________________
[૧૭૮]
આ. વિનદનસૂરિ સ્મારક્યથ ખબર પડે કે સાધુ-સાધ્વીની ભક્તિ કેમ થાય છે? અહીં આવે ને જુઓ તો ખબર પડે.”
બપોરે બોટાદથી એમના સંસારી ભાભી, ભત્રીજા જયંતીભાઈ, બોટાદ-સુધરાઈના પ્રમુખ ખાંતિલાલ દેસાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણી જયંતીલાલ ડી. શાહ, રતિલાલ હકમચંદ, ધીરુભાઈ પાટીવાળા વગેરે વંદનાથે આવ્યા. એમની જોડે ધર્મ અને બીજી બાબતોની વાતે ચચી. રાણકપુરની પ્રતિષ્ઠા વખતની અભૂતપૂર્વ અને અસાધારણ જાહેરજલાલીની વાત ખૂબ ઊલટથી કરી. કેશુભાઈ શેઠને લખેલો પત્ર એમને વંચાવ્યું. એ વાંચીને એમના સંસારી ભત્રીજા જયંતીભાઈ એ પૂછ્યું: તે આપ પોષ શુદિ આઠમે તે પહોંચી જ જશે ને?”
કહેઃ “બનતાં સુધી તે પહોંચી જઈશ.”
જયંતીઃ “સાહેબ ! આમ ઢીલું કેમ? કાયમ તે આપ પૂર્ણ આત્મવિશ્વાસથી બોલો છો? આજે આમ ઢીલું કેમ?”
આના જવાબમાં મોતીશા શેઠની વાત કરી કે “એમણે કમુરતાંમાં કાર્ય આદરેલું, તે તેઓ પિતે જોવા ન રહ્યા.”
જયંતીઃ “તો સાહેબ ! આપે કમુરતામાં શા માટે વિહાર કર્યો?”
કહેઃ “આ તે તીર્થનું કાર્ય છે. ત્યાં આવી બધી વાત અગત્યની નથી; તીર્થનું કાર્ય જ અગત્યનું ગણાય. એ માટે હું દિવસે લંબાવું તે પહોંચાય ક્યારે? ને કામ ક્યારે થાય? અને એમ રાહ જોઉં તે તે તીર્થ કરતાં જીવનને વધુ રાગ છે, એવું થાય.”
પછી જયંતીભાઈ પૂછેઃ “સાહેબ! આપે આપની તિષવિદ્યા કોઈને શીખવી કે નહીં?”
ત્યારે કહેઃ “આ પ્રતિષ્ઠાનું કામ થઈ જાય, પછી મેં વિચાર્યું જ છે કે શીલચંદ્ર અને દાનવિજયને તિષ તૈયાર કરાવવું.”
આ પછી એમના સંસારી ભાભી (હરગોવિંદદાસનાં પત્ની)ને તબિયતના ખબર પૂછડ્યાં. એ સાથે હસતાં હસતાં પૂછે: “કેમ, જયંતી બરાબર સાચવે છે ને?”
માજી કહેઃ “હા, મહારાજ !” એટલે પૂછેઃ “એની બીકથી તો હા નથી કહેતાં ને?” બધાં ખડખડાટ હસી પડ્યાં.
આમ બે-અઢી કલાક પછી બધાંએ રજા લીધી. બહાર ગયા પછી ખાંતિભાઈ દેસાઈએ ખૂબ જ સ્વાભાવિકભાવે જયંતીભાઈને પૂછયું : “ જયંતી! છેલ્લે સમયે જમના માના મુખ પર ખૂબ તેજ તેજ થઈ ગયેલું, નહિ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org