________________
[૨૦]
આ. વિ.નદનસૂરિ-સ્મારકગ્રંથ હતું. અમદાવાદથી સૂરિસમ્રાટની પણ એવી જ આજ્ઞા હતી. એટલે એ બધાએ ઝડપી વિહાર આદર્યો. ગણતરીના જ દિવસોમાં ગોધરા પહોંચ્યા.
ગોધરાના સંઘે પિતાને ત્યાં રહેવા, ને માસું કરવા ખૂબ આગ્રહ કર્યો. રોજિંદા વિહારથી શ્રમિત થયેલા મુનિઓએ ત્યાં બે-ચાર દહાડા રહેવા વિચાર્યું. ચોમાસા માટે કહ્યું કે તમે મોટા મહારાજની આજ્ઞા લાવે, તે રહીએ.'
પણ બીજે જ દિવસે વાડીભાઈ અમદાવાદથી આવ્યા, કહેઃ “અહીં કેમ રોકાયા? આગળ વધે. ક્યાંય રોકાવાનું નથી.”
બપોરે જ વિહાર કરી દીધો. દાહોદ પહોંચ્યા.
આ બાજુ ગોધરાને સંઘ અમદાવાદ ગયે. સૂરિસમ્રાટને ખૂબ ખૂબ આગ્રહ કર્યો. એમણે સ્પષ્ટ ના પાડી, તોય હઠ પકડીને બેઠા. આખરે સૂરિસમ્રાટે કહ્યું: “એ સાધુઓની રહેવાની ઈચ્છા હોય, તે ખુશીથી રહે. મારી આજ્ઞા છે.”
સંઘ રાજી રાજી થઈ ગયા. ત્યાંથી એ ગેધરા થઈને સીધો દાહોદ ગયે. પણ, એ પહેલાં જે સુરિસમ્રાટે વાડીભાઈને દાહેદ મોકલીને કહાવી દીધું હતું: “ક્યાંય રહેવાનું નથી. આગળ જ વધે.”
ગેધરાથી સંધ આવ્યું. વાત કરી, વિનંતિ કરી, પણ પંન્યાસ પ્રતાપવિજયજીએ કહ્યું: “અમારા આ વૃદ્ધ મુનિ જીતવિજયજીને કેસરિયાજીની યાત્રાને અભિગ્રહ છે. એમની ઉમર થઈ છે, ને તીવ્ર ઈચ્છા છે કે યાત્રા કરવી જ. માટે હાલ અમે રેકાઈ શકીએ તેમ નથી.”
આમ, ગોધરાના સંઘને વિદાય કરીને, એ લેકે આગળ વધ્યા. રસ્તે એને લીધે કે ત્યાંથી રેલ્વે ને મેટર રસ્તો બાવીસ ગાઉ લગભગ દૂર. રોજ વીસ-પચીસ માઈલ જે પંથ કાપે.
રસ્તો ખૂબ ખરાબ ને બીકાળવો. રસ્તાની બંને બાજુ ગીચ ઝાડી. માગું કરવા જતાંય બીક લાગે. જંગલી જનાવરોની શંકા રેજ રહે.
ગામો પણ રેજ વિચિત્ર આવે. એક ગામ એવું આવ્યું કે રસ્તા પર ટપાલખાતાના બે ખુલ્લા ઓરડા હતા. સાંજે ત્યાં પહોંચ્યા, ને એ ઓરડામાં ઊતર્યા. ગામ ત્યાંથી થોડું દૂર હતું. સાથે પ્રભુદાસ કડિયા ને નારાયણ સુંદરજી હતા. એમાંથી પ્રભુદાસ ગામમાં ગયા. ગામ ભીલોનું હતું. ત્યાંના લોકોને વાત કરી કે “અમારા સાધુ મહાત્મા આવ્યા છે, ને પેલા ઓરડામાં ઊતર્યા છે, ત્યાં રાત્રે ચેક કરવા માટે બે-એક માણસ મળશે?
ગામલેકએ કહ્યું : “ના, ત્યાં તે રાતે જ વાઘ આવે છે, ને એક-બે બકરાં લઈ જાય છે. અમે ત્યાં ન આવીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org