________________
ગુણાનુવાદ સભાએ તથા ઠરાવ
[૨૭] શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી, તથા રાયબહાદુર બાબુસાહેબ બુદ્ધિસિંહજી
જન પાઠશાળા, પાલીતાણને ઠરાવ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટેળીની સભા ગચ્છાધિપતિ, શાસનનાયક, પૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મ. સાહેબના અચાનક કાળધર્મના સમાચારથી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે. પૂજ્ય આચાર્યશ્રીના દેહવિલયથી જૈન સમાજે મહાન શિલ્પશાસ્ત્રી અને તીષમાર્તડ ગુમાવેલ છે, અને સમાજમાં ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. શાસનદેવ સદગતના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે ને તેમના અધૂરાં કાર્યો પૂર્ણ કરવા આપણને પ્રેરણા આપે એવી પ્રાર્થના.
શ્રી વિશા નીમા જૈન પંચ, વેજલપુર (જિ. પંચમહાલ)નો ઠરાવ
પરમશાસનપ્રભાવક, પ્રાતઃસ્મરણીય, પરમત્યાગી, પરમપકારી, પરમપૂજ્ય, પરમકૃપાળુ, વિદ્વર્ય ઇત્યાઘનેક સદગુણલંકૃત ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી સાહેબના સ્વર્ગવાસ (કાળધર્મ)થી ખૂબ જ આઘાત અને દુઃખ થયેલ છે. શ્રી જૈન સંઘમાં ઘેરી શોકની લાગણી છવાઈ ગઈ છે. જૈન સંઘમાં ન પૂરી શકાય તેવી ખોટ પડેલ છે. પૂજ્યશ્રીને સકળ સંઘની સભાએ મૌનપણે ત્રણ નવકાર ગણી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી છે. પૂજ્યશ્રીના માનમાં પિષ સુદી ૧ ના બજાર બંધ રાખી પાખી પાળેલ છે. સવારે તથા બપોરે સ્નાત્ર ભણાવેલ છે.
બીકાનેર શ્રીસંઘની સભા दि. १६-१-७६ को रांगडी चौक उपाश्रय मे पूज्य आचार्य श्री विजयइन्द्रदिन्नसूरिजी की निश्रामे बीकानेर के समस्त श्रीसंघ की ओर से शोकसभा हुई । आचार्य श्री इन्द्रदिन्नसूरीश्वरजी महाराज, खरतरगच्छीय महासती श्री हेमप्रभाश्रीजी इत्यादिने स्वर्गस्थ गुरुदेव के प्रति भावभीनी श्रद्धांजलि समर्पित की। एवं रिटायर्ड स्टेशन जज
खरचन्दजी जैन. मस्तकवि श्री अक्षयकमार यौधेय तथा अन्य अनेक विशिष्ट महानुभावोने स्वर्गीय गुरुदेव को अपनी श्रद्धांजलि व्यक्त की।
શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંધનો ઠરાવ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી મ. સાહેબ અચાનક હૃદયરોગના હુમલાથી તગડી મુકામે કાળધર્મ પામ્યાના માઠા સમાચાર જાણી અમારા શ્રીસંઘમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તે છે. અને તેમની ખોટ કઈ રીતે પુરાય તેમ નથી. શ્રી જૈન સમાજને આ સમાચારથી મહાન આઘાત લાગેલ છે. તેઓશ્રીનો ઉપકાર જૈન સમાજ કદી પણ ભૂલી શકે તેમ નથી. તેઓશ્રીએ પિતાની નાજુક તબિયત હોવા છતાં ગમે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org