________________
[૨૮]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ ” “રાત્રે અમે બધા સહપાઠી સાધુઓ આવૃત્તિ કરવા સાથે બેસીએ અને ભણેલા પાઠ-પદાર્થનું પુનરાવર્તન કરીએ. એમાં અગિયાર-બાર વાગી જાય. પણ, એ વખતે અમે બધા વાતે તે નથી કરતા ને એની તપાસ મોટા મહારાજ કાયમ રાખતા. રાત્રે નારાયણને કહેઃ “જા, જેઈ આવ, કઈ સાધુએ ભણવાને બદલે ગપ્પાં તો નથી મારતા ને?” અને એ અમને કોઈને ખબરેય ન પડે એ રીતે જોઈ જાય. એમાં જે ક્યારેક કોઈક વાત કરતે ઝડપાઈ જાય, તો એનું આવી બને.”
અને છેલ્લે એ ઉમેરતા : મોટા મહારાજની આવી દેખભાળ ને કડક કાળજીનાં સુખદ પરિણામ આજે અમે માણીએ છીએ; આવી કાળજી આજે ક્યાંય નથી, એનાં માઠાં પરિણામે પણ અમે નજરે જોઈએ છીએ.”
એમના ભણતરના વિષય હતા : ન્યાયમાં તર્કસંગ્રહ, સિદ્ધાન્તમુક્તાવલી (એ પર દિનકરી–રામરુદ્દી), વ્યાપ્તિપંચક, સિંહવ્યાઘલક્ષણ, સિદ્ધાન્તલક્ષણ, અવછેદકત્વનિરુક્તિ, સવ્યભિચારપ્રકરણ, પ્રશસ્તપાદ ભાષ્ય, ન્યાયકુસુમાંજલિ, લક્ષણવલી, આત્મતત્ત્વવિવેક. ઉપરાંત–
પંચદશી, વેદાન્તપરિભાષા-શિખામણિ, અદ્રેતા સદ્ધિ સાંખ્યકારિકા, તત્ત્વકૌમુદી, અર્થસંગ્રહ, લૌગાણિભાસ્કર; પાતંજલોગસૂત્રવૃત્તિ, શ્રીહર્ષનું ખંડન ખંડખાદ્ય; સારસ્વત વ્યાકરણ, સિદ્ધહૈમવ્યાકરણ, નાગેશ ભટ્ટની મંજૂષા; સાહિત્યદર્પણ, કુવલયાનંદ વગેરે. અને રઘુવંશ, કિરાતાજુનીયાદિ કાવ્ય;
જૈન દર્શનના પણ જૈન તર્કભાષા, સ્યાદ્વાદમંજરી, પ્રમાણનયતત્ત્વાલક, અષ્ટકપ્રકરણ, ન્યાયાલેક, સપ્તભંગી તરંગિણી, અષ્ટસહસી, સંમતિ તર્ક, ષદર્શનસમુચ્ચય, ન્યાયખંડખાદ્ય વગેરે માન્ય, મૂર્ધન્ય ગ્રંથે.
એમના ભણેલા ગ્રન્થોમાંથી માત્ર થોડાકના જ આ નામે છે. આમાંના અમુક ગ્ર પંડિતજી પાસે ભણ્યા, બાકીના બધા જાતે વાંચ્યા.
સિદ્ધાન્તમુક્તાવલી ને સારસ્વતચન્દ્રિકા તો આખી ને આખી કંઠસ્થ કરી હતી.
આ બધા ગ્રંથોના પાઠ સાથે તે વિષયને લગતાં અન્ય ગ્રંથોનું અવગાહન પણ તેઓ કરી લેતા; જેમ કે સાહિત્યદર્પણની સાથે સાથે રસગંગાધર, કાવ્યપ્રકાશ જેવા મહાગ્રન્થ પણ એમણે અવગાહ્યા હતા.
એ ઘણીવાર કહેતા : “થર્ચ પ્રસ્થાન્ત ટીવ' - એક ગ્રન્થ, બીજા ગ્રન્થની ટીકા બને છે. અર્થાત બીજે ગ્રન્થ વાંચીએ એટલે ભણાતો ગ્રન્થ પાક થાય.
સંસ્કૃત શબ્દો ને ક્રિયાપદનાં રૂપે તૈયાર કરવામાં એમણે ખૂબ રસ લીધો હત; ઊંઘમાંય કેઈ રૂપ પૂછો, તો સાચો જવાબ જ નીકળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org