________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૬૭] મુખ્ય અને સાંગોપાંગ ભાગ આ બને ગુરુ-શિષ્યનો જ રહેતો તેમ એમની ઈચ્છા
અનુસાર અંજનશલાકાનાં તમામ વિધાને તથા અહંન્મહાપૂજન, બૃહન્નદ્યાવર્ત પૂજન, સિદ્ધચક્ર મહાપૂજન વગેરે વિશિષ્ટ અનુષ્ઠાનોને વિશુદ્ધ અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં પૂજ્ય શ્રી વિજયોદયસૂરિજી મહારાજની સાથે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ પણ રહેતા.
સુરિસમ્રાટના સ્વર્ગવાસ પછી, એમણે સ્થાપેલા શ્રી કદમ્બગિરિતીર્થના સર્વાગીણુ વિકાસ માટે, અને એમનાં બાકીનાં કાર્યો પૂર્ણ કરવા માટે એમણે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એમના દિલમાં સતત એ જ ઝંખના રહેતી કે “સૂરિસમ્રાટની ઇચ્છા મુજબ તમામ કાર્યો પાર પડવાં જ જોઈએ.”
સૂરિસમ્રાટ જે સ્થાને કાળધર્મ પામ્યા, ત્યાં સ્થાપેલા ગુરુમંદિરના ફરી દર્શન કરવાની ઉત્કટ ઇચ્છા છતાં, શાસનનાં અન્ય કાર્યોને લીધે, તે તરત અમલી બની શકી નહીં, એટલે આચાર્ય મહારાજે સર્વ મીઠાઈનો ત્યાગ કર્યો. છેવટે સં. ૨૦૦૮માં અમદાવાદથી ખાસ વિહાર કરીને મહુવા ગયા, ને ગુરુપાદુકાના ગદ્દગદ્દભાવે દર્શન-વંદન કર્યા.
તેઓ પિતે કોઈ પણ કાર્ય કરવા ધારે, અથવા કોઈ વ્યક્તિ એમને કાંઈક કાર્ય કરવા સૂચવે, ત્યારે તેઓ કહેતા : “સૂરિસમ્રાટની અંતઃ પ્રેરણું મને જ્યારે થશે, ત્યારે આ કાર્ય હું કરીશ.” અને ઘણા પ્રસંગે આવું બનતું. કેઈક કાર્ય માટે એમણે હા પાડી હોય, પણ પાછળથી એમને આવી જ કાંઈક સ્વાનુભવસંવેદ્ય સુરિસમ્રાટની અંતઃપ્રેરણા થાય, ને એ ના પાડી દે. અને એ કાર્યનું પરિણામ જાણીએ ત્યારે થાય કે ના, મહારાજજીએ ના પાડી તે જ ઊંચત થયું. અને, એ જ રીતે, ક્યારેક કોઈ કામની ના પાડી હોય, ને અંતઃ પ્રેરણું થતાં જે હા પાડે, તો એ કાર્યનું પરિણામ પણ યશદાયી જ હોય.
એમની પાસે રોજ સેંકડે માણસે વાસક્ષેપ લેતા, મુહૂર્તે લઈ જતા, મંગલાચરણ સાંભળતા. પણ એ ત્રણે ક્રિયાઓ કરતાં પૂવે એમણે સૂરિસમ્રાટનું નામ અચૂક લીધું જ હોય; એ સિવાય આ ત્રણમાંથી એકેય ક્રિયા નહીં કરવાની.
હમેશ સવારે ઊઠતા ને રાત્રે પ્રતિક્રમણ પછી સૂરિસમ્રાટની મૂતિઓ જે જે ગામમાં જ્યાં બિરાજતી હોય, તેનું માનસિક સ્મરણ કરીને એને ભાવવંદન કરવાને એમને અતૂટ નિયમ હતો. કેવી નિઃસીમ ગુરુભક્તિ !
સુરિસમ્રાટના સ્વર્ગવાસને વર્ષો વીત્યાં, છતાં જ્યારે પણ એમના જીવનના પ્રસંગેની વાત નીકળે, ત્યારે એમની આંખો ભીની થયા વિના ન રહે. સૂરિસમ્રાટની શતાબ્દીના વર્ષે એ પાલિતાણા હતા. દિવાળીના દિવસે સાહિત્યમંદિરમાં સભા જાઈ. જુદા જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org