Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 484
________________ પ્રશસ્તિ લેખે તથા કાવ્યો (૪૧૩] આશીર્વાદનું લખાણ સ્વયંસ્કરણથી, સ્વયંપ્રેરણાથી ને સ્વહસ્તે લખીને એમણે જ્યારે કહ્યું, તે દિવસ અને તે ઘડી-પળ મારા જીવનના અનિવાર્ચનીય આનંદાનુભવના અદ્વિતીય દિવસ અને ઘડો-પળ તરીકે મારા સ્મરણપટમાં અંકાઈ ગયાં છે. મારા જેવી ના ચીજ વ્યક્તિ માટે આ જેવીતેવી ઘટના ન હતી. આ ઘટનાએ, પૂજ્યવરના આ અંતરના આશીર્વાદે મારા જીવનમાં અને મારા સ્વભાવમાં અસાધારણ પરિવર્તન આણ્યાં છે અને એ વિરલ અને જીવનસ્પશી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે જ આ આખીયે વાત અહીં નેધવા પ્રેરા છું. એમની પાસે અનેક ક્ષેત્રોના અનેકવિધ માન આવતા. એમની સાથેની એમની વાતેનાં ફલક વિવિધ ભાતના રહેતાં. એ વાતોમાંની કેટલીક મને યાદ રહી છે, તે અહીં નેધું છું – (૧) સં. ૨૦૧૬માં એક વાર શ્રી અમૃતલાલ કાલીદાસ દેશી એમને વંદન કરવા આવ્યા. બંને જ્ઞાનચર્ચામાં મગ્ન બની ગયા. એમાં ચાર આશ્રમને વિષય ચર્ચા. એ વખતે પૂજ્યવરે ચાર આશ્રમની વિશદ વ્યાખ્યા કરતાં કહ્યું : મનુએ ચાર આશ્રમ બતાવ્યા છે. પહેલા બ્રહ્મચર્યાશ્રમ, બીજે ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ, ચે સંન્યાસાશ્રમ. એમાં પહેલો આશ્રમ સરવાળા જેવો છે. એમાં એક ધ્યાનથી હમેશાં ને નવો વિદ્યાદિનો સંચય થતો જ રહે છે, વધ્યા જ કરે છે. આજે દસ તે કાલે વીસ, પછી પચીસ, ત્રીસ એમ વધ્યા જ કરે છે, માટે એ સરવાળા જે છે. બીજો આશ્રમ બાદબાકી જે છે; કારણ કે, પહેલા આશ્રમમાં જે મેળવ્યું હોય, તેને આમાં ઘટાડો જ થતો જાય છે. વિદ્યા અને સદ્દગુણે, સંસારમાં ઘટતાં જ રહે છે, માટે તે બાદબાકી જેવો છે. ત્રીજે આશ્રમ ગુણાકાર જે છે; કારણ કે એમાં એકલા તત્ત્વજ્ઞાન અને પરમાર્થની જ બુદ્ધિ છે. પહેલા આશ્રમમાં જે ભેગું કરેલું, તેમાં પ૪૫૨૫ એમ ગુણાકારની જેમ તાત્વિક જ્ઞાન ઉમેરાતું જ જાય છે, માટે એ ગુણાકાર સમાન છે. અને ચોથો આશ્રમ ભાગાકાર જેવો છે એમાં મીંડાંમડાં–અજ્ઞાનનાં અને સંસારનાંએક બાજુ કાઢે છે, અને શુદ્ધ તત્ત્વરૂપી “ભાગ” રાખી મૂકીને એમાં જ તત્પર બને છે. માટે તે ભાગાકાર જેવો છે. પણ, મનુનો આગ્રહ છે કે દરેકે ચારે આશ્રમ કમસર કરવા જ જોઈએ. ત્રણ આશ્રમ કર્યા પછી જ સંન્યાસ લેવાય, તે સિવાય નહિ; જ્યારે મનુનો જ એક શિષ્ય જાબાલિ” નામ છે, તે કહે છે કે, મનુએ કહ્યું તે ઉત્સર્ગ માગે છે. તેને અપવાદ પણ છે. “ વ વિમેત, તવ પ્રવ્રત, વાયદા–કેઈને ચાર આશ્રમ ર્યા વિના પહેલા કે બીજા આશ્રમમાંથી જ સંન્યાસ લેવો હોય તે પણ લઈ શકાય છે. અન્યથા ચાર પણ કરી શકે છે. પણ ચાર આશ્રમ કરવા જ જોઈએ, એવું નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536