Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 492
________________ પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય [૪ર૧] ભાવવંદના રચયિતા–પ. પૂમુ. શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ (હરિગીત) નિર્દશ, નિર્મળ નીર શા, નિર્ભય અને નિર્દોષ જે, વાત્સલ્યના ઘેઘૂર વડલા સમ, સુગુણના કષ જે; શાસનતણું શિરતાજ, ભાજન સજજનની પ્રીતિનાં, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરુ વંદના...૧ ઉત્તુંગ ગિરિની ગોદમાં જ્યમ નીરનું ઝરણું વહે, નિષ્પક્ષ ને નિદ્ધભાવે ખેલતું હસતું રહે; એમ જેમનાં હૈયે વિલસતી સંઘહિતની ભાવના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના..૨ હે ગચ્છ કે પરગચ્છને, યા એક કે બે તિથિતણે, વળી જૈન હો કે ઇતર હો, અનુકૂળ કે પ્રતિકૂળ હે; પણ, મામક આ પારકે – એ ધરાવે ભેદ ના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના...૩ ચાહે ભલું જગ-જીવનું, કરુણા ધરે દુઃખી પ્રતિ, નજરે ચઢે જે અન્યના અવગુણ, ઉવેખે એ પ્રતિ; જેમાં જુએ એ સદ્દગુણ તેની કરે અનુમોદના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરુ વંદના...૪ કેવી અલૌકિક દીર્ધદષ્ટિ ! સૃષ્ટિ શી સુવિવેકની ! શીળી અચલ એજસ્વી પ્રતિભા સંઘમાં એ એકની તેથી બન્યા બહુમાન્ય ને મૂર્ધન્ય શિષ્ટ જન તણા, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના...૫ જે પ્રકૃતિથી ઋજુ સૌમ્ય ને વળી શાન્તરસ-હેમે રસ્યા, ના બાહ્ય આડંબર ચે, નિઃસ્પૃહપણે જે ઉલસ્યા પરમત સહિષ્ણુ ને પુરસ્કર્તા સમન્વયવાદના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536