________________
[૧૭૦]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ લાલન-શિવજી, ભગુભાઈ ફત્તેહચંદ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ –આ બધાના જૂના પ્રસંગો જેવા બન્યા હતા તેવા તેમના સ્મરણપટ પર અંકિત હતા, તેનું તાદશ વર્ણન કર્યું. એ પ્રસંગે બન્યા, તે વખતનું સૂરિસમ્રાટનું જોમ અને એ વખતની પરિસ્થિતિ, આ વાત કરતી વખતે, જાણે એમનામાં અવતીર્ણ થઈ ગયાં. આ વાત વખતે એમની નિખાલસતા અને ગુણગ્રાહક તેમ જ સત્યપ્રિય વૃત્તિનાં નવલાં દર્શન થયાં. દેવદ્રવ્યની પણ વાત થઈ
આજે બપોરે સ્થાનકવાસી મુનિરાજ શ્રી અમીચંદજી મહારાજ એમને મળવા આવ્યા. એમના પ્રતિ અપાર સદભાવ દાખવ્ય; કાંઈ પણ કામ હોય તે જણાવવાનું સૂચન કર્યું. એ મુનિરાજને એમના પ્રતિને આદર અને પૂજ્યભાવ અજબ હતો. તેઓશ્રીના ઉદાર, સમભાવી સ્વભાવનું એ પરિણામ હતું, એ સહેજે અનુભવાયું.
માગશર વદિ ૪:
આજે સરખેજ આવ્યા. ડોળી બે માણસની રખાવી; ચાર માણસની ડાળી ન ફાવી. આ દિવસ કોઈનાં મુહૂર્ત કાઢવામાં, કેઈને પત્ર લખાવવામાં, ને શહેરમાંથી આવતા દર્શનાથીઓ સાથે વાતચીત વગેરેમાં ગા. મોડી સાંજે શ્રી રતિભાઈ દેસાઈ આવ્યા. એમણે ખબર આપ્યા કે પ્રતિષ્ઠા કરવાની પ્રતિમાઓજીની ચિઠ્ઠીઓ આજે ઊપડી ગઈ ડે થઈ ગયે. આ જાણીને તેઓ ખૂબ ખુશી થયા. એની પદ્ધતિ વિષે જાણકારી મેળવી, ઝીણી ઝીણી વિગતો પૂછી લીધી. પછી જતી વખતે રતિભાઈને કહ્યું: “ઠાકરને સૂચના કરજે કે જેને આદેશ મળ્યો હોય, તેને ખબર મેકલાવી દે અને એનાં નામેનું લીસ્ટ મને પણ મોકલે.”
માગશર વદિ ૫:
આજે સવારે વિહાર કરી ચાંગેદર આવ્યા. અહીં, વિહારમાં સામેલ થવા માટે, સૂરતથી શા. ડાહ્યાભાઈ હઠીચંદ પણ આવી ગયા. એટલે ખૂબ જ પ્રસન્ન થયા. મને કહે: “ડાહ્યાભાઈ આવી ગયા એટલે હવે કશી ચિંતા નહિ કરવાની. ડાહ્યાભાઈ પાસે કદમ્બગિરિના ઇતિહાસની જૂની વાતો ઘણું જાણવા જેવી છે. એ સાંભળીશ તો તારો ટાઈમ કયાં જશે એની ખબર નહિ પડે.”
બપોરે અમદાવાદથી ખંભાતવાળા શા. હરિભાઈ વાડીલાલનાં સાસુ, પત્ની, પુત્રાદિ વંદનાર્થે આવ્યાં. એમને ગમ્મત કરતાં કહેઃ “આના એકે છોકરાને આપણી સાથે મોકલે છે? મેકલે જ નહિ ને ! ક્યાંક મહારાજ દીક્ષા આપી દે તો?—એવી એને બીક લાગે છે.”
આજે શેઠ કેશુભાઈ ઝવેરીનો કાગળ આવ્યો હતો. રાત્રે મને કહેઃ “આ કાગળ તે વાંચ્યો ? બહુ સરસ ને સમજણવાળો કાગળ શેઠે લખ્યું છે. કાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org