________________
[૧૩]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ (૬) સંવત ૧૯૦ના અખિલ ભારતવષચ મુનિસમેલનમાં અનેક બાબતમાં અનેકનાં મન જુદી જુદી રીતે હતાં, છતાં તે વખતે શાસ્ત્રના વિધિ-નિષેધ કાયમ રાખીને સંજોગ અનુસારે કવચિદ અપવાદરૂપે પણ સમેલનને નિર્ણય પટરૂપે જ થયો હતો. અને તમામ ગચ્છવાળા શ્રીસંઘોએ તે સર્વાનુમતે માન્ય કર્યો હતો.
તે રીતે આ પટ્ટક પણ સર્વાનુમતે કરેલ છે. એટલે તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘે માન્ય રાખવાનું છે અને તે અનુસાર કોઈ જાતના મતભેદ વિના સંવત્સરીની તથા તિથિની એકસરખી આચરણ અને એકસરખી આરાધના સદાય શાન્તિપૂર્વક કરવાની છે.”
આ મુસદ્દો વાંચતાં વાર જ શેઠે કહ્યું : “કેઈ સારામાં સારે બૅરિસ્ટર પણ ન ઘડી શકે એવો આ મુસદ્દો ઘડો છે.” શ્રી પુણ્યવિજયજી મહારાજ આ વિષે લખે છે : “આપશ્રીએ લખી આપેલ તિથિનિર્ણયનો ખરીતે વકીલ છોટાભાઈએ વંચાવ્યું હતું. બહુ જ સુદઢ રીતે અને અતિપ્રગલ્સપણે લખાય છે.”
આ મુસદ્દી સર્વમાન્ય . તેને પટ્ટકરૂપે ઠરાવી, અમલ કરવાનો દઢ વિચાર પણ થયે. પણ વધુ પડતી સરળતા એમાં અવરોધક બની. આ મુસદ્દી ગમે તે રીતે, સામા પક્ષને પ્રાપ્ત થઈ ગયે. અને પરિણામે એને અમલ અશક્ય બની ગયે. એને અમલ થયે હોત તે આજે કેવી મીઠી શાતિ સંઘ માણી રહ્યો હોત એની તે હવે કલ્પના જ કરવી રહી.
ખેર, જે થયું તે થયું. પણ આપણે તે શ્રી વિજયનંદસૂરિજીની સંઘભાવના જેવી છે. વિચારક માણસ, તટસ્થ દષ્ટિએ આ મુસદ્દાને અભ્યાસ કરે; વધુ નહિ, પણ એને પહેલે જ ફકરે વાંચે, તે એમની સંઘભાવનાનાં મહામૂલાં દર્શન થશે.
શ્રી વિજયનંદનસૂરિજીની આવી ભવ્ય સંઘભાવનાનાં દર્શન બીજી વાર ત્યારે થયાં જ્યારે એમના પર “અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘ સમિતિએ પસાર કરેલા ઠરા વગેરે સમિતિના અધ્યક્ષ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ એ મોકલ્યા.
શેઠના પત્રને જવાબ આપતાં એમણે એક અતિ સ્તુત્ય અને વાસ્તવમાં ઉદારતાપૂર્ણ સૂચન કર્યું :
“વિશેષ તે અંગે જણાવવાનું જે આ સમિતિ “શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘ સમિતિ” હેવાથી અને તેમાં તમામ ગરછોને સમાવેશ થતો હોવાથી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજકમાં વર્તમાન તમામ ગચ્છો પ્રત્યે કાર્યવાહક સમિતિના મુંબને સદ્દભાવ અને પૂજ્યભાવ હોવો જોઈએ. અને તે રીતે તેમણે એક પ્રતિજ્ઞાપત્રથી જાહેર કરવું જોઈએ, જેથી તમામ ગચ્છોમાં સમિતિ પોતાના ઉદ્દેશની સફળતા મેળવી શકે અને તમામ ગચ્છોને પણ સામતિના કાર્યવાહકે પ્રત્યે આત્મીય ભાવ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org