________________
આ. વિ.નંદનસૂરિ સ્મારશ્નથ
૪૧
સર્વમાન્ય સૂરિવર કોઈ એક સમુદાયના આચાર્ય તરીકે, તપાગચ્છના મુનિસમુદાયોમાં અને એથી આગળ વધીને ખરતરગચ્છ ને પાયચંદગછ વગેરે અન્ય ગોમાં પણ બહુમાન્ય, આદરણીય અને સલાહ મેળવવાના સ્થાનરૂપ બનવાનું સૌભાગ્ય શ્રી વિજયનંદનસૂરિજીને વર્યું હતું. આનું કારણ એમને ઉદારતાપૂર્ણ, નિષ્પક્ષ, નિખાલસ અને વાત્સલ્યપૂર્ણ સ્વભાવ હતો.
મેટા ભાગનો મુનિસમૂહ એમને પૂછીને, એમની સલાહ-સૂચના મેળવીને જ પિતાનાં કાર્યો કરતો.
અન્ય સમુદાય કે ગછના મુનિરાજે પિતાનાં સામુદાયિક પદવી વગેરે કાર્યો કરતી વખતે એમની પાસેથી મુહૂર્ત અને આશીર્વાદરૂપ વાસક્ષેપ મંગાવતા.
કેટલીક વખત કોઈને કાર્ય કરવામાં સામુદાયિક ગૂંચ ઊભી થતી, ત્યારે તેમાંથી માગ મેળવવા માટે તેઓ શ્રી વિજયનંદનસૂરિજીનું માર્ગદર્શન ઈચ્છતા, મેળવતા અને તદનુસાર વર્તતા.
એક મુનિરાજે ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કર્યો હતો. ખાસા દિવસો પસાર થઈ ગયેલા. હવે, એ મુનિરાજને ભગવતીજીના જગની પહેલાંના એક કે બે પેગ વહેવા બાકી રહી ગયેલા. આ વાત ધ્યાનમાં આવતાં કેટલાકોએ એમને કહ્યું : “ભગવતીજીના જેમ મુલત્વી રાખીને પેલા રહી ગયેલા જોગ કરે ને પછી પુનઃ ભગવતીના જોગ કરજે.
એ મુનિરાજ આથી ભારે વિષમ સ્થિતિમાં મુકાઈ ગયા. એમને હતું કે રહી ગયેલા જોગ પછી કરી લેવાશે. એ પહેલાં જ કરવા જોઈએ, એવા ખ્યાલના અભાવે તેમણે આમ વિચારેલું. પણ હવે ભગવતીજી જેવા આગાઢ જંગ અધૂરા છોડવા કેમ પાલવે? આગાઢ જંગમાંથી તો પ્રાણ પણ ન નીકળાય; એ પૂરા કયે જ છૂટકે. એટલે એમની સ્થિતિ તે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ
આમાંથી બહાર કેમ નીકળવું? એ માટે કોઈની સલાહ લેવાને એમણે વિચાર , ત્યારે એમની નજર શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ઠરી. એમને થયું: “એ સૌના આધાર છે. મને પણ સાચી સલાહ આપશે ને સાચો માર્ગ સુઝાડશે.” એમણે તરત એમને પત્ર લખીને માર્ગદર્શન યાચ્યું.
એમણે તત્કાળ એ મુનિરાજને ખૂબ આશ્વાસનદાયક માર્ગદર્શન આપ્યું. એ મુનિરાજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org