Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 480
________________ પ્રશસ્તિ : લેખા તથા કાવ્ય [ ૪૯ ] જલદી અહીં આવી જવાનું છે ને મારી પાસે ભણવાનું છે.” અને મારા મસ્તક પર પ્રેમાળ હાથ ફેરવ્યા. અમે વેજલપુર ગયા. ત્યાં ઊંઝાના સ`ઘે મારા ગુરુમહારાજને ચામાસાની વિનતિ કરી. એમણે પૂજ્યવરને એ વાત લખી જણાવી. એ વખતે હુંય તેઓશ્રીને પત્ર લખતા. મોટા પર કેમ પત્ર લખાય, તેની હજી મારી ખાળકબુદ્ધિમાં સમજણ ન હતી, પણ એમણે મને લખેલા શબ્દો મને અક્ષરશઃ યાદ છે. એમણે લખેલુ : તમારા નિઃસ્પૃહતા, સરળતા અને વિનય વગેરે ગુણા મને બહુ ગમી ગયા છે. હવે તમારું ઊંઝા કે બીજે કાંય જવાના વિચાર કર્યા વિના અહીં જ આવવાનુ` છે, રહેવાનું છે. તમારા ગુરુમહારાજને પણ આ માટે પત્ર લખ્યો છે.” 66 અને અમે કયાંય ન જતાં સીધા અમદાવાદ ગયા; ત્યાં એમના અમૃતમય પુનિત સાંનિધ્યમાં સ્થિર થયા. એમની નિશ્રામાં સતત દસ વર્ષ રહેવાના અપૂર્વ અવસર મળ્યેા. મને યાદ છે ત્યાં સુધી, જેઠ વિક્ર બીજથી એમણે મને તર્કસંગ્રહ ભણાવવા ચાલુ કરેલા. સાથે પૂ. મુનિ (હાલ પન્યાસ) શ્રી વિકાસવિજયજી તથા પૂ. મુનિશ્રી કુંદકુંદવિજયજી પણ બેસતા. ખારે કલાક-બે કલાક પાઠ ચલાવતા, એમની પાસે જ્યાં સુધી અમે પાઠ લેતા હોઈ એ, ત્યાં સુધી ગમે તે શ્રાવકાઢિ આવ્યા હાય, તેા એમના તરફ એમનું ધ્યાન જતું નહિ; આવનારને કામ હોય તેા બેસી રહે, જવુ હોય તેા ખુશીથી જાય, પણ પાઠમાં ખલેલ પાડીને પૂજ્યવર એમની સાથે વાત કરતા નિહ. અમને ભણાવતી વખતે તેઓ આવા તન્મય થઈ જતા, અને કયારેક અમે થાકીએ, પણ તે તે જરાય થાકયા કે કંટાળ્યા વગર, ચાલુ વિષય કે પદાર્થ પૂરા કરીને જ છેાડતા. તર્કસંગ્રહ પછી કારિકાવલી કરાવીને મુક્તાવલી કરાવી. ઈશ્વરવાદ, મંગલવાદ વગેરે દિવસેાના દિવસે સુધી સમજાવ્યા. દિવસે તેા બે કલાક પાઠ ચાલે, પણ રાજ રાત્રેય અચૂક જવાનું. રાતનાં આઠથી દસ-અગિયાર વાગ્યા સુધી અવિરત સમજાવે, સાંભળે. તક સંગ્રહ મૂળ, કારિકાવલી અને મુક્તાવલી આખી મને માઢે કરાવેલી. એ રાજ કલાક કલાક સાંભળે અને એમાં કાંય પણ કોઈ શબ્દ કે ફકરો કે કારિયા ભૂલી જઈએ, તા તરત પુરવણી કરે. એમને મુક્તાવલી છેક સુધી યાદ હતી. કોઈ પણ વસ્તુ કે પદાર્થ સમજાવવાની એમની પદ્ધતિ એટલી સરળ અને સ્વસ્થ હતી કે મે' મેટામેટા પડતામાં પણ એવી શક્તિ ને પદ્ધતિ નથી જોઈ. સામેા માણસ જ્યાં સુધી સાચેસાચ સંતાષ ન પામે, પૂરેપૂરું ન સમજે, ત્યાં સુધી એ પટ્ટા અને એકથી સો વાર સમજાવતાંય તેઓ કટાળતા નહિ. આ માશ જાતઅનુભવ છે. અને સામાને સમજાઈ જાય, સાષ થાય ત્યારે એમનામાં ઉત્સાહ ઉત્સાહ છવાઈ જતા. પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536