીરતા પૂર્વક ચિંતન મનન કરે (૨) સમયે વિવિઘા = અભયને જાણે. હું નિર્ભય થવા ઈચ્છું છું, મને અભય પ્રિય છે, તેમ બીજા જીવો પણ ભય ઈચ્છતા નથી, આ સિદ્ધાંતને સમજીને મનન કરવાથી પ્રત્યેક જીવની સાથે આત્મા સમત્વાનુભૂતિ અનુભવે છે, તેનાથી અહિંસાની આસ્થા સુદઢ તેમજ સુસ્થિત થાય છે કારણકે અહિંસાના પાયામાં અભય છે. ટીકાકારે ' અભય ' નો અર્થ સંયમ પણ કયો છે- આવામાન વિમાન તત્વના ત્યયઃ સમઃ | તે અનુસાર અભયં વિકત્તા નો અર્થ સંયમને જાણીને કરવામાં આવે છે.
ઈન્દ્રિય વિષય અને સંસાર :| २ जे गुणे से आवट्टे, जे आवट्टे से गुणे । उड्डे अहं तिरियं पाईणं पासमाणे रूवाई पासइ, सुणमाणे सद्दाइ सुणेइ । उ8 अहं तिरियं पाईण मुच्छमाणे रूवेसु मुच्छइ, सद्देसु यावि । एस लोए वियाहिए । एत्थ अगुत्ते अणाणाए पुणो पुणो गुणासाए वंकसमायारे पमत्ते अगारमावसे ।। શબ્દાર્થ – જે = જે, કુળ = શબ્દાદિ ગુણ છે, જે આવÈ= તે આવર્ત-સંસાર છે, ડું = ઉપર, હું = નીચે, સિરિયં = તિરછે, પા = પૂર્વાદિ દિશાઓમાં, પાનાને જોતાં, રૂવા પાસ = રૂપોને જુએ છે, સુખમાળે = સાંભળતાં, સદ્દારું = શબ્દોને, સુરૃ = સાંભળે છે, મુછમાને = રાગ કરતા જીવો, હવેણુ મુછ = રૂપોમાં મૂચ્છ પામે છે, સસુ યાવિ = શબ્દોમાં પણ રાગ કરી કર્મ બાંધે છે, પક્ષ = આ, તો = લોક–પાંચે ય ઈન્દ્રિયોના વિષયરૂપ લોક, વિહિપ = કહેલો છે, પલ્થ = આ વિષયમાં, અરે = અગુપ્ત છે, પગાર = ભગવાનની આજ્ઞામાં નથી, પુણો પુળો = વારંવાર, Tળાપ = વિષયાસક્ત બને, તેનો ઉપભોગ કરે, વંસમાથા = વક્રાચરણ કરનાર, પત્ત = પ્રમત્ત, પ્રમાદી, અPIR = ગૃહસ્થવાસમાં, આવશે = નિવાસ કરે છે.
ભાવાર્થ :- જે ગુણ–શબ્દાદિ વિષય છે તે આવર્ત-સંસાર છે. જે આવર્ત છે તે ગુણ છે. પ્રાણીઓ ઉપર, નીચે, તિરછી દિશામાં દેખાતા રૂપોને જુએ છે, સંભળાતા શબ્દો સાંભળે છે. ઊધ્વદિ દિશાઓમાં જોયેલી રૂપવાળી વસ્તુઓમાં અને મનોજ્ઞ શબ્દોમાં તે આસકત બને છે. આ ઈન્દ્રિય વિષયોની આસક્તિ જ સંસાર
છે.
જે વ્યક્તિ વિષયોમાં અગુપ્ત છે, ઈન્દ્રિય અને મનથી અસંયત છે, તે ભગવાનની આજ્ઞાથી દૂર છે. જે વારંવાર વિષયોનો અનુભવ કરે છે, તેનો ભોગપભોગ કરે છે, કુટિલતાનું–અસંયમનું આચરણ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org