________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૮] છે. ગાંધીની રાહ હતી. બે-ચાર મિનિટમાં જ તેઓ ઑકિસજન વગેરે સાધનો લઈને આવી પહોંચ્યા. સૌને લાગ્યું કે કાંઈક થશે, પણ એમણે પણ તપાસીને તરત કહ્યું: “હવે કાંઈ નથી !”
સૌનાં મન, મગજ ને શરીર જાણે નિષ્ટ થઈ ગયાં. એ પરિસ્થિતિનું વર્ણન કરવું અશક્ય છે. રે! કેટલીક પરિસ્થિતિઓ માટે શબ્દ પણ અશક્ત બની જાય છે. આ પ્રસંગે પણ એ જ અતિ વસમો હતો - અમદાવાદ હજી તો સીરીયસના સમાચાર પહોંચ્યા હતા, ત્યાં જ પુનઃ ધંધુકાથી લાઈટનીગ કૅલ જોડાવીને આ સમાચાર પહોંચાડ્યા. સ્ટેશનમાસ્તર રામપ્રસાદ, શર્મા અને ધંધુકાના ભક્તિવંત ગૃહસ્થાએ ખડે પગે કામ કર્યું. સર્વત્ર કૌલ–તારથી સમાચાર આપ્યા. અમદાવાદ, બોટાદ, ધંધુકા, બરવાળા, વળા વગેરેના સેંકડે ભાઈઓ રાત સુધીમાં તગડી આવી પહોંચ્યા.
રાત્રે નિર્ણય લેવાયો કે ડેની મારફતે તેઓશ્રીના નશ્વર દેહને તેઓની જન્મભૂમિ બેટાદ લઈ . રાતોરાત શ્રી કુલચંદભાઈ વગેરે ગૃહસ્થોએ અંતિમ ગૃહસ્થચિત વિધિ કરીને, ડળીમાં એમના દેહને વ્યવસ્થિત પધરાવ્યા.
સવારે ૪-૩૦ વાગે ડોળીએ બેટાદ તરફ પ્રયાણ કર્યું. સાથે શ્રી રત્નાકરવિજયજી, હું, દાનવિજયજી તથા બાળમુનિ શ્રી પ્રેમપ્રભસાગરજી, એમ ચાર મુનિએ અને બીજા ત્રણેક બોટાદના ગૃહસ્થ હતા.
ડોળીવાળા કાળુભાઈ તથા બાબુભાઈ એ લગભગ સોળ માઈલ જેટલો પંથ કાપે. વરચે બીજા ડેળીવાળા આવી જતા તેમણે બાકીના આઠેક માઈલ કાપ્યા. ડોળીને ક્યાંય જમીન પર મૂકી નહિ. બરાબર ચોવીસ માઈલને પંથ કાપીને બપોરે ૧૨-૧૫ વાગે ડળી બોટાદ પહોંચી ગઈ.
બેટાદમાં માનવમેદની મા’તી નહતી. ગામ ઉપરાંત બહારગામનું વીસથી પચીસ હજાર માણસ આવ્યું હતું.
ડોળીને ઉપાયે લઈ જવામાં આવી. ત્યાં ઉપરના મજલે એમના દેહને દર્શનાર્થે ખુલ્લો રાખવામાં આવ્યો.
બપોરે ત્રણ વાગે દેવવિમાન જેવી ભવ્ય જરિયાન પાલખીમાં એમના દેહને પધરાવીને અંતિમ મહાયાત્રા શરૂ થઈ આખા ગામમાં ફરીને પ-૩૦ વાગે નેમિનંદનવિહારવાળી જગ્યામાં આવી પહોંચી. ત્યાં ભાવનગરથી આવેલા મીઠુ બેંડના કણ ને હદયદ્રાવક સાદો વરચે એમના નશ્વર દેહને અંતિમ સંસ્કાર એમના ભત્રીજા શ્રી જયંતીભાઈએ કર્યો ત્યારે હજારે આંખમાં આંસુનાં પૂર વહી રહ્યાં હતાં..
અને કલમ પણ હવે વધુ લખવાની ના પાડે છે! :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org