________________
[૭૦]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આવા ઘણા સિદ્ધાંત ને પ્રવૃત્તિઓ છે, જે સાધુજીવનની પવિત્રતાને પિષે અને અખંડ રાખે. એનું પરિપૂર્ણ પાલન તેઓએ પૂરી નિષ્ઠાથી કર્યું–અલબત્ત, દ્રવ્ય-ક્ષેત્રકાળ ને ભાવના પરિવર્તનને સતત લક્ષ્યમાં રાખીને જ.
२७
મુહૂર્ત મેળવવાનું મહાતીર્થ પાયા વિના ઘર ચણાય નહિ, મુહૂર્ત વિના શુભ કામ થાય નહિ. પાયા જેટલો મજબૂત, એટલું જ ઘર મજબૂત બને. મુહૂર્ત જેટલું શ્રેષ્ઠ-નિર્દોષ, એટલું કામ પણ નિર્વિઘ થાય. પાયે ચણનાર કારીગર જેટલો કુશળ, એટલે પાયે દઢ થાય. મુહૂર્ત આપનાર જેટલા પવિત્ર, એટલું કામ પણ સફળ બને.
શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજની ગણના પવિત્ર પુરુષમાં થતી. એમણે આપેલું મુહૂર્ત નિઃશંક પવિત્ર મનાતું. એમના આપ્યાં મુહૂતે થતું શુભ કામ હંમેશાં નિર્વિધ્રપણે સફળ બનતું. એમના વહેતા ઝરણ જેવા સ્વરછ જીવન, અને સર્વાઘસંહારિણી, સર્વકલ્યાણકારિણી વિશુદ્ધ ભાવનાનું આ પરિણામ હતું.
અંજનશલાકા હોય કે પ્રતિષ્ઠા હોય, પ્રભુપ્રેવેશ હોય કે ખાતમુહૂર્ત હોય, દીક્ષાવડી દીક્ષા હોય કે પદવી પ્રદાન હોય, ઉપધાન ને ઉજમણાં હોય કે બીજા મહોત્સવો હોય, મુનિઓને વિહાર હોય કે પ્રવેશ હેય, કઈ સંઘનું પ્રયાણ હોય કે તીર્થમાળારોપણ હોય, એક પણ ધર્માનુષ્ઠાન એવું નહોતું કે જે શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજના મુહૂર્ત વિના થતું હોય. ભારતનાં સેંકડે ગામે, ને હજારો લોકો એમની પાસેથી મુહૂર્ત પ્રાપ્ત કરીને પોતાનાં ધર્માનુષ્ઠાને સફળ બનાવતાં.
દિવસ ઊગે ને પાંચ-સાત ગામના ભાઈઓ મુહૂર્ત લેવા આવ્યા જ હોય, મુહૂર્તની પૃચ્છા-માંગણી કરતા થોકબંધ કાગળ આવ્યા કરતા હોય અને એ બધાને સંતોષ આપવા માટે શરીરની શક્તિ કરતાં અધિક પરિશ્રમ કરીને એ મુહૂર્તો આયે જતા હોય, એ દશ્ય તો રોજનું હતું. આ બધું જોઈને એમને ડૉકટર કે બીજા કોઈ કહે કે
સાહેબજી! આટલે પરિશ્રમ ન કરતા હો ને થોડો આરામ કરતા હે તો કેવું સારું ! મુહૂર્તવાળાને કાલે બોલાવજે.” ત્યારે એમને ટકોરાબંધ જવાબ મળતોઃ ભાઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org