________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૬૫] સૂરિસમ્રાટે સ્વીકારેલા આદર્શોને, અને પાળેલા સિદ્ધાંતોને સદા વફાદાર રહેવું કે આ બધા એમની માનસિક ભક્તિના પ્રકારો હતા.
આ ઉત્કૃષ્ટ ભક્તિનું વર્ણન લોક–ખાસ કરીને, આ ભક્તિને નજરે જોનારાં–આ રીતે કરતાઃ “સૂરિસમ્રાટની એક આકૃતિના બે પડછાયા છે. એક ઉદયસૂરિ મહારાજ, ને બીજા નન્દનસૂરિ મહારાજ.”
આ અનન્ય અને અખંડ ગુરુભક્તિના પ્રતાપે તેઓ સૂરિસમ્રાટના હૈયામાં વસી ગયા હતા.
સં. ૨૦૦૪ના વર્ષે સૂરિસમ્રાટ અમદાવાદ–સાબરમતી હતા, ત્યારે શ્રી વિજયનન્દનસૂરિજીનાં સંસારી માતુશ્રી જમનાબેન વંદન કરવા આવ્યાં. એમની ઉંમર છનું વર્ષની હતી. નવા દાંત પણ એમને આવેલા. શરીર એટલું શિથિલ કે હરગોવિંદદાસ (શ્રી વિજયનંદનસૂરિજીના ભાઈ) એમને તેડીને લઈ આવેલા. એ માજીએ વંદન કરીને જતી વખતે સૂરિસમ્રાટને કહ્યું : “મહારાજ ! મારાં નન્દનને સાચવજે.”
એટલે સૂરિસમ્રાટે કહ્યું : “માજી! હું નન્દનને શું સાચવું? હવે તે નન્દન અમને બધાને સાચવે છે.”
બીજા એક પ્રસંગે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે સૂરિસમ્રાટને તેમની તબિયતની ખબર પૂછી, ત્યારે સુરિસમ્રાટે પોતાની તબિયત અસ્વસ્થ હોવાનું કહીને અશાતા વેદનીયના ઉદયનું વર્ણન કર્યું.
ત્યારે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ કહેઃ “આપ તે મહાપુણ્યશાળી છે. આપને ઉદયસૂરિજી અને નંદનસૂરિજી જેવા પરિચારિક શિષ્ય છે. આપને જરાય ઓછું આવવા દે એવાં નથી.”
સૂરિસમ્રાટે જવાબ આપ્યો : “એ જ મોટી શાતા છે.”
પિતાના વડા ગુરુદેવના હૃદયમાં એમણે કેવું સ્થાન પ્રાપ્ત કર્યું હશે, એની ઝાંખી આવા પ્રસંગે કરાવે છે.
પ્રાકૃતમાં એક સુભાષિત છેઃ “એ ધન્ય શિષ્ય છે, જેના હૃદયમાં ગુરુનો વાસ છે. પણ એ શિષ્ય તે ધન્યાતિધન્ય છે, જેનું સ્થાન ગુરુના હૃદયમાં છે. એ અહીં કેવું ચરિતાર્થ થયું છે ! સાચે જ, શ્રી વિજયનંદનસૂરિજી ધન્યાતિધન્ય બની શકેલા.
સં. ૨૦૦૦ની સાલ પછી સૂરિસમ્રાટની શારીરિક સ્થિતિ ઉત્તરોત્તર કથળતી રહી. ૨૦૦૩માં ડોળીના ઉપયોગને અવસર આવ્યો. છેવટે ૨૦૦૫માં એમને સ્વર્ગવાસ થયો. આ ગાળામાં, શ્રી વિજયનંદનસૂરિજીએ સુરિસમ્રાટની અગ્લાનભાવે અથાગ શુશ્રષા કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org