________________
[૧૦]
આ વિનંદસૂરિસ્મરક્ય ४८
છેલ્લી વંદના કુદરતને કેમ અકળ છે.
એમના પિતાજી હેમચંદભાઈ અડ્યોતેરમે વર્ષે સ્વર્ગવાસી થયા હતા. મોટા ભાઈ હરગોવિંદદાસ પણ એ જ ઉંમરે અવસાન પામ્યા. અને, પિતે પણ એ જ ઉંમરે કાળધર્મ પામ્યા. . સૂરિસમ્રાટ વિક્રમ વર્ષના અંતિમ દિવસે કાળધર્મ પામ્યા, ને વિકમના નવા વર્ષે એમને અગ્નિદાહ દેવા.
આમને સ્વર્ગવાસ ઈસ્વીસન વર્ષના અંતિમ દિવસે થયે, ને ઈસુના નવા વર્ષે એમને અંતિમ સંસ્કાર થયે.
રે, આવા આવા અગમ્ય સંકેતના રહસ્યને કેણ ઉકેલી શકે ?
આજે પણ એમની હયાતીના ભણકારા વાગે છે. એમનું સદા પ્રસન્ન અને સહજપવિત્ર મુખકમળ આંખ સામે તરવરે છે. એમની સાથે વિતાવેલાં અમૃત-વર્ષોનું સ્મરણ હૈયાને હર્ષ-વિષાદની દુવિધાભરી લાગણીથી ભરી દે છે! . એમની સ્મૃતિ સાથે અંતર એકાકાર બની ગયું છે. એમના વિયોગે સર્જાયેલી હૈિયાંની સ્થિતિ, “મસ્ત કવિ' (કવિશ્રી ત્રિભુવન પ્રેમશંકર)ના શબ્દોમાં વર્ણવું તે :
રામ રેમ દહે દુઃખમાં રે, જરીએ રહ્યું નવ જાય; જળ વિણ જેવું માછલું રે, જીવન તરફડતું સઝાય...
હાલિડા ! સંત એ પ્યાસાં દેવનાં એ જી.... -આવી બની છે. વ્યથા અકથ્ય છે, હૈયું વિષાદઘેરું છે.
એક બાજુ આ દશા છે, ત્યારે બીજી તરફ જાણે એ પુણ્ય પુરુષ જ કહેતા સંભળાય છેઃ “રે! સ્થિતપ્રજ્ઞના લોકે ભૂલી ગયે? સ્થિર, શાંત ને સ્વસ્થ ચિત્ત એનું મનન કર. તારી વ્યથા દૂર થશે.”
અને, જાણે અંતરમાં અજવાળાં પથરાય છે. એમના માનસ-શરીરને મનોમન વંદન કરું છું, ને એમના ચારિત્રપૂત આત્માને પ્રાર્થના કરું છું ?
કૃપાનિધાન ! આપની સરળતા અને નિભ નિખાલસતા અમારા જીવનમાં ઊતરે
આપના ભવ્ય જીવનની કઠોર, નિષ્કલંક સાધના અને સર્વકલ્યાણકર સિદ્ધિ અમને પ્રાપ્ત હે;
“આપે આત્મસાત્ કરેલી સાચી શાસનપ્રભાવના માટેની ધગશ અમારા જીવનમાં અવતીર્ણ બને
“–એવા આશીર્વાદ મારા-અમારા–સર્વ ઉપર અવિરત વર્ષા! “સદા સ્વર્ગથી નાથ! આશીષ દેજે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org