Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 488
________________ પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય [૪૧૭] “અલ્યા, આવું બોલ મા. શેઠે તે ધર્મબુદ્ધિથી સંઘ કાર્યો એટલે એમને તે પુણ્ય જ થયું છે. પણ એ ધર્મનું કામ કરતાં આવું જે પાપ અજાણતાં થઈ ગયું હશે ને, એ શેઠને નહિ મળે, એ તારા જેવા નિર્દકને મળશે. માટે કોઈ સારું કામ કરે એની નિંદા ન કરવી.” આટલું કહીને હાજીએ એક વાર્તા કહી : એક શેઠ હતા. સુખી ને દયાળુ. એણે પિતાના ગામમાં દાનશાળા ખોલી. જે આવે એને જમાડે. એક દહાડે બપોરના અસૂરા બે સંન્યાસી આવી ચડ્યા. થાકેલા હતા. શેઠે તરત રસોઈનો બંદોબસ્ત કર્યો. લાડવા બનાવવાનું રસોઈયાને કહ્યું. રસોયો ઘી લેવા ગયે. ઘી લઈને પાછા વળતાં ખુલ્લી તપેલીમાં કાંઈક ઝેર-ગરલ પડી ગયું એની એને ખબર ન પડી. એણે તે લાડવા બનાવ્યા. શેઠે પૂરા ભાવથી બંનેને જમાડ્યા. જમીને બેય ઊંઘી ગયા. પણ ઊંડ્યા તે ઊંધ્યા જ; પછી જાગ્યા જ નહિ; બંને મરી ગયા ! | “શેઠને ફાળ પડી. એમને થયું નક્કી મેં મહાપાપ કર્યું. એ તો ત્યાં જ અન્નજળ ત્યાગ કરીને ધ્યાનમાં બેઠા. આ વાતની ગામમાં ખબર પડતાં લોકો જાતજાતની વાતો કરવા માંડયા. હવે, શેઠના પુણ્ય, ઇદ્રનું આસન ડોલ્યું. ઇ બધી વાત જાણી. શેઠને બચાવવા ઘરડા બ્રાહ્મણનું રૂપ ધરીને એ ગામ બહાર આવ્યા, ત્યારે એને વિચાર આવ્યો કે શેઠ તો પુણ્યવંત છે. એને તો પુણ્ય જ મળ્યું છે. પણ આ બે મર્યા, એની હત્યાનું પાપ કોને ખાતે જમા કરવું ? આ વિચારમાં ચાલતાં ચાલતાં એની નજરે એક ડેશી પડ્યાં. ડોશીને પૂછયું : “માજી! ફલાણા શેઠની દાનશાળા કયાં આવી?” એટલે ડોશી તાડુકી : “જા, તુંય જા! બે તો લાંબા થઈને પડ્યા છે, હવે તુય મરવા જા!” અને એ તે શેઠની બે જીભે નિંદા કરવા લાગી. “ઇંદ્રને એની શંકાનો ઉકેલ મળી ગયો. એણે હત્યાનું પાપ ડેશીને ખાતે જમા કરવાનું નક્કી કરી લીધું. પછી શેઠને ત્યાં જઈ સમજાવીને એમના ઉપવાસ છોડાવ્યા. વાત પૂરી કરતાં પેલા હાજી પેલા ઉતાવળિયાને કહે: “એ ડોશીની જેમ તું નિંદા કરીશ, તે એ બે મૃત્યુના પાપનો ભાગીદાર તું બની જઈશ. માટે કોઈને સારા કામની નિંદા ન કરતો.”” અને આટલું કહીને પૂજ્યવરે ઉમેર્યું: “આ ઉજવણીમાં થોડેઘણે સાવદ્ય વ્યાપાર તે થવાને જ. એનું પાપ કોને માથે? આપણે તે શુદ્ધ બુદ્ધિથી ઉજવણી કરી છે.” | (૫) એક જાપાનીઝ બૌદ્ધ સાધુ “ચૂ-ચી-હા-સી” નામના આવેલા. એમને આગમન અભ્યાસ ચાલુ હતો. એકવાર ડૉ. સી. એફ. શાહને લઈને તે પૂજ્યવર પાસે આવ્યા. પૂજ્યવરે એમને પાંચ મહાવ્રત, યમ-નિયમ, ચાર ભાવના વગેરે પદાર્થો સમજાવ્યા. પછી એમણે એક પ્રશ્ન રજૂ કર્યોઃ “આજના વૈજ્ઞાનિક યુગમાં ધર્મને ઉપયોગ શે ? ધર્મની શી જરૂર?” ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536